ન્યૂ દિલ્હીઃ વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ પહેલા જ કલાકમાં ટીમ ઇન્ડીયાની બેટિંગને લઇ પોલ ખુલી ગઇ છે. વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારા જેવાં ટેસ્ટનાં ઉત્તમ બેટ્સમેનોને વિન્ડીઝ બેટ્સમેનોએ શરૂઆતમાં જ પવેલિયન પરત મોકલી દીધાં છે. 5 વર્ષમાં ભારતની આ ટેસ્ટમાં અત્યાર સુધીની સૌથી ખરાબ શરૂઆત રહી છે.
એંટીગા ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝનાં કેપ્ટન જેસન હોલ્ડરે ટૉસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો. કેપ્ટનનાં નિર્ણયને સાચો સાબિત કરતા બેટ્સમેનોએ રમત પહેલાં જ કલાકમાં ટીમ ઇન્ડીયાની ત્રણ વિકેટ લેવાઇ ગઇ. મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા અને કેપ્ટન કોહલી સસ્તામાં જ નીપટાઇ ગયાં. આઠ ઓવર ખતમ થતાં પહેલા ભારતે 25 રનનાં સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.
રોચ અને ગ્રૈબિએલે મચાવ્યો કહેરઃ
ઇનિંગની શરૂઆતમાં જ ભારતને કેમાર રોચે ઝટકો આપ્યો. પાંચમી ઓવરનાં બીજા બોલ પર રોચ મયંકને અંદાજે 5 રનનાં સ્કોર પર પરત મોકલી દીધાં. ત્યાર બાદ રોચનાં આગામી શિકાર પુજારા બન્યાં. માત્ર 4 બોલ રમ્યા બાદ તેઓ 2 રન બનાવીને આઉટ થઇ ગયાં. ત્યાર બાદ શૈનન ગ્રૈબ્રિએલે કેપ્ટન કોહલીને 9 રનનાં સ્કોર પર આઉટ કરી ભારતને મોટો ઝટકો આપ્યો.
5 વર્ષ બાદ થઇ ભારતની આવી ખરાબ હાલતઃ
આ છેલ્લાં પાંચ વર્ષમાં ટેસ્ટમાં ભારતની સૌથી ખરાબ શરૂઆત રહી છે. આ પહેલાં વર્ષ 2014માં ટીમ ઇન્ડીયાએ પ્રથમ ઇનિંગમાં અંદાજે 8 ઓવર અંદર પોતાનાં ત્રણ શરૂઆતનાં બેટ્સમેન ગુમાવ્યાં હતાં. મૈનચેસ્ટરમાં ઇગ્લેન્ડ વિરૂદ્ધ રમવામાં આવેલ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં 5.1 ઓવરમાં ટૉપનાં ચાર બેટ્સમેન અંદાજે 8 રનનાં સ્કોર પર પરત ફર્યા હતાં. આ મેચની પ્રથમ ઇનિંગમાં ભારતીય ટીમ અંદાજે 152 રનો પર આઉટ થઇ ગઇ હતી.