બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / 'Muslims made a historical mistake on the issue of Gyanvapi, we did not keep the Trishul', CM Yogi Adityanath's statement caused political heat
Vishal Khamar
Last Updated: 10:38 PM, 31 July 2023
કહેવાય છે કે પુરાતન ભારતમાં ધર્મ અને આધુનિક ભારતમાં રાજકારણ બંન્નેનું મોજું ઉત્તરપ્રદેશમાં પેદા થાય છે અને તેની અસર આખા દેશમાં જોવા મળે છે. જો કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગીઆદિત્યનાથના એક નિવેદનને લઇને રાજકારણ ગરમાયું છે. યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશમાં જ્ઞાનવાપીને લઇને આપેલા નિવેદને કારણે રાજકીય રાર તો પેદા થઇ જ છે..પરંતુ સાથે ધાર્મિક અને ઇતિહાસ અંગે પણ લોકોમાં ચર્ચા જગાવી છે.
हमें ज्ञानवापी बोल देना चाहिए... pic.twitter.com/myuWUEV5OL
— Yogi Adityanath (@myogiadityanath) July 31, 2023
આખા દેશમાં યોગી આદિત્યનાથનાં નિવેદનની ચર્ચા થઈ
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આ શબ્દોએ પ્રદેશ અને દેશના રાજકારણમાં હલચલ પેદા કરી દીધી. ઉત્તરપ્રદેશના જ્ઞાનવાપી વિવાદ પર યોગી આદિત્યનાથના નિવેદનની ચર્ચા આખા દેશમાં થઇ રહી છે. યોગી આદિત્યનાથે કહ્યું કે મસ્જિદમાં ત્રિશુળ અમે તો નથી રાખ્યા ત્યાં જ્યોતિર્લિંગ છે, પ્રતિમાઓ છે. આ ભુલ પર મુસ્લિમ સમાજ તરફથી પ્રસ્તાવ આવવો જોઇએ કે તેમના દ્વારા ઐતિહાસિક ભૂલ થઇ છે અને તેનું સમાધાન થવું જોઇએ.
સુપ્રિમે પુરાતત્વ સર્વેક્ષણ પર રોક લગાવી દીધી છે
મહત્વનું છે કે ઉત્તરપ્રદેશના વારાણસીમાં કાશીવિશ્વનાથ મંદિરને અડીને આવેલી જ્ઞાનવ્યાપી મસ્જિદ પહેલા શિવમંદિર હોવાની માગ સાથે તેનો કબ્જો હિંદુ સમાજને આપવાની માગ તેજ થઇ છે.તેવામાં સમગ્ર મામલો કોર્ટમાં છે. અગાઉ જ્ઞાનવાપી મસ્જિદનો મામલો સુપ્રીમકોર્ટ પહોંચ્યો હતો. જે બાદ સુપ્રીમે પુરાતત્વ સર્વેક્ષણ પર રોક લગાવી દીધી હતી. જે બાદ ફરી મામલો હાઇકોર્ટમાં છે અને તેનું સર્વેક્ષણ થઇ રહ્યું છે. તેવામાં યોગી આદિત્યનાથના નિવેદન બાદ દેશભરથી રાજકીય અને ધાર્મિક સંગઠનો તરફથી નિવેદનો સામે આવ્યા.
ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો હુંકાર
જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ આમ તો 1991થી ચાલી રહ્યો છે. જ્યારે બાબરી મસ્જિદને લઇને પણ આખા દેશમાં તણાવ જોવા મળ્યો હતો. વારાણસીના ઇતિહાસમાં હાલ જ્યાં જ્ઞાનવાપી મસ્જિદ છે ત્યાં શિવમંદિર હોવાના અનેક પ્રમાણ છે. જો કે હિંદુત્વવાદી નેતા યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા બાદ એક બાદ એક મુગલકાળમાં બદલાયેલા શહેરોના નામ ફરી બદલી રહ્યા છે. આ તમામ રાજકીય નિર્ણયોએ તેમને દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં ફરી સત્તા અપાવી છે. જ્ઞાનવાપી મામલો કોર્ટમાં છે ત્યારે જ્ઞાનવાપી વિવાદ અંગે નિવેદન આપીને તેમણે ઉત્તરપ્રદેશથી લોકસભા પહેલા મોટી હુંકાર ભરી હોવાનો રાજકીય મંધાતાઓ દાવો કરી રહ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army