બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / According to research, antibodies remain in the body for a lifetime after recovery from the corona
Arohi
Last Updated: 01:53 PM, 26 May 2021
કોરોનાવાયરસના કારણે આખી દુનિયા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. એવામાં જો કોઈ રાહતની ખબર સામે આવે તો હાંસ થાય છે. આવી જ એક ખબર આમે આવી છે વોશિગંટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનમાંથી. અહીંના સંશોધકોએ કહ્યું છે કે કોરોનાના હલ્કા લક્ષણ ધરાવતા દર્દીઓ હંમેશા કોરોનાથી લડી શકે છે. એટલે કે શરીરમાં કોરોના વિરૂદ્ધ એન્ટી બોડી હંમેશા બનતી રહેશે. સાથે જ કોરોના વાયરસ સામે સંઘર્ષ કરતું રહે છે. સૌથી મોટી ખબર એ છે કે કોરોના સંક્રમણના પહેલા લક્ષણના 11 મહિના બાદ ફરીથી એન્ટીબોડી વિકસિત થઈ શકે છે.
કોરોનાથી સાજા થયા બાદ પણ કામ કરતા રહે છે એન્ટી બોડી સેલ્સ
અમેરિકાના સેન્ટ લુઈસ સ્થિત વોશિંગટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના રિસર્ચર્સની આ સ્ટડી સાયન્સ જર્નલ નેચરમાં 24 મેના રોજ પ્રકાશિત થઈ છે. સાયન્ટિસ્ટ્સએ જણાવ્યું કે કોરોના સંક્રમણની સાજા થયાના થોડા મહિનાઓ બાદ પણ લોકોમાં કોરોના વાયરસ સાથે લડવાની એન્ટીબોડી સેલ્સ કામ કરતા રહે છે.
એન્ટીબોડી જીવનભર શરીરમાં રહે છે
કોરોના વાયરસ વિરૂદ્ધ આ કોષિકાઓ પ્રતિરોધક ક્ષમતા વિકસિત કરે છે. ચોકાવનારો ખુલાસો એ છે કે એન્ટીબોડી જીવનભર તમારા શરીરમાં રહે છે. એટલે કે તમારા શરીરમાં તમારા સંપૂર્ણ જીવનકાળ સમયે આ પ્રતિરોધક ક્ષમતા બની રહેશે.
વોશિંગટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના એસોસિએટ પ્રોફેસર અને આ સ્ટડીના લેખકે કહ્યું કે કોરોના વાયરસની પહેલી લહેર એટલે કે ગયા વર્ષે ગરમીઓની સિઝનમાં એવી ખબરો સામે આવી હતી કે સંક્રમણ બાદ એન્ટીબોડી વધારે દિવસો સુધી શરીરમાં નથી રહેતી. પરંતુ આ વાત સાચી નથી. સંક્રમણ બાદ એન્ટીબોડી ઓછી થાય છે. ઈમ્યૂનિટી પણ કમજોર થઈ જાય છે પરંતુ ફરી તે રિકવર પણ થઈ જાય છે.
અલી એલબેડીએ કહ્યું કે સંક્રમણ બાદ શરીરમાં ઈમ્યૂનિટી ઓછી થવી એક સામાન્ય બાબત છે. પરંતુ તે ખતમ નથી થતી. એમે તપાસમાં જોયું કે પહેલા લક્ષણના 11 મહિના બાદ પણ લોકોના શરીરમાં એન્ટીબોડી બનતી રહે છે. આ એન્ટીબોડી સેલ્સ જીવનભર માટે લોકોને કોરોના સંક્રમણથી બચવામાં મદદ કરે છે. તે ક્યારેય ખતમ નથી થતા.જેવો વાયરસનો શરીર પર હુમલો થાય છે તે ફરી જાગી જાય છે અને વાયરસ સાથે સંઘર્ષ કરે છે.
એન્ટીબોડી જે કોષિકાઓમાં બને છે તેને પ્લાઝમાં સેલ્સ કહેવામાં આવે છે
અલી એલબેડીએ જણાવ્યું કે કોરોના સંક્રમણ સમયે જે એન્ટીબોડી વિકસિત થાય છે તે ઈમ્યૂનિટી સેલ્સને વહેચી નાખે છે. ધીરે ધીરે લોહીમાં પહોંચી જાય છે. જેના કારણે એન્ટીબોડીનું સ્તર શરીરમાં ઝડપથી વધવા લાગે છે. આ એન્ટીબોડી જે કોષિકાઓમાંથી બને છે તેને પ્લાઝમાં સેલ્સ કહેવામાં આવે છે.
પ્લાઝમાં શરીરમાં હાજર બોન મેરોમાં જઈને રહે છે. જોકે તેની સંખ્યા ઓછી થઈ જાય છે. પરંતુ જેવા શરીરમાં વાયરસ આક્રમણ કરે છે તે સક્રિય થઈ જાય છે અને વિભાજીત થઈને પોતાની સંખ્યા વધારી લે છે અને વાયરસ સાથે યુદ્ધ કરી લે છે. આ એન્ટીબોડી શરીરને કોરોના વાયરસ સંક્રમણથી બચાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ