બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / PM Modi reached Mathura and visited Shri Krishna Janmabhumi Temple, Video
Vaidehi
Last Updated: 07:11 PM, 23 November 2023
ભગવાન શ્રીકૃષ્ણની નગરી મથુરામાં વ્રજ રજ ઉત્સવ ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વ્રજ રજ ઉત્સવમાં સામેલ થવા માટે ગુરુવારે સાંજે મથુરા પહોંચ્યાં. જ્યાં તેમણે શ્રીકૃષ્ણ જન્મભૂમિનાં દર્શન કર્યાં. PM મોદીની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જોડાયા હતાં. પ્રધાનમંત્રીની આ યાત્રાને ધ્યાનમાં લેતાં મથુરાને અભેદ્ય કિલ્લાનાં સ્વરૂપમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું છે. ચારેય તરફ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યાં છે.
#WATCH | Mathura, Uttar Pradesh: At the ‘Saint Mirabai Janmotsav’ programme, PM Modi says, "... Family of Mira Bai and the people of Rajasthan sacrificed everything they had... For the protection of our religious sites, the people of Rajasthan stood in between like a wall so that… pic.twitter.com/2evAUya0j2
— ANI (@ANI) November 23, 2023
PM મોદીએ શ્રીકૃષ્ણ જન્મભૂમિ પર આપ્યું ભાષણ
PM મોદીએ કહ્યું કે હું ક્ષમા ઈચ્છું છું કે ચૂંટણીનાં કાર્યોમાં વ્યસ્ત હતો એટલે થોડું મોડું થઈ ગયું. પણ આજે મારું સૌભાગ્ય છે કે વ્રજ અને વ્રજવાસીઓનાં દર્શનનો અવસર મળ્યો છે. અહીં એ જ આવે છે જેને કૃષ્ણ બોલાવે છે. મથુરાનાં આ સમારોહમાં આવવું એટલા માટે પણ ખાસ છે કારણકે ભગવાન શ્રીકૃષ્ણથી લઈને મીરાબાઈ બંનેનો ગુજરાત સાથએ અલગ જ સંબંધ છે. મથુરાનાં કાન્હાએ અહીંથી ગુજરાતમાં જઈને દ્વારકા બનાવી અને તેમની મહાન ભક્ત મીરાબાઈએ રાજસ્થાનથી આવીને અંત સમય ગુજરાતમાં વિતાવ્યો.
#WATCH | Prime Minister Narendra Modi arrives in Mathura, Uttar Pradesh and offers prayers at Shri Krishna Janmabhoomi temple pic.twitter.com/By2D2sX9Bq
— ANI (@ANI) November 23, 2023
525 રુપિયાનો સિક્કો લોન્ચ
કૃષ્ણ જન્મભૂમિ મથુરામાં મીરાબાઈની 525મી જન્મજયંતી મહોત્સવ નિમિત્તે મથુરાથી PM મોદીએ 525 રુપિયાનો સિક્કો લોન્ચ કર્યો. કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશ CM યોગી અને રાજ્યપાલ આનંદી પટેલ પણ હાજર રહ્યાં.
કૃષ્ણ નગરીમાં PM મોદી
PM મોદીની સુરક્ષામાં IPS, એડિશનલ એસ.પી, DSP, ઈંસ્પેક્ટર અને સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યાં છે. સંત મીરાબાઈની 525મી જયંતિનાં ઉપલક્ષે વ્રજમાં રજ ઉત્સવ ઊજવવામાં આવી રહ્યો છે. PM એ શ્રી કૃષ્ણ જન્મભૂમિનાં દર્શન કર્યાં અને પૂજા-અર્ચના પણ કરી.
#WATCH | Prime Minister Narendra Modi offers prayers at Shri Krishna Janmabhoomi temple, in Mathura, Uttar Pradesh pic.twitter.com/Oc0k1i5Cma
— ANI (@ANI) November 23, 2023
વ્રજ રજ ઉત્સવમાં સામેલ થશે
પૂજા અર્ચના બાદ PM મોદી વ્રજ રજ ઉત્સવમાં જોડાશે. કાર્યક્રમનું આયોજન ધૌલીપ્લાઉ સ્થિત રેલ્વે ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે. કાર્યક્રમ સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે. PM મોદીની આ યાત્રાથી કૃષ્ણ ભક્તોમાં હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે PM મોદી મીરાબાઈનાં નામે ટપાલ ટિકીટ પણ જારી કરી શકે છે. મીરાબાઈનાં જન્મદિવસ પર થનારા આ ઉત્સવમાં એક્ટ્રેસ હેમા માલિની પણ જોડાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir