બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
Megha
Last Updated: 03:29 PM, 17 March 2024
મહારાષ્ટ્ર સરકારે શાળાના શિક્ષકો માટે નવો આદેશ લાગુ કર્યો છે. અહીં સરકારે હવે શિક્ષકો માટે ડ્રેસ કોડ જાહેર કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે શિક્ષકોએ સાદા કપડામાં જ શાળાએ આવવું પડશે. મહિલા શિક્ષકો માટે સાડી અને સલવાર નક્કી કરવામાં આવ્યા છે, જ્યારે પુરૂષ શિક્ષકો માટે શર્ટ અને પેન્ટ લાગુ કરવામાં આવ્યા છે. આ સાથે જીન્સ અને ટીશર્ટ પહેરીને આવવાની પણ મનાઈ છે.
મહારાષ્ટ્ર સરકારે શિક્ષકો માટે જે ડ્રેસ કોડ જાહેર કર્યો છે તેમાં ઘણા નિયંત્રણો પણ સામેલ કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા જારી કરાયેલ ડ્રેસ કોડ મુજબ હવે શિક્ષકોએ જીન્સ, ટી-શર્ટ, ડિઝાઈનર અને પ્રિન્ટેડ કપડાં નહીં પહેરવાના રહે. સરકરે આ અંગે સરકારે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે અને જારી કરાયેલા નોટિફિકેશનમાં સૂચન કરવામાં આવ્યું છે કે મહિલા શિક્ષકોએ સલવાર, કુર્તા અને દુપટ્ટા અથવા સાડી અથવા ચૂરીદાર પહેરવા જોઈએ, જ્યારે પુરૂષ શિક્ષકોએ શર્ટ અને પેન્ટ પહેરવું જોઈએ.
15 માર્ચના રોજ રાજ્યના શાળા શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલ એક સૂચનામાં, શિક્ષકોને તેમના પોશાક વિશે સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે, કારણ કે શાળાએ જતા બાળકો સરળતાથી પ્રભાવિત થઈ શકે છે. સરકારી પરિપત્ર અનુસાર, શાળાના શિક્ષકો માટે ડ્રેસ કોડ સંબંધિત 9-પોઇન્ટ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા જાહેર, ખાનગી અને રાજ્ય બોર્ડ સાથે જોડાયેલી તમામ શાળાઓને લાગુ પડશે.
વધુ વાંચો: 'એમને શું ખબર પડે આપણો ઈતિહાસ', CAA મામલે જયશંકરે અમેરિકા સહિતના દેશોને દેખાડ્યું 'દર્પણ'
આ સાથે જ પરિપત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ડોકટરો માટે 'ડૉ' અને વકીલો માટે 'એડ'ની જેમ શિક્ષકોએ પણ અંગ્રેજીમાં 'Tr' અને મરાઠીમાં 'T' એમના નામની આગળ લગાડવામાં આવશે. એવું કહેવામાં આવ્યું છે કે રાજ્યના શાળા શિક્ષણ વિભાગના આ નિર્ણયનો હેતુ શિક્ષકોને માન્યતા આપીને તેમનું મનોબળ વધારવાનો છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army