બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Mayur
Last Updated: 08:29 AM, 22 August 2021
તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. પરિસ્થિતિને જોતા ભારત સરકારે અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને તેમના દેશમાં લાવવાની ઝુંબેશ તેજ કરી છે. સેંકડો ભારતીયોને આજે ઘરે પરત લાવવામાં આવશે. ઘણા નાગરિકો તાજિકિસ્તાન થઈને ભારત આવી રહ્યા છે.
ભારત માતા કી જયના નારા લગાવ્યા
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાનું કામ ચાલી રહ્યું છે. એર ઇન્ડિયાનું વિમાન 1956 તાજિકિસ્તાનથી 87 ભારતીયોને લઈને નવી દિલ્હી માટે રવાના થયું છે. બે નેપાળી નાગરિકોને પણ અફઘાનિસ્તાનમાંથી બહાર કાવામાં આવ્યા છે. ભારતીયોને પરત લાવવા માટે દુઝાન્બે, તાજિકિસ્તાનમાં અમારા દૂતાવાસ દ્વારા મદદ અને સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ત્યાં ફસાયેલા નાગરિકોને પરત લાવવા માટે વધુ વિમાનો તૈનાત કરવામાં આવશે.
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાંથી બહાર કાઢવામાં આવેલા ભારતીયોએ વિમાનમાં 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વિટ કર્યું: 'આ ઉત્સાહિત લોકો' તેમના ઘરે પાછા જઈ રહ્યા છે. '
#WATCH | Evacuated Indians from Kabul, Afghanistan in a flight chant 'Bharat Mata Ki Jai' on board
— ANI (@ANI) August 21, 2021
"Jubilant evacuees on their journey home,"tweets MEA Spox
Flight carrying 87 Indians & 2 Nepalese nationals departed for Delhi from Tajikistan after they were evacuated from Kabul pic.twitter.com/C3odcCau5D
હવે રોજ બે ફ્લાઇટ ઉડાવવાની મંજૂરી
હવે રોજ ભારતને અફઘાનિસ્તાનના કબૂલ એરપોર્ટથી બે ફ્લાઇટ ઉડાવવાની પરવાનગી મળી ગઈ છે.
કાબુલથી 135 ભારતીયોને દોહા એમ્બેસી દ્વારા ભારત પરત લાવવામાં આવી રહ્યા છે
કતારમાં ભારતીય દૂતાવાસે રવિવારે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં કાબુલથી દોહા લાવવામાં આવેલા 135 ભારતીયોની પ્રથમ બેચને ભારત પરત મોકલવામાં આવી રહી છે. કતારમાં ભારતીય દૂતાવાસે ટ્વીટ કર્યું હતું કે 135 ભારતીયોની પ્રથમ બેચ, જેમને તાજેતરમાં કાબુલથી દોહા લાવવામાં આવ્યા હતા, આજે રાત્રે ભારત પાછા મોકલવામાં આવી રહ્યા છે. દૂતાવાસના અધિકારીઓએ તેમના સલામતીની ખાતરી કરવા માટે કોન્સ્યુલર અને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડ્યો હતો. દૂતાવાસે કહ્યું હતું કે તે કતારનાં સત્તાધીશો અને તમામ સંબંધિત લોકોનો આ શક્ય બનાવવા બદલ આભાર માને છે.
168 લોકોને લઈને આવશે વાયુસેનનું વિમાન
આ સાથે વાયુસેનાંનું વધુ એક વિમાન 168 લોકો સાથે ભારત પહોંચવાંનું છે જેમઆ 107 જેટલા ભારતીયોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હવે રોજની બે ફ્લાઇટ કાબૂલથી ભારત આવી શકે તેવી પરવાનગી પણ મળી ચૂકી છે.
Bringing Indians home from Afghanistan!
— Arindam Bagchi (@MEAIndia) August 21, 2021
AI 1956 carrying 87 Indians departs from Tajikistan for New Delhi. Two Nepalese nationals also evacuated.
Assisted and supported by our Embassy @IndEmbDushanbe.
More evacuation flights to follow. pic.twitter.com/YMCuJQ7595
500 લોકો રવિવારે વિમાનો દ્વારા ભારત પરત આવે તેવી અપેક્ષા
અફઘાનિસ્તાનથી લગભગ 500 લોકો રવિવારે સવારે અન્યત્રથી વિમાનો દ્વારા ભારત પરત આવે તેવી અપેક્ષા છે. આ પહેલા શનિવારે સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં ફસાયેલા તેના નાગરિકોને બચાવવા માટે ભારતને કાબુલથી દરરોજ બે ફ્લાઈટ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.
તાલિબાને 15 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનની રાજધાની પર કબ્જો કર્યા બાદ અમેરિકા અને નાટોનાં દળોએ હમીદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓપરેશનને નિયંત્રિત કરવાની પરવાનગી આપી છે. તેમના દ્વારા કુલ 25 ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, કારણ કે તેઓ હાલમાં તેમના નાગરિકો, હથિયારો અને સાધનોને બહાર કાઢવા પર કેન્દ્રિત છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir