બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / અમદાવાદ / 2008 serial blast case: Four wanted accused still absconding, informer to be given cash reward of so many lakhs, DGP announces
Vishal Khamar
Last Updated: 09:44 PM, 16 December 2022
વર્ષ 2008 માં સીરીયલ બોમ્બ બ્લાસ્ટે કેસમાં આખું અમદાવાદ ધ્રુજી ઉઠ્યું હતું. સીરીયલ બ્લાસ્ટ કેસનો ચુકાદો પણ આવી ગયો છે. ત્યારે ફરાર આરોપીની બાતમી આપનારને ઈનામની જાહેરાત કરવામાં આવી છે. બાતમીદારને રૂપિયા બે લાખ રોકડ ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હજુ આ કેસમાં ચાર આરોપીઓ વોન્ટેડ છે. જે ફરાર છે. રાજ્યના ડીજીપી આશિષ ભાટીયા દ્વારા આરોપીઓને પકડવાની જાહેરાત કરી છે.
અમદાવાદમાં 2008ના એ બોમ્બ બ્લાસ્ટ જ્યારે અમદાવાદ આખું ધ્રુજી ઉઠ્યું હતું. તે દરેક અમદાવાદી ક્યારેય ભૂલી નહી શકે. જોકે આ કેસમાં હવે 14 વર્ષની લાંબી લડત બાદ આરોપીઓને કોર્ટ દ્વારા 38 આરોપીઓને સજા આપવામાં આવી છે જ્યારે 11 આરોપીઓને આજીવન કેદની સજા આપવામાં આવી છે. મહત્વનું છે કે 14 વર્ષ બાદ બોમ્બ બ્લાસ્ટનો ભોગ બનનાર પીડિતોના પરિવારને ન્યાય મળ્યો છે.
11 દોષીતોને આજીવન કેદની સજા
આ સીવાય 11 દોષીતો એવા છે કે જેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તેઓ જ્યા સુધી જીવે ત્યા સુધી તેમને કેદની સજા આપવામાં આવી છે. મૃતકના પરિવારજનોને વળતર ચૂકવવાનો કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. સાથેજ જે લોકોને બ્લાસ્ટમાં ઈજા પહોચી હતી તેમને 50 હજારનું વળતર આપવું. તેમજ સામાન્ય ઈજા પહોચી હશે તેમને 25 હજારનું વળતર પણ ચૂકવવાનો આદેશ કર્યો હતો.
સરકારે કરી હતી કડક સજાની માંગ
49 લોકોને બ્લાસ્ટ મામલે દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 28 આરોપીઓને પૂરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યા છે. જોકે રાજ્ય સરકારે દોષીતોને કડક સજા થાય તેવી માંગ કરી હતી. આ 49 લોકોને બ્લાસ્ટ મામલે દોષિત જાહેર કરવામાં આવ્યા હતાં, જ્યારે 28 આરોપીઓને પૂરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યા છે.
આરોપીઓ વિરુદ્ધ કઈ કલમ?
ઇન્ડિયન પીનલ કોડ 1860 ની કલમ 120(બી), 121(એ), 124(એ), 153(ક)(૧)(ખ), 302, 307, 326, 435, 427, 465, 467, 471, 212 તથા એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એકટ 1908 ની કલમ 3, 5, 6, 7 તથા અનલોફુલ એક્ટિવિટી પ્રિવેંશન એકટ 1967 ની કલમ 10, 13, 16, 18, 19, 20, 23, 38, 39, 40 તથા આર્મ્સ એકટ 1959 ની કલમ 25(1)(બી)(એ), 27 તથા ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ 2000 ની કલમ 65, 66 તથા ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટ 1984 ની કલમ 3, 4 મુજબ ગુનો નોંધાયો હતો અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
આખરે દોષીતોને મળી સજા
9 ફેબ્રુઆરીએ આ 49 દોષિતમાંથી 1 દોષિત અયાઝ સૈયદે તપાસમાં મદદ કરતાં તેને સજામાંથી મુક્તિ આપવામાં આવી છે. ત્યારથી અત્યાર સુધી સજાનાં એલાન માંટે આ ચોથી સુનાવણી હતી જેમા આજે 38 આરોપીઓને ફાંસીની અને 11 આરોપીઓને આજીવન કેદની સજા આપી દેવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army