બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi's political rise took place from Somnath in 1990
Malay
Last Updated: 09:21 AM, 20 November 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. PM મોદી સવારે 10 વાગ્યે સોમનાથ મંદિર પહોંચશે અને 10.15 વાગ્યે મંદિરમાં પૂજા અર્ચના કરશે. આ પછી તેઓ 10.45 વાગ્યે મંદિરથી નીકળશે અને રેલી સ્થળ પર પહોંચશે. PM મોદી વેરાવળમાં સવારે 11 વાગ્યે, ધોરાજીમાં બપોરે 12:45 વાગ્યે, અમરેલીમાં 2:30 વાગ્યે અને બોટાદમાં સાંજે 6:15 વાગ્યે જનસભાને સંબોધશે. પીએમ મોદીનો સોમનાથ સાથે જૂનો સંબંધ છે. એવું કહેવામાં આવે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાજકીય ઉદય જ સોમનાથથી થયો છે.
અહીંથી શરૂ થઈ છે કહાની
નરેન્દ્ર મોદીના પહેલા મુખ્યમંત્રી અને પછી વડાપ્રધાન બનવાની કહાની અહીંથી શરૂ થઈ છે. નરેન્દ્ર મોદી સોમનાથનું મહત્વ જાણે છે, તેથી જ તેમણે સોમનાથના વિકાસ માટે માસ્ટર પ્લાન તૈયાર કર્યો અને તેનો અમલ કરી રહ્યા છે.
સોમનાથથી બન્યા અડવાણીના સારથી
ભાજપના તત્કાલિન ફાયર બ્રાન્ડ નેતા લાલકૃષ્ણ અડવાણીએ વર્ષ 1990માં શ્રી રામ જન્મભૂમિ આંદોલનને એક નવી દિશા આપી હતી. અડવાણીની રથયાત્રામાં હાથમાં માઈક પકડેલા મોદીના સંઘર્ષોની તસવીરને ભૂલાવી શકાય તેમ નથી. આમ તો લાલકૃષ્ણ અડવાણીની આ રથયાત્રાના સંયોજક પ્રમોદ મહાજન હતા, પરંતુ પ્રથમ તબક્કાનો ગુજરાતના સોમનાથથી આરંભ થવાનો હતો એટલા માટે આ યાત્રાની જવાબદારી નરેન્દ્ર મોદીને સોંપવામાં આવી હતી.
રથયાત્રાથી ગુજરાતમાં બની લહેર
આ રથયાત્રા બાદ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં એક લહેર ઉઠી. જેના પરિણામે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની. તેના થોડા સમય બાદ અટલ બિહારી વાજપેયીએ ગુજરાતની કમાન નરેન્દ્ર મોદીને સોંપી હતી અને નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફર નક્કી કરી.
તાજેતરમાં જ કરવામાં આવ્યું છે સોમનાથનું રિનોવેશન
પીએમ મોદીએ તાજેતરમાં સોમનાથમાં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આમાં સોમનાથ સમુદ્ર દર્શ વોક વે, સોમનાથ પ્રદર્શન કેન્દ્ર અને અહલ્યાબાઈ હોલકર મંદિરના પરિસરનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ સોમનાથ મંદિરની સામે જ પાર્વતી મંદિરનું ભૂમિ પૂજન કર્યું હતું.
માતા પાર્વતીનું મંદિર
સોમનાથ મંદિરની સામે જ 30 કરોડના ખર્ચે માં પાર્વતીનું મંદિર બનાવવામાં આવશે. માતા પાર્વતીનું આ મંદિર સફેદ પથ્થરોથી બનાવવામાં આવશે અને તેની ઉંચાઈ લગભગ 71 ફૂટ હશે. તેમણે કહ્યું કે, આ મંદિર સોમનાથ મંદિરની બરાબર સામે હશે. આ મંદિરનું નિર્માણ 66 સ્તંભો સાથે કરાશે અને તેનું ક્ષેત્રફળ 18,891 ફૂટ હશે.
સોમનાથનું રાજકીય મહત્વ શું છે?
સૌરાષ્ટ્રની 53 બેઠકોમાંથી જે પક્ષને સૌથી વધુ બેઠકો મળશે તે ગુજરાતમાં સરકાર બનાવશે. ભાજપને અહીંથી ચૂંટણીમાં જોરદાર લીડ મળી છે. આ જ કારણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં ચાર સભાઓ કરી રહ્યા છે. મોદી વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરનું સંચાલન કરતા ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે. આ પદ સંભાળનાર તેઓ બીજા વડાપ્રધાન છે. પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ પછી નરેન્દ્ર મોદી આ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નિયુક્ત થનારા બીજા વડાપ્રધાન છે. ટ્રસ્ટના રેકોર્ડ મુજબ મોદી ટ્રસ્ટના આઠમા અધ્યક્ષ બન્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army