બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / An increase 108 emergency services during the Diwali festival
Kiran
Last Updated: 01:51 PM, 6 November 2021
દિવાળીના તહેવારોમાં 108 ઈમરજન્સી સેવામાં વધારો થયો છે. 108 GVKના ચીફ ઓપરેટિંગ ઑફિસર જસવંત પ્રજાપતિએ જણાવ્યું કે દિવાળીના દિવસે 3600 ઈમરજન્સી કોલ મળ્યા, જ્યારે નવા વર્ષના દિવસે 4000 કોલ મળ્યા, આ વખતે રાજ્યમાં 750 જેટલા અકસ્માતના બનાવ પણ સામે આવ્યા છે. જેમાં ફોર વ્હીલરમાં સૌથી વધુ અકસ્માત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે કોરોનામાં આ વખતે સૌથી સામાન્ય કેસ નોંધાયા છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં કેસ ઓછા નોંધાયા છે.
3 દિવસમાં 47 ટકા ઈમરજન્સી કેસ નોંધાય છે
આપને જણાઈ દઈએ કે દિવાળીને લઈને 108 દ્વારા ખાસ ઈમરજન્સી સેવાઓ માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો, ઉલ્લેખનિય છે કે સામાન્ય દિવસો કરતાં તહેવારોના દિવસોમાં ઈમર્જન્સી કેસમાં વધારો થતો હોય છે, જેમાં સામાન્ય રીતે અકસ્માત, દાઝી જવાની ફરિયાદો 108ને મળતી હોય છે, 108ને સામાન્ય દિવસોમાં મળતાં ઇમરજન્સી કેસ દિવાળી ટાંણે 108ને વધુ કોલ આવતા હોય છે. જેને લઈ ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. જો વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં દિવાળી, નવા વર્ષ અને ભાઈબીજના દિવસે ઇમરજન્સી કેસમાં વધારો જોવા મળ્યો છે. તહેવારમાં રોડ અકસ્માતના કેસ પણ વધતા હોય છે, આવા કેસમાં ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 108 દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. જેને પગલે રાજ્યમાં અત્યારે કુલ 800 રોડ એમ્બ્યુલન્સ અને 2 બોટ એમ્બ્યુલન્સ કાર્યરત કરાઈ હતી. જેમાં 4 હજાર કર્મચારીઓ ફિલ્ડમાં કાર્યરત રાખવામાં આવ્યા હતા.
તહેવારોમાં 10થી 12 હજાર ઈમરજન્સી કોલ આવે છે
કઠવાડામાં 150થી 200 કર્મચારીઓ કાર્યરત છે, દિવાળીના તહેવારોના 3 દિવસમાં ઈમરજન્સી કેસમાં 47 ટકાનો વધારો જોવા મળતો હોય છે, જેમાં દિવાળીમાં ઈમરજન્સી કેસમાં 15થી 16 ટકાનો વધારો, જ્યારે બેસતા વર્ષે 27 ટકા અને ભાઈબીજમાં 36 ટકાનો વધારો થયો હોય છે તહેવારોમાં 10થી 12 હજાર ઈમરજન્સી કોલની સંભાવના વધી જતી હોય છે, ત્યારે ઈમરજન્સી સેવા માટે એમ્બ્યુલન્સ સાથે તબીબ અને કર્મચારી પણ ખડે પગે રહેશે, સાથે ગંભીર પરિસ્થિતિમાં મોટી હોસ્પિટલો સાથે કોઓર્ડીનેશન કરી ઈમરજન્સી સેવા ઉપલબ્ધ કરાવામાં આવી છે.
તહેવારોમાં 10થી 12 હજાર ઈમરજન્સી કોલ આવે છે: જસવંત પ્રજાપતિ
દિવાળીમાં 108ના ઈમરજન્સીના એક્શન પ્લાનને લઈને 108 GVKના ચીફ ઓપરેટિંગ ઑફિસર જસવંત પ્રજાપતિએ જણાવ્યું કે તહેવારોમાં ઈમરજન્સીને પહોંચી વળવા 108નું આગોતરૂ આયોજન કરાયું છે. તહેવારોમાં ઈમરજન્સી કોલમાં વધારો થતો હોય છે, તેમજ 3 દિવાસમાં જ 47 ટકાથી વધુ કોલ આવતા હોય છે. આ દિવસોમાં 10થી 12 હજાર કોલ આવતા હોય છે, તેમજ આ દિવસોમાં કોરોના સંક્રમણનો પણ ખતરો વધી જતો હોય છે. એવામાં તહેવારોમાં ભીડભાડ વાળી જગ્યાએ જવાનો ટાળો, સોશિયલ ડિસ્ટસિંગ જાળવો, માસ્ક તેમજ કોવિડ નિયમનું પાલન કરો તેવી અપલ જસવંત પ્રજાપતિ દ્વારા કરવામાં આવી છે.તેમણે હાલ કોરોના માટે 30થી40 એમ્ય્યુલન્સ સેવા આપી રહી છે અને ઈમરજન્સી સેવા કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે તેવું જણાવ્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ