બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / ધર્મ / Pitru Paksha 2023: Buying these items for 16 days during Pitru Paksha is considered inauspicious
Megha
Last Updated: 08:36 PM, 28 September 2023
પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ, દાન અને ગરીબોને ભોજન કરાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. આ વર્ષે 29 સપ્ટેમ્બરથી શ્રાદ્ધની શરૂઆત થઈ રહી છે, જે 14 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ માટે તર્પણ અને શ્રાદ્ધ વિધિ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દરમિયાન, પિતૃઓના મોક્ષ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે, પરંતુ તેમના પ્રત્યે આદર પણ વ્યક્ત કરવામાં આવે છે.
પિતૃપક્ષ દરમિયાન કેટલીક વસ્તુઓ ખરીદવાથી પૂર્વજો નારાજ થઈ શકે
એવામાં ખાસ ધ્યાન રાખો કે પિતૃ પક્ષના આ દિવસોમાં કેટલીક વસ્તુઓ ખરીદવાથી તમારા પૂર્વજો નારાજ થઈ શકે છે. આ 16 દિવસ અશુભ માનવામાં આવે છે. અનેકવાર લોકો પિતૃપક્ષમાં એવી વસ્તુની ખરીદી કરે છે, જેના કારણે મુશ્કેલી ઊભી થાય છે. પિતૃપક્ષમાં આ વસ્તુ બિલકુલ ના ખરીદવી જોઈએ, નહીંતર ત્રિદોષનો સામનો કરવો પડી શકે છે. જરૂર હોય તો પિતૃપક્ષ પહેલા જ આ વસ્તુ ખરીદી લેવી જોઈએ.
નવા કપડા
પિતૃપક્ષ દરમિયાન નવા કપડા ન ખરીદવા જોઈએ કારણ કે આ સમય દરમિયાન ખરીદેલી વસ્તુઓ પિતૃઓને અર્પણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં પિતૃ પક્ષ દરમિયાન નવા કપડાં ખરીદવા પર પ્રતિબંધ છે.
સોના-ચાંદીની ખરીદી
પિતૃપક્ષ દરમિયાન સોના-ચાંદીના ઘરેણાં ન ખરીદવા જોઈએ. જો તમને આ વસ્તુઓની જરૂર હોય તો તમારે પિતૃ પક્ષની શરૂઆત પહેલા અથવા પછી તેને ખરીદવી જોઈએ.
શાકભાજી:
આ સાથે જ પિતૃ પક્ષ દરમિયાન કેટલીક શાકભાજીનું સેવન પણ પ્રતિબંધિત માનવામાં આવે છે. જેમ કે લસણ, ડુંગળી, મૂળો, અને કંદ જેવી શાકભાજી ન ખરીદવી જોઈએ.
નવું વાહન કે મકાનઃ
પિતૃપક્ષ દરમિયાન નવું વાહન કે મકાન ખરીદવું શુભ માનવામાં આવતું નથી. પરંતુ જો પિતૃ પક્ષ દરમિયાન પિંડ દાન, તર્પણ વગેરે કરીને પિતૃઓને પ્રસન્ન રાખશો તો આ વસ્તુઓ ખરીદવા પર કોઈ પ્રતિબંધ નથી.
સરસિયાનું તેલ
સરસિયાના તેલને શનિનું પ્રતિક માનવામાં આવે છે. જે ખૂબ જ તીક્ષ્ણ હોય છે. આ કારણોસર પિતૃપક્ષમાં સરસિયાનું તેલ ના ખરીદવું જોઈએ.
સાવરણી
ધાર્મિક માન્યતા અનુસાર સાવરણી લક્ષ્મી માતાનું પ્રતિક છે. જે સ્થળે સાફ સફાઈ હોય છે, તે સ્થાન લક્ષ્મી માતાને ખૂબ જ પ્રિય હોય છે. પિતૃપક્ષમાં સાવરણી ખરીદવાથી નાણાંકીય નુકસાન થઈ શકે છે.
મીઠુ
શાસ્ત્રોમાં મીઠાને તીક્ષ્ણ વસ્તુ માનવામાં વઆવે છે. આ કારણોસર પિતૃપક્ષમાં મીઠાની ખરીદી ના કરવી જોઈએ.
પિતૃઓને દાન કરવા માટે કરો ખરીદી
પિતૃપક્ષમાં આ વસ્તુની ખરીદી ના કરવી જોઈએ. પિતૃઓને દાન કરવા માટે સરસિયાનું તેલ અને મીઠુ ખરીદવા માંગો છો, તો ખરીદી કરી શકાય છે. પિતૃઓ માટે નવા કપડાં ખરીદીને દાન કરી શકો છો, જેથી પિતૃ ખુશ થાય છે.
પિતૃપક્ષમાં તિથિનું મહત્ત્વ
પિતૃપક્ષ શરૂ થાય ત્યારે દરેક દિવસની એક તિથિ હોય છે. તિથિ અનુસાર શ્રાદ્ધ કરવામાં આવે છે. આ વર્ષે દ્વિતિયા શ્રાદ્ધ 30 સપ્ટેમ્બર એટલે કે, પિતૃપક્ષમાં શ્રાદ્ધની દ્વિતિયા તિથિ છે. પિતૃપક્ષમાં શ્રાદ્ધ માટે તર્પણ, પિંડદાન કરવામાં આવે છે.
શ્રાદ્ધ માટેની તિથિ
પૂર્ણિમા શ્રાદ્ધ- 29 સપ્ટેમ્બર 2023
એકમનું શ્રાદ્ધ- 29 સપ્ટેમ્બર 2023
દ્વિતીયા શ્રાદ્ધ- 30 સપ્ટેમ્બર 2023
તૃતીયા શ્રાદ્ધ- 1 ઓક્ટોબર 2023
ચતુર્થી શ્રાદ્ધ- 2 ઓક્ટોબર 2023
પંચમી શ્રાદ્ધ- 3 ઓક્ટોબર 2023
ષષ્ઠી શ્રાદ્ધ- 4 ઓક્ટોબર 2023
સપ્તમી શ્રાદ્ધ- 5 ઓક્ટોબર 2023
અષ્ટમી શ્રાદ્ધ- 6 ઓક્ટોબર 2023
નવમી શ્રાદ્ધ- 7 ઓક્ટોબર 2023
દશમી શ્રાદ્ધ- 8 ઓક્ટોબર 2023
એકાદશી શ્રાદ્ધ- 9 ઓક્ટોબર 2023
બારસ શ્રાદ્ધ- 10 ઓક્ટોબર 2023
બારસ શ્રાદ્ધ- 11 ઓક્ટોબર 2023
ત્રયોદશી શ્રાદ્ધ- 12 ઓક્ટોબર 2023
ચૌદશ શ્રાદ્ધ- 13 ઓક્ટોબર 2023
સર્વપિતૃ શ્રાદ્ધ- 14 ઓક્ટોબર 2023
પિતૃપક્ષમાં કરો ઉપાય
પિતૃપક્ષ દરમિયાન સ્નાન, દાન અને તર્પણનું વિશેષ મહત્વ છે. આ દરમિયાન જાણકાર વ્યક્તિ દ્વારા જ શ્રાદ્ધ અથવા પિંડદાન વગેરે ફક્ત કરાવવું જોઈએ. કોઈપણ બ્રાહ્મણ કે જરૂરિયાતમંદને અન્ન, પૈસા કે વસ્ત્રોનું દાન કરો. આ પ્રકારે કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે. પૂર્વજોની મૃત્યુની તિથિ અનુસાર પિતૃપક્ષમાં શ્રાદ્ધ અથવા પિંડ દાન કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને તેના પૂર્વજોની મૃત્યુની તિથિ યાદ ન હોય તો અમાસના દિવસે સર્વપિતૃનું શ્રાદ્ધ કરી શકાય છે. આ પ્રકારે કરવાથી પણ ફળ પ્રાપ્ત થાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ