બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Ajit Jadeja
Last Updated: 02:41 PM, 29 March 2024
Rajkot Pradhuman Park : રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘના બે બચ્ચાનો જન્મ થયો છે. પ્રદ્યુમન પાર્કમાં ગાયત્રી નામની સફેદ વાઘણે બે તંદુરસ્ત બચ્ચાને જન્મ આપ્યો છે. જેથી પાર્કમાં સફેદ વાઘની સંખ્યા વધીને 10 પર પહોચી છે. કુલ 10 સફેદ વાઘમાં 3 નર વાઘ,5 વાઘણ અને 2 નવા બાળ વાઘનો સમાવેશ થયો છે. અત્યાર સુધીમાં પ્રદ્યુમન પાર્ક ઝૂમાં કુલ 15 વાઘનો જન્મ થયો છે.
રાજકોટ પ્રદ્યુમન પાર્કમાં 25મી માર્ચના સાંજે બે બાળ વાઘનો જન્મ થયો છે. માતા ગાયત્રી દ્વારા બચ્ચાંઓની પૂરતી કાળજી રાખવામાં આવે છે. હાલ માતા તથા બચ્ચા બન્ને તંદુરસ્ત છે. ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારા માતા તથા બચ્ચાંઓનું સીસીટીવી દ્વારા રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવે છે.
રાજકોટના પ્રાણી ઉદ્યાનમાં લાખો મુલાકાતીઓ આવી રહ્યા છે. ખાસ કરીને જાહેર રજા અને તહેવારોમાં ઝુ ખાતે મોટીસંખ્યામાં પ્રવાસીઓ પહોચે છે. દર વર્ષે અંદાજિત 7.50 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે.
- નર વાઘ દિવાકર તથા માદા વાઘણ યશોધરાના સંવનનથી તા.6/5/2015ના રોજ સફેદ વાઘ બાળ 1 માદાનો જન્મ.
- નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.16/05/20215ના રોજ સફેદ વાઘ બાળ 4 માદાનો જન્મ.
- નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.2/4/2019ના રોજ સફેદ વાઘ બાળ 4 (નર-2 માદા-2)નો જન્મ.
- નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.18/5/2022ના રોજ સફેદ વાઘ બાળ 2 નરનો જન્મ.
- નર વાઘ દિવાકર તથા માદા વાઘણ કાવેરીના સંવનનથી તા.5/12/2022ના રોજ સફેદ વાઘ બાળ 2 નરનો જન્મ.
અત્યાર સુધી 12 બચ્ચાને જન્મ આપ્યો
આમ સફેદ વાઘણ ગાયત્રી દ્વારા અત્યાર સુધીમાં કુલ 10 બચ્ચાંઓનો જન્મ આપી સફળતાપુર્વક ઉછેર કરવામાં આવેલ છે. રાજકોટ ઝૂ ખાતે અત્યાર સુધીમાં કુલ 15 સફેદ વાઘ બાળનો જન્મ થયેલ છે. રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતેનું કુદરતી જંગલ સ્વરૂપેનું નૈસર્ગીક વાતાવરણ સફેદ વાઘ તથા એશીયાઇ સિંહોને અનુકુળ આવી જતા સમયાંતરે ખુબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઇ રહેલ છે. રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનીક ઢબે વિકાસ કરાતા મુલાકાતીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયેલ છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army