બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Politics / Rahul Gandhi tweets on Modi government, he says Modi government's 'planned' fight against Covid

નિવેદન / રાહુલ ગાંધીનો મોદી સરકાર પર વધુ એક પ્રહાર, કહ્યું ‘કોવિડ સામે મોદી સરકારની 'સુનિયોજિત લડાઈ'

Dharmishtha

Last Updated: 09:18 AM, 12 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધી દેશના અનેક મુદ્દાઓ પર પીએમ મોદી અને મોદી સરકાર પર સતત પ્રહારો કરતા આવ્યા છે. આજે ફરી તેમણે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ જીડીપી અને કોરોનાને લઇ મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે કોવિડ સામેની મોદી સરકારની સુનિયોજિત લડાઇ છે.

  • GDPમાં ઐતિહાસિક 24%નો ઘટાડોઃ રાહુલ
  • દેશમાં 12 કરોડ નોકરીઓ છીનવાઈ ગઈઃ રાહુલ
  • 15.5 લાખ કરોડની વધારાની લોનઃ રાહુલ

જીડીપીમાં ઐતિહાસિક 24 ટકાનો ઘટાડો થયો છે. દેશમા 12 કરોડ નોકરી છીનવાઇ ગઇ છે. 15.5 લાખ કરોડની વધારાની લોનનું ભારણ છે. અને વિશ્વમાં રોજ ભારતમાં સૌથી વધુ કેસ નોંધાય છે. છતા પણ સરકાર કહે છે કે બધુ બરાબર છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે, મોદી સરકારની નીતિઓના કારણે દેશમાં કરોડો નોકરીઓ જતી રહી છે, જ્યારે GDPમાં ઐતિહાસિક ઘટાડો થયો છે. જેના કારણે ભારતીય યુવાઓનું ભવિષ્ય જોખમમાં મુકાઇ ગયું છે. આવો સરકારને તેમનો અવાજ સંભળાવીએ.

આ ઉપરાંત પણ રાહુલે પોતાની ટ્વીટમાં અગાઉ લખ્યું હતું કે કે અચાનક કરવામાં આવેલ લોકડાઉન અસંગઠિત વર્ગ માટે મૃત્યુદંડ જેવું સાબિત થયું  છે. 21 દિવસમાં કોરોના ખતમ કરવાનો વાયદો હતો પરંતુ કરોડો રોજગાર અને નાના ઉદ્યોગ ખતમ કર્યા. મોદી જીનો જનવિરોધી ડિઝાસ્ટર પ્લાન જાણવા માટે વીડિયો જોવો. 

રાહુલ ગાંધીએ આ મુદ્દે એક વીડિયોમાં કહ્યું હતુ કે કોરોનાના નામ પર જે કરવામાં આવ્યું તે અસંગઠિત ક્ષેત્ર પર ત્રીજુ આક્રમણ ત્રીજો વાર હતો પરંતુ ગરીબ લોકો રોજ કમાય છે અને રોજ ખાય છે . નાના મધ્યમ વર્ગના વ્યાપારની સાથે પણ આમ જ થયુ છે. નોટિસ વગર લોકડાઉન કરી તમે તેના પર આક્રમણ કર્યુ. પ્રધાનમંત્રી જીએ કહ્યું કે 21 દિવસમાં લડાઈ થશે. અસંગઠિત ક્ષેત્રની કરોડરજ્જુનું હાડકુ તુટી ગયુ.’ રાહુલ ગાંધી વારંવાર ટ્વીટ કરીને દેશના અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરતા આવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ