બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 364 new cases of corona have been reported in the state

કોવિડ અપડેટ / સતર્ક રહેજો.! ગુજરાતમાં અચાનક કોરોના કેસમાં જંગી ઉછાળો, 400 નજીક પહોંચ્યો આંકડો, અમદાવાદમાં 7 દિવસમાં 6 મોત

Dinesh

Last Updated: 09:56 PM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોનાના કેસમાં સામાન્ય વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે, આજે રાજ્યમાં કોરોનાના 364 નવા કેસ નોંધાયા છે જ્યારે 348 દર્દી સ્વસ્થ થયા છે.

  • અમદાવાદ જિલ્લામાં 152 કેસ નોંધાયા
  • એક્ટિવ કેસ 1947, 3 દર્દીઓ વેન્ટિલેટર પર
  • રાજ્યમાં એક્ટીવ કેસ 1947


ગુજરાતમાં કોરોનાનો સામાન્ય વધારો-ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ રોજિંદા કેસ 200થી 300 વચ્ચે આવી રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાના રોજિંદા સંક્રમિત દર્દીઓમાં સામાન્ય વધઘટ જોવા મળી રહ્યો છે. તેમજ કોરોનાને લઈ વહીવટી તંત્ર પણ સજાગ અને સજ્જ બન્યું છે તેમજ હોસ્પિટલમાં મોક ડ્રિલનું પણ આયોજન કરાઈ રહ્યું છે. આજે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે રાજ્યમાં કોરોનાના 364 પોઝીટિવ કેસ નોંધાયા છે.

24 કલાકમા 364 કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાના કેસોમાં ગઈકાલ કરતા વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમા 364 કેસ નોંધાયા છે. રાજ્યામાં 1947 એક્ટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 148 તેમજ અમદાવાદ ગ્રામ્યમાં 4 કેસ નોંધાયા છે વડોદરામાં 40 સુરત મહેસાણામાં 36-36 કેસ સામે આવ્યા છે. પાટણમાં 15 રાજકોટ વલસાડ11-11 કેસ અને ભરૂચ-9 આણંદ 9 સાબરકાંઠા 7 કેસ નોંધાયા છે. ગાંધીનગર 9 મોરબી 5 નવસારી 5 કેસ નોંધાયા છે. કચ્છ 4 બનાસકાંઠા 3 ગીરસોમનાથ 2 અને પચંમહાલ 2 અમરેલી 1 દાહોદ 1 કેસ નોંધાયો છે.  ખેડા 1 મહિસાગ 1 પોરબંદર 1 અને સુરેન્દ્રનગર 1 તાપી 01 ભાવનગર 1 કેસ નોંધાયો છે તેમજ રાજ્યમા આજે એક દર્દીનુ મોત થયું છે.તેમજ 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે

348 દર્દીઓ કોરોનાથી સાજા થયા
ગુજરાતમાં આજે કોરોનાના 364 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.99 ટકા નોંધાયો છે. તેમજ આજે 348 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 1947 કોરોનાના એક્ટિવ કેસ છે. 

માર્ચ-અપ્રિલમાં કોરોના 17 લોકોના મોત થયા 
રાજ્યમાં કોરોનાથી માર્ચ અને અપ્રિલ મહિનામાં 17 લોકોના મોત થયા છે. 04 એપ્રિલના અમદાવાદના બોપલમાં રહેતા 71 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. 06 એપ્રિલના ગોમતીપુરના 59 વર્ષીય યુવકનું મોત થયું હતું. ત્યારે 08 એપ્રિલના એક જ દિવસમાં ત્રણ દર્દીના મોત થયા છે. ભાવનગરમાં પણ 1 દર્દીનું મોત થયું છે. તો આજે અને ગઈકાલે અમદાવાદમાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે. આમ અપ્રિલમાં 7 અને માર્ચમાં નવ લોકોના કોરોનાથી મોત થયાં છે

કોરોનાથી બચવાના ઉપાય
માથાનો દુખાવો, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, શરદી, તાવ વગેરેની સમસ્યાને સામાન્ય ન ગણો. તે કોરોના પણ હોઈ શકે છે. તાત્કાલિક નિષ્ણાતનો સંપર્ક કરો. જો તમારી આસપાસ કોઈ સંક્રમિત વ્યક્તિ હોય તો તેનાથી સંપૂર્ણ અંતર રાખો. ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરીને જ જાઓ. છીંક આવે કે ખાંસી આવે ત્યારે હાથને સેનિટાઈઝ કરો. જાહેર સ્થળોની સપાટીને સ્પર્શ કરવાનું ટાળો અને જો તમે કરો છો તો તરત જ તમારા હાથને સેનિટાઈઝ કરો. સમયાંતરે તમારા હાથ ધોવાનું ચાલુ રાખો. જો તમને તમારી અંદર કોવિડ-19ના લક્ષણો દેખાઈ રહ્યા છે તો તમારી જાતને ક્વોરોન્ટાઈન કરો.

કોરોના અને ફ્લૂના ફેલાવાને નિયંત્રિત કરવા માટે  એડવાઇઝરી 
1. લોકોએ ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ. આ સમય દરમિયાન, વૃદ્ધ લોકો માટે તેમના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.
2. તમામ પ્રકારની હોસ્પિટલોમાં ડોક્ટરો અને દર્દીઓ તેમજ કર્મચારીઓએ માસ્ક પહેરવું જરૂરી છે.
3. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે બધાએ જાહેર સ્થળોએ માસ્ક પહેરવા જોઈએ.
4. ઉધરસ અથવા છીંક આવે તો તમારા મોઢાને સાફ રૂમાલ અથવા ટિશ્યુ પેપરથી ઢાંકી દો.
5. એડવાઇઝરી અનુસાર તમારા હાથને વારંવાર ધોવા અને સેનિટાઇઝ કરો.
૬. જાહેર સ્થળોએ થૂંકવાનું સંપૂર્ણપણે ટાળો.
7. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો તમને કોરોના વાયરસ અથવા ફ્લૂના પ્રારંભિક લક્ષણો દેખાઈ રહ્યા છે, તો તરત જ પોતાનો ટેસ્ટ કરાવો.
8. જો તમે ફ્લૂથી પીડિત છો અથવા કોરોનાના કોઈ લક્ષણો છે, તો અન્ય લોકોને મળો નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ