બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Dinesh
Last Updated: 07:05 AM, 18 February 2023
આજે ભગવાન ભોળાનાથને રિઝવવાનો પવિત્ર તહેવાર એટલે શિવરાત્રી છે. શિવરાત્રી એટલે શિવ અને માતા પાર્વતીની પૂજાનો સૌથી મોટો તહેવાર. મહા મહિનાના વદ પક્ષની ચૌદશ તિથિએ મહાશિવરાત્રીનો પર્વ ઊજવવમાં આવે છે. શિવજીના આ વિશેષ પર્વ પર ભક્તો દ્વારા ખાસ પૂજા કરવામાં આવે છે. શિવરાત્રીના આ પર્વ સાથે જોડાયલી અનેક માન્યતાઓ અને દંતકથાઓ છે. આજના દિવસે અનેક લોકો ભક્તિ અને શ્રદ્ધાથી મહાદેવને રીઝવવાનો પ્રયત્ન કરે છે. મહાશિવરાત્રીનો આ દિવસ તમામ કાર્યો માટે શુભ માનવામાં આવે છે.
ભક્તિ અને શ્રદ્ધાથી ભોળાનાથની પૂજા-અર્ચના
મહાદેવ શિવ પાતાળની તપશ્ચર્યા પૂર્ણ કરી પર્વતાધિરાજ ગિરનારમાંથી કૈલાસ ગયાએ દિવસથી સિધ્ધક્ષેત્ર ગીરનારની તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો ભરાતો હોવાની લોકવાયકા છે.આ મેળામાં ભવનાથ, ભભુતી, ભજન અને ભોજનનો સમન્વય સર્જાય છે. મહાશિવરાત્રીનો મેળો એટલે હરિ સાથે હર અને શિવ સાથે જીવના સમન્વયનો મેળો છે. અહીં હિમાલયની ગુફાઓમાં ધ્યાન ધરતા સિધ્ધ પુરૂષો કાશ્મીરથી કન્યાકુમારી સુધી પગપાળા કરનારા સન્યાસીઓ, અખાડાના સંતો મહંતોનાં દર્શન થાય છે. ઠેકઠેકાણે સાધુસંતોની ધુણી ધખતી જોવા મળે છે.
ભક્તોત માટે જીવનભરનું દિવ્ય સંભારણું બની રહેશે
દેવાધિદેવ ભગવાન શિવના વિશેષ પૂજનનો અવસર એટલે મહાશિવરાત્રી. મહાશિવરાત્રીને કાળરાત્રી પણ કહેવામાં આવે છે ત્યારે આ દિવસે ભગવાન શિવની પૂજા માટે ભક્તોમાં ખાસ મહાત્મ્ય હોય છે.જેને ધ્યાનમાં રાખીને પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિ પર્વની પારંપરીક ઉજવણી કરાઈ રહી છે. સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષ પણ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભાવિકો માટે સુવિધાઓની વિશેષ તૈયારી કરાઈ છે. સોમનાથ મહાદેવ મંદિરે ખાતે મહા શિવરાત્રી પર્વ ને લઈ ટ્રસ્ટ દ્વારા ત્રણ દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. ત્રણ દિવસ સુધી શ્રદ્ધાળુઓ મહા મૃત્યુંજય યજ્ઞ કરી શકે તેવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ઉભી કરવામાં આવી છે. ત્યારે આ વખતે ભગવાન શિવની આરાધનાનો ઉત્સવ ભક્તોત માટે જીવનભરનું દિવ્ય સંભારણું બની રહેશે તે નક્કી છે.
હર હર મહાદેવના નાદથી ગુંજ્યા શિવાલયો
મહાશિવરાત્રીના પર્વ ને લઇને ભાવનગરમાં બ્રહ્મ સેવા સંઘના ઉપક્રમે જવાહર મેદાન ખાતે 2.15 લાખ રુદ્રાક્ષનું શિવજીનું શિવલીંગ બનાવવામાં આવ્યું છે. શિવરાત્રીના પર્વને લઇને લોકો શિવમય બન્યા છે. જવાહર મેદાનખાતે સત્તત બીજા વર્ષે પણ રુદ્રાક્ષનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે. આ શવિલિંગની ઊંચાઈ 25 ફૂટ છે. ભાવનગરમાં શિવરાત્રી પર્વને ધ્યાને લઈને બનાવાયેલા આ શિવલિંગ નિહાળવા આવતા લોકો દર્શન કરી ધન્યતા અનુભવે છે. અને મનને શાંતિ મળતી હોવાનું જણાવે છે. અહીં 1 મુખ થી લઇને 14 મુખી સુધીના રુદ્રાક્ષ ઉપયોગમાં લેવામાં આવ્યા છે. શિવરાત્રી બાદ લોકોને સામાન્ય ચાર્જ લઈને આ રુદ્રાક્ષ આપવામાં આવશે. અહીં રોજ આમંત્રીત મહેમાનો દ્વારા આરતી ઉતરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh