બ્રેકિંગ ન્યુઝ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
Arohi
Last Updated: 12:31 PM, 20 October 2022
છત્તીસગઢના રાયગઢમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. શહેરની મ્યુનિસિપલ ઓફિસે 'બજરંગબલી'ને પાણીના બિલ જમા કરાવવા માટે નોટિસ મોકલી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે હનુમાન મંદિર પર વોટર ટેક્સનું બિલ બાકી છે. સમગ્ર મામલો શહેરના વોર્ડ નંબર 18 દરોગાપરાનો છે. જણાવવામાં આવી રહ્યું છે કે મંદિરમાં એક પણ નળ કનેક્શન નથી, તેમ છતાં આ નોટિસ મોકલવામાં આવી છે. કોર્પોરેશનના આ પગલા સામે વોર્ડના સ્થાનિક લોકોએ વિરોધ વ્યક્ત કર્યો છે.
400 રૂપિયાના બિલની નોટિસ
રાયગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હનુમાન મંદિરને 400 રૂપિયાની નોટિસ મોકલવામાં આવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે મંદિર મેનેજમેન્ટે 15 દિવસમાં ટેક્સ ભરવાનો રહેશે. નહીં તો કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ત્યાં જ નોટિસ જાહેર થયાના સમાચાર પછી, સ્થાનિક લોકોએ વિરોધ શરૂ કર્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે કોર્પોરેશન ઓફિસે કયા આધારે હનુમાન મંદિરને નોટિસ મોકલી છે તે સમજની બહાર છે.
અમૃત મિશન હેઠળ આપવામાં આવી રહ્યા કનેક્શન
સમગ્ર મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી નિત્યાનંદ ઉપાધ્યાયે જણાવ્યું કે, વોર્ડમાં અમૃત મિશન યોજના હેઠળ મજૂરો વતી ઘરોમાં નળ જોડાણનું કામ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કામગીરીની વિગતો રાખવામાં આવી હતી અને તેની એન્ટ્રી પણ કોમ્પ્યુટરમાં કરવામાં આવી હતી. આ ક્રમમાં હનુમાન મંદિરને પણ નોટિસ મોકલવામાં આવી છે. વિસ્તારમાં સર્વેની કામગીરી ચાલી રહી છે. આ અંતર્ગત ક્યા ઘરોમાં નળ કનેક્શન છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવાનું લક્ષ્ય
અગાઉ આ વિસ્તારમાં અનેક જગ્યાએ લોકો દૂષિત પાણી પીતા હતા. જેના કારણે ઘણી બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. લોકોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે હેતુથી લોકોના ઘરોમાં નળ કનેકશન આપવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે રાયગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમૃત મિશન યોજનાના ઘણા ઘરોને નળ કનેક્શન આપવામાં આવ્યા છે. તેની સંખ્યા 20 હજારથી વધુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP