બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Accident between 2 trucks, car and rickshaw in Banaskantha, 4 died in rickshaw fire
Kiran
Last Updated: 12:52 PM, 8 October 2021
રાજ્યમાં રોડ અકસ્માતના બનાવમાં વધારો થયો છે ત્યારે બનાસકાંઠા ડીસામાં આજે ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી, જેમાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કાર અને રીક્ષા ચાલક અડફેટે આવી જતા રીક્ષામાં આગ લીગી જવા પામી હતી, તો કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.
બે ટ્રક,કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત
જો કે આ અકસ્માતમાં રીક્ષામાં આગ લાગતા રીક્ષામાં સવાર ચાર મુસાફરોના મોત નિપજ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે રોડ પર બે ટ્રક સામ સામે અથડાતા રોડ પર કાર અને રીક્ષા ચાલક પણ અકસ્માતની અડફેટે આવી ગયા હતા જેમાં રીક્ષામાં આગ લાગી જતા રીક્ષામાં બેઠેલા મુસાફરોનું સળગી જતા મોત ચારેય મુસાફરોનું મોત નિપજ્યું હતો, ઘટનાને પગલે રોડ પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતા જ્યારે અકસ્માતમાં ટ્રકમાં પણ આગ લાગી જતા ટ્રક પણ બળવા લાગ્યો હતો જો કે ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગ કાબૂ કરી હતી. અકસ્માતની જાણ ફાયર વિભાગે કરતા ફાયર ટીમ ઘટના સ્થળે આવી પહોંચી અને પાણીનો માર ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
અકસ્માત બાદ રિક્ષામાં લાગી આગ
જો કે અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, અકસ્માતની જાણ પોલીસે કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ટ્રાફિકને નિયંત્રિત કર્યો હતો જ્યારે અકસ્માત બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી, અકસ્માતની જાણ પોલીસે પરિવારજનોને કરતા મૃતકોના પરિવારમાં મોતનો માતમ છવાય ગયો હતો અને પરિવારમાં શોકનું મોજું ફરિવળ્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ