બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Take advantage of AMC's Property Tax Lok Durbar on this date, start sealing the property of non-taxpayers
Mehul
Last Updated: 09:24 PM, 28 February 2022
પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારા સામે એએમસીએ લાલ આંખ કરી છે. પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તેવી મિલકતોને સીલ કરાવા ઝુંબેશ શરૂ કરી છે. ટેક્સ માફીની યોજના જાહેર કર્યા બાદ પણ ટેકસ નહીં ભરનાર મિલકત ધારકોને આખરી નોટીસ આપ્યા બાદ મિલકતો સીલ કરવામાં આવી છે. છેલ્લા એક મહિનામાં જ એએમસીએ 7901 મિલકતો સીલ કરી છે. આ માટે એએમસીએ ઝોન વાઇઝ સિલિંગ ઝુંબેશ શરૂ કરી છે. કોમર્શિયલ એકમો બાદ રહેણાંક એકમો સામે પણ એએમસીએ કાર્યવાહી શરૂ કરી છે...રહેણાંક એકમોના પ્રોપર્ટી ટેક્સ ના ભરનાર મિલકત ધારકોને પણ એએમસીએ નોટીસ આપવાનું શરૂ કર્યું છે. તો અત્યાર સુધી રૂ 955 કરોડ આવક ટેક્ષ માં થઇ છે જે પાછલા વર્ષે રૂ 880 કરોડ હતી. પ્રોફેશનલ ટેક્ષ ની આવક રૂ 175 કરોડ થઇ છે. મનપા તિજોરી ને અત્યાર સુધી રૂ 1248 કરોડની ટેક્ષથી આવક થઇ છે.
મ્યુનિસિપલ તંત્ર દ્વારા આવકના એકમાત્ર સ્રોત એવા પ્રોપર્ટી ટેક્સમાં વધુ આવક મેળવવા માટે અત્યાર સુધીની સૌથી લાંબી એવી ત્રણ મહિનાની રિબેટ યોજના અમલમાં મુકાઈ છે. એક તરફ વધુ કરદાતાઓ તેમનો બાકી ટેક્સ ભરી જાય તે માટે ખાસ રિબેટ યોજના છે તો બીજી તરફ ગત તા. 1 ફેબ્રુઆરીથી સત્તાવાળાઓએ ટેક્સ ડિફોલ્ટર્સ સામે લાલ આંખ કરી છે. રૂ.એક લાખ કે તેથી વધુ ટેક્સ બાકી હોય તેવા ડિફોલ્ટર્સની કોમર્શિયલ મિલકતને તાળાં મારીને કાયદાના સાણસામાં લઈ રહ્યા છે. શહેરના સાતેસાત ઝોનમાં સીલિંગ ઝુંબેશ ચાલુ છે, જોકે બોડકદેવ, ગોતા, થલતેજ જેવા પોશ વિસ્તાર ધરાવતા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ટેક્સ વિભાગની કામગીરી નબળી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રોપર્ટી ટેક્સની આવકના મામલે વર્ષો સુધી અવલ રહેનાર પશ્ચિમ ઝોને છેલ્લા 23 દિવસમાં કુલ 1441થી વધુ મિલકતને તાળાં મારીને ડિફોલ્ર્ટર્સમાં દોડધામ મચાવી દીધી છે. સીજીરોડ, નવરંગપુરા, નારણપુરા, રાણીપ સહિતના વોર્ડમાં તંત્રની લાલ આંખથી ડિફોલ્ટર્સમાં ભારે ગભરાટ ફેલાયો છે.
4 માર્ચે AMCનો પ્રોપર્ટી ટેક્સ માટે લોક દરબાર
પ્રોપર્ટી ટેક્સની ફરિયાદોના નિવારણ માટે AMC શહેરમાં લોક દરબાર યોજશે..4 માર્ચના રોજ શહેરના 7 ઝોનમા ટેક્સની ફરિયાદો માટે વિશેષ સેવાસેતુ યોજશે...જેમાં નાગરિકોની ટેક્સ બિલ અંગેની ફરિયાદોનું નિવારણ કરવામાં આવશે..જેમાં 48 કલાકમા ફરિયાદનો નિકાલ લાવવામાં આવશે..ટેક્સ બિલમા નામ ટ્રાન્સફર , નામ સુધારા અને ટેક્સના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army