બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Vaidehi
Last Updated: 07:56 PM, 27 November 2023
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે 26 નવેમ્બર 2023નાં મન કી બાતનાં 107માં એપિસોડમાં દેશથી બહાર થતાં ડેસ્ટિનેશન વેડિંગને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી. તેમણે દેશથી બહાર જઈને લગ્ન કરવાનાં ટ્રેન્ડને લઈને ચિંતા વ્યક્ત કરી.
દેશનો પૈસો દેશમાં જ રહેશે-PM
PM મોદીએ કહ્યું કે," લગ્નની સીઝન આવી ગઈ છે અને મને એખ વાત ઘણાં લાંબા સમયથી પરેશાન કરી રહી છે. આજકાલ કેટલાક પરિવારોમાં વિદેશમાં જઈને લગ્ન કરવાનું વાતાવરણ બનતું જઈ રહ્યું છે. શું આ જરૂરી છે? ભારતની ધરતીમાં, ભારતનાં લોકોની વચ્ચે જો આપણે લગ્ન કરીએ તો દેશનો પૈસો દેશમાં જ રહેશે. દેશનાં લોકોને તમારાં લગ્નમાં કંઈકને કંઈક સેવા કરવાનો મોકો મળશે, નાના-નાના ગરીબ લોકો પણ પોતાના બાળકોને તમારા લગ્નની વાતો કહેશે. શું તમે વોકલ ફોલ લોકલનાં આ મિશનને વિસ્તાર આપી શકો છો? આપણે લગ્ન જેવા સમારોહ આપણાં દેશમાં કરવા જોઈએ...હું આશા રાખું છું કે મારી આ પીડા એ મોટા-મોટા પરિવારો સુધી જરૂરથી પહોંચશે."
અર્થવ્યવ્સથા વધુ મજબૂત બનશે
મન કી બાતમાં પ્રધાનમંત્રીનાં સંબોધન પર પ્રવીન ખંડેલવાલે કહ્યું કે પીએમ મોદીએ એક ખુબ જરૂરી મુદો ઊઠાવ્યો જે નિશ્ચિત રૂપે ભારતીય રૂપિયાને દેશની બહાર ખર્ચ કરવાથી રોકી દેશે જેથી અર્થવ્યવ્સથા વધુ મજબૂત બનશે. તેમણે કહ્યું કે કોઈ પણ લગ્નમાં મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળે છે જે ભારતમાં લગ્ન કરવાથી દેશનાં લોકોને મળશે. તેમણે કહ્યું કે એક લગ્નમાં લગભગ 80% ખર્ચ વસ્તુ અને સેવાદાન પર કરવામાં આવે છે અને જ્યારે બજારમાં આ પૈસો પ્રવાહિત થાય છે ત્યારે પૈસા લોકોનાં હાથમાં નાણાકીય તરલતા પ્રદાન કરે છે. તેનાથી અર્થવ્યવસ્થા અને ભારતીય વેપારને મદદ મળે છે.
4.74 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ
પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે,દેશની બહાર થતાં લગ્નો દેશ તેમજ અર્થવ્યવસ્થાને નુક્સાન પહોંચાડે છે કારણ કે વિદેશની ધરતી પર થતા ખર્ચથી દેશને કોઈ ફાયદો થતો નથી. કેટના તાજેતરના અહેવાલ અનુસાર 23 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી 4.74 લાખ કરોડ રૂપિયાના ખર્ચ સાથે દેશમાં લગભગ 38 લાખ લગ્નોનું આયોજન કરવામાં આવશે, જે ભારતના વેપાર અને અર્થતંત્ર માટે એક મોટું વરદાનરૂપ સાબિત થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir