બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / Modi govt likely to extend free ration scheme
Hiralal
Last Updated: 05:34 PM, 22 September 2022
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના એટલે કે પીએમજીકેએવાયના લાભાર્થીઓને ફરી ખુશખબર મળી શકે છે. કેન્દ્ર સરકારે વધુ ત્રણથી છ મહિના સુધી મફત રાશન આપવાની તૈયારી કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.
ગરીબ કલ્યાણ યોજના 30 સપ્ટેમ્બરથી આગળ વધારાનો નિર્ણય લેવાશે- ખાદ્ય સચિવ
સરકાર ગરીબોને મફત અનાજ આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય) ને 30 સપ્ટેમ્બરથી આગળ વધારવાની જાહેરાત ટૂંક સમયમાં કરી શકે છે. તાજેતરમાં કેન્દ્રીય ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ કહ્યું હતું કે, પીએમજીકેએવાયને 30 સપ્ટેમ્બરથી આગળ વધારવાનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે તો બીજી તરફ સૂત્રોએ જણાવ્યું કે સરકાર આગામી 3-6 મહિના સુધી ગરીબોને 5 કિલો મફત અનાજ આપવાની યોજના બનાવી રહી છે. ઉલ્લેખનીય છે કે 30 સપ્ટેમ્બરે પીએમ ગરીબ કલ્યાણ યોજનાની મુદત પુરી થઈ રહી છે પરંતુ તે પહેલા સરકાર તેને લંબાવવાની જાહેરાત કરી શકે છે.
3 મહિના યોજના લંબાવવાથી સરકારી તિજોરી પર પડશે 800 અબજનો બોજો
પીએમ ગરીબ કલ્યાણ યોજના લંબાવવાને કારણે સરકારને 10 અબજ ડોલરનું વધુ નુકસાન થઈ શકે છે. ભારતે એપ્રિલ 2020 થી અત્યાર સુધીમાં તેના મફત ભોજન કાર્યક્રમ 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના' પર લગભગ 43 અબજ ડોલરનો ખર્ચ કર્યો છે. એક સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર છ મહિનાના આ વધારાથી સરકારને વધારાના 800 અબજ રૂપિયા (10 અબજ ડોલર)નું નુકસાન થઈ શકે છે.
શું છે ગરીબ કલ્યાણ અન્ન યોજના
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના માર્ચ 2020માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (એનએફએસએ)માં સામેલ લગભગ 80 કરોડ લાભાર્થીઓને દર મહિને વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ વિના મૂલ્યે આપવામાં આવી રહ્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ