બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The lioness of Gujarat who is still remembered by people: made three world records and breathed her last on August 15
Vishal Khamar
Last Updated: 07:55 PM, 29 December 2023
અમરેલી જિલ્લાના ક્રાંકચ પંથકના લોકોએ એક સિંહણને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આ પંથકના લોકોએ "રાજમાતા" નામની સિંહણનુ સ્મારક બનાવ્યુ છે. ગામના એક ડુંગર ઉપર રાજમાતાનુ સ્મારક બનાવી "દુનિયાની સૌથી વધુ પ્રસિદ્ધ સિંહણ" તરીકે નવાજવામાં આવી છે. લીલીયા તાલુકાના ક્રાંકચમાં વન્યજીવ પ્રેમીઓએ પ્રતિમા બનાવીને સિંહણને શ્રદ્ધાંજલિ પાઠવી છે. સિંહણે લીલીયા તાલુકાને પોતાનુ નિવાસ સ્થાન બનાવ્યુ હતુ અને ઘણાં બચ્ચાંને જન્મ આપીને ક્રાંકચના વિસ્તારમાં સાવજોનુ સામ્રાજ્ય સ્થાપિત કર્યુ હતુ.
ગળામાં રેડિયો કોલર લગાવ્યુ હોવાથી સ્થાનિકો "કોલરવાલી" પણ કહેતા
સિંહણને રાજમાતાના નામથી પણ ઓળખવામાં આવતી હતી. રાજમાતાના નામે જંગલમાં લાંબા સમય સુધી જીવિત રહેવાનો, સૌથી વધુ બચ્ચાંને જન્મ આપવાનો અને 18 વર્ષની ઉંમરે એક બચ્ચાંને જન્મ દેવા સહિતના 3 વિશ્વ રેકોર્ડ બન્યા હતા. 15 ઓગષ્ટ 2020 માં સિંહણના મોત બાદ વન્યજીવ પ્રેમીઓનુ સ્મારક બનાવવાનુ સ્વપ્ન સાકાર થયુ છે. વર્ષ 2008 માં ભારતીય વન્ય જીવ સંસ્થાનના સંશોધકોએ સિંહણના ગળામાં રેડિયો કોલર લગાવ્યુ હોવાથી સ્થાનિકો "કોલરવાલી" પણ કહેતા હતા.
ક્રાંકચમાં વસેલા તમામ સિંહો રાજમાતાના સંતાનો અથવા તેમના વંશજો
મહેન્દ્રભાઈ ખુમાણ, મનોજ જોષી, જલપાન રૂપાપરા, પૂર્વેશ કાચા, ભરતભાઈ ખાચર અને વન્યજીવ પ્રેમીઓએ રાજમાતાની યાદમાં પ્રતિમા બનાવી છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ક્રાંકચમાં વસેલા તમામ સિંહો રાજમાતાના સંતાનો અથવા તેમના વંશજો છે. રાજમાતાના કારણે ક્રાંકચ પંથકમાં અનેક સિંહો વસવાટ કરી રહ્યા છે. ક્રાંકચ અને આજુબાજુના ગામડાઓમાં રાજમાતા લોકપ્રિય હોવાથી લાંબો સમય સુધી જીવિત રહી હોવા છતાં એકપણ માણસને નુકસાન કર્યુ ન હોતુ.
સિંહણે ત્રણ વિશ્વ રેકોર્ડ બનાવ્યા છેઃ મનોજ જોશી (પ્રકૃતિ પ્રેમી)
આ બાબતે પ્રકૃતિ પ્રેમી મનોજ જોશીએ જણાવ્યું હતું કે, અમે તેને ગૌરવ શાળી એટલે કહીએ છીએ કે, સિંહણે ત્રણ વિશ્વ રેકોર્ડ બનાવ્યા છે. તેમજ વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યુટે પણ તેની નોંધ લીધી છે. એમાં સૌથી વધુ વિસ્તારમાં જે ફરવા વાળી છે તે માદા રાજમાતા છે. એમને એક એ પણ રેકોર્ડ છે કે સૌથી વધુ સાત વખત તેમણે બચ્ચા આપ્યા છે. ત્રીજો રેકોર્ડએ છે કે સિંહણની 18 વર્ષની ઉંમર હતી ત્યારે તે માતા બની હતી. એક બચ્ચાને જન્મ આપ્યો હતો. ત્યારે સૌથી ગૌરવ શાળી જે છે તે રાજમાતા છે. એટલે અહીંયા તેમનું સ્ટેચ્યું પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir