બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Dinesh
Last Updated: 10:43 PM, 10 January 2023
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નીલગાયનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે જેના પગલે ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થઇ રહ્યુ છે. બોટાદ, બનાસકાંઠા, સાંબરકાંઠા સહિતના જિલ્લાઓમાં નીલગાયનો ત્રાસ વધી રહ્યો છે. જેથી સરકાર દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે તેવી ખેડુતો માંગ કરી રહ્યા છે. જે બાબતે VTVએ મહામંથનમાં કૃષિમંત્રી સાથે ખાસ વાતચીત કરી છે. જુઓ મહામંથન...
નીલગાય મુદ્દે કૃષિમંત્રીનું નિવેદન
કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોના ઉભા પાકને જંગલી ભૂંડ અને નીલગાય દ્વારા ખૂબ નુકસાન કરવામાં આવે છે, ઉભા પાકમાં થતું આ નુકસાન અટકાવવા માટે રાજ્ય સરકારે ગંભીરતા પૂર્વક પ્રયત્નો હાથ ધર્યો છે. તેમણે કહ્યું કે, જે માટે સરકારે બે યોજના દાખલ કરી છે જેમાં એક કાંટાળા તારની વાડની યોજના અને બીજી સોલાર ઝાટકા તારની યોજના છે. આ મારફતે ખેડૂતો ખેતીના પાકને નુકસાન થતો અટકાવી શકે છે. તેમણે ઉમેર્યું કે, આ પ્રશ્ન ગંભીર છે, કારણ કે, રોઝ અને ભૂંડની દિન-પ્રતિદિન સંખ્યા વધી રહી છે.
કાંટાળી તાર અને સોલાર ઝાટકા તાર યોજના
કૃષિમંત્રીએ કહ્યું કે, ખેડૂતોના ઉભા પાકના નુકાસનને અટકાવવા માટે કાંટાળી તાર અને સોલાર ઝાટકા તાર આ બંન્ને યોજના અમલમાં છે તેમજ આ બંન્ને યોજનાનો લાભ લઈ પાકને નુકસાન થતો અટકાવી શકાય તેમ છે તેમણે જણાવ્યું કે, બીજા કોઈ વળતર માટે હાલમાં કોઈ રાજ્ય સરકારની વિચારણા નથી.
બોટાદમાં નીલગાયથી ખેડૂતો પરેશાન
બોટાદના શિરવાણીયા, ઢાકણીયા, રંગપર, તુરખા, હળદર ,ભદ્રાવડી, નાવડા, ધુરફણીયા, ઉગામેડી સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નીલગાયનો રોજનો ખુબજ ત્રાસ છે જેથી ખેડુતો હેરાન પરેશાન થઈ રહ્યા છે જેથી સરકાર દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે તેવી ખેડુતો માંગ કરી રહ્યા છે.
સાબરકાંઠામાં જંગલી ડુક્કર અને નીલગાયનો આતંક
સાબરકાંઠામાં જંગલી ડુક્કર અને નીલગાયનો આતંક જોવા મળી રહ્યો છે. જગતનો તાત જંગલી ડુક્કર અને નીલગાયના ત્રાસથી રાત્રે ઉજાગરા કરવા મજબૂર બન્યો છે. સાબરકાંઠામાં જંગલી ડુક્કર અને નીલગાયના આંતકથી ખેડૂતો પણ પોતાને સુરક્ષિત મહેસુસ કરી રહ્યાં નથી. થોડા સમય પહેલાં વડાલીના રામપુર વાસણામાં જંગલી ડુક્કરે ખેડૂત પર જીવલેણ હુમલો કર્યો હતો. જે ડુક્કરના હુમલામાં 3 ખેડૂતો ઈજાગ્રસ્ત થયા હતા
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh