બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
VTV / ગુજરાત / Rising heat in the state, increased incidence of dehydration know the symptoms of dehydration and how to avoid it
Vishal Dave
Last Updated: 04:29 PM, 29 March 2024
રાજ્યમાં હવે વિધિવત રીતે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. બપોરના સમયે તો લોકો આગ દઝાડતી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. વાત કરીએ રાજકોટ અને તેની આસપાસના જિલ્લાઓની તો રાજકોટ સહિતના જિલ્લાઓમાં આકરો તાપ પડી રહ્યો છે. જેના કારણે લોકો મોટી સંખ્યામાં બીમાર પડી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં 44 લોકોને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ બનાવો ગરમીના લીધે લુ લાગવાના તેમજ બેભાન થવાના છે.
બપોરના સમયે રોડ રસ્તાઓ સૂમસામ
હજુ તો ઉનાળાની શરૂઆત જ થઈ છે. એવામાં લોકો અત્યારથી જ આકરો તાપ સહન કરી રહ્યા છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ ઉંચકાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. જ્યારે આકરા તાપના કારણે બપોરના સમયે રોડ રસ્તાઓ પણ સૂમસામ બન્યા છે.
મહત્તમ તાપમાન ક્યાં કેટલું ?
ગુરુવારે મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 40 ડિગ્રી, ડીસામાં 39.1, ગાંધીનગરમાં 39.6, વલ્લભ વિદ્યાનગરમાં 39.3, વડોદરામાં 39.6, સુરતમાં 37.6, વલસાડમાં 35, ભુજમાં 39.2, નલિયામાં 34, કંડલા પોર્ટમાં 33.9, અમરેલીમાં 40.8, ભાવનગરમાં 38.2, દ્વારકામાં 29.1, ઓખામાં 31.6, પોરબંદરમાં 36, રાજકોટમાં 39.8, વેરાવળમાં 30.6, સુરેન્દ્રનગરમાં 40, મહુવામાં 37.8 અને કેશોદમાં 38.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાત રાજ્યનાં વિવિધ સ્થળોએ સવારના 0830 વાગ્યે પુરા થતા 24 કલાકમાં નોંધાયેલ મહત્તમ તાપમાન pic.twitter.com/6Xb7EshfLB
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) March 29, 2024
હવામાન વિભાગ દ્વારા આગામી 15 દિવસમાં કાળઝાળ ગરમી પાડવાની પણ આગાહી કરવામાં આવી છે. એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો 46 ડિગ્રીએ પહોંચવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એટલે આગામી દિવસોમાં લૂ લાગવાના બનાવો પણ વધી શકે છે.
લૂ લાગવાના લક્ષણો
ઉનાળાની ગરમીને કારણે તાવ ચડી જાય છે, શરદી-ખાંસી પણ થાય છે, માથાંનો દુખાવો થવા લાગે, ઊલટી કે ઊબકા આવે એ પણ લૂના લક્ષણો છે. આકરો તડકો પડતો હોય ત્યારે શરીરમાં ગરમીની માઠી અસર થાય છે એ માટે ડુંગળી ખૂબ જ ગુણકારી છે. લૂથી બચવું હોય તો ડુંગળીની વાનગીઓ કરતાં કાચી ડુંગળી વધુ હિતકારી છે ડુંગળી બળપ્રદ, પચવામાં ભારે, મધુર, રુચિકર, સ્નિગ્ધ, કફકર અને ધાતુવર્ધક છે.એનાથી ઊંઘ આવે છે પાચનઅગ્નિ પ્રદીપ્ત થાય છે.
લૂથી બચવાના ઉપાય
- ઉનાળામાં લૂ ન લાગે તે માટે સફેદ કે આછા રંગના ખુલતા સુતરાઉ કપડા પહેરવા.
- સખત તાપમાં સતત કામ ન કરવું પરંતુ કામ દરમિયાન થોડા થોડા સમયે આરામ કરવો,
- કામ દરમિયાન થોડા થોડા સમયના અંતરે પાણી પીવું, જે બાજુથી ગરમ હવા આવતી હોય તે બાજુ મોઢું રાખી કામ ન કરવું પરંતુ તે બાજુ પીઠ રહે તે રીતે કામ કરવું.
- શરીરને બને તેટલો ઓછો ભાગ સુર્ય પ્રકાશમાં ખુલ્લો રહે તે જોવું તેમજ ગરમ હવા શરીરના સીધા સંપર્કમાં ન આવે તે જરૂરી છે.
- લીંબુ, ખાંડ, મીઠાનું સરબત પીવું કે ઓઆરએસનું દ્રાવણ પીવું, જરૂરિયાત વિના ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ
ડુંગળી ઉત્તમ ઇલાજ
ઉલ્લેખનીય છે કે, આ બધા ગુણોને કારણે ટીબી, હૃદયરોગ, ઊલટી કે રક્તપિત્તના દરદીઓ માટે એ ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે. તેનાથી વધારે પડતો પરસેવો અને સોજો પણ ઘટે છે. ઉનાળામાં ભૂખ ઓછી લાગે છે અને ખાવાનું પચવામાં પણ તકલીફ થાય છે. ખાવાનું રોચક બને એ માટે કાચી કેરી અને ડુંગળીનું કચુંબર ઉત્તમ દીપક અને પાચક ગણાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army