બ્રેકિંગ ન્યુઝ
અરબી સમુદ્રમાં 61 દિવસ માછીમારી બંધ રહેશે
હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા' ગાંધીની ભાવુક અપીલ
ગુજરાતમાં વરસાદ અને ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં વરસાદ સાથે આગામી 5 દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી
સાબરકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો, ખેડબ્રહ્મા, ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો વરસાદ
મહેસાણામાં 2.6ની તીવ્રતાનો ભૂકંપ
રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર
વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો હજુય વિરોધ યથાવત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ
દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન
રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત
Megha
Last Updated: 08:58 AM, 7 March 2024
લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને ચૂંટણી પંચ ટૂંક સમયમાં તારીખો પણ જાહેર કરશે, એવામાં અત્યારે દરેક રાજકીય પક્ષોએ પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 400 પાર કરવાનો નારો આપ્યો છે.
ADVERTISEMENT
BIG BREAKING NEWS
— News Arena India (@NewsArenaIndia) March 6, 2024
BJP-BJD alliance almost finalised for Odisha.
This alliance will win all 21 seats in state. BJP to contest 14 and BJD will contest 7 seats. pic.twitter.com/jQnuxJYu2m
ADVERTISEMENT
હવે ભાજપ તેના આ સૂત્રને વાસ્તવિકતામાં બદલવાની પહેલ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. પહેલા બિહારમાં નીતિશ કુમાર સાથે ગઠબંધન કરીને એનડીએની સ્થિતિ મજબૂત કરી. આ પછી, ઓડિશામાં લગભગ 15 વર્ષ પછી, તે તેના જૂના સાથી અને સત્તારૂઢ બીજુ જનતા દળ (BJD) સાથે ગઠબંધન કરવા જઈ રહી છે.
લોકસભા ચૂંટણી પહેલા NDA અને BJD વચ્ચે ગઠબંધન થઈ શકે છે. માનવામાં આવે છે કે BJD 15 વર્ષ બાદ NDAમાં પરત ફરવા માટે તૈયાર છે. અહેવાલો અનુસાર બીજેડી પ્રમુખ અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે NDA સાથે હાથ મિલાવવાનો નિર્ણય કર્યો છે અને બંને પક્ષો વચ્ચે વાતચીત અંતિમ તબક્કામાં છે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે બીજેડીના એનડીએમાં જોડાવાની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના સમર્થન બાદ બંને પક્ષો વચ્ચે ગઠબંધનની અફવાઓ વધી હતી.
જો કે આ અંગે હજુ સુધી કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ બુધવારે બંને પક્ષોના નેતાઓએ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પહેલા ગઠબંધનનો સંકેત આપ્યો હતો. બીજેડી નેતાઓએ બુધવારે મુખ્ય પ્રધાન નવીન પટનાયકના નિવાસસ્થાને મેરેથોન બેઠક યોજી હતી, જ્યારે ભાજપના ઓડિશા એકમના નેતાઓ બુધવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા.
દરમિયાન, દિલ્હીમાં ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સાથે ઓડિશા કોર કમિટીની બેઠક યોજાઈ હતી. બીજેપીના વરિષ્ઠ નેતા જુઆલ ઓરાને કહ્યું કે તેમાં રાજ્યની તમામ 21 લોકસભા બેઠકો તેમજ રાજ્યની તમામ વિધાનસભા બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે તેમને બીજેડી અને બીજેપી વચ્ચેના ગઠબંધન વિશે પૂછવામાં આવ્યું ત્યારે એમને કહ્યું કે આ અંગે પાર્ટીના ટોચના નેતા નિર્ણય કરશે.
વધુ વાંચો: સમજી વિચારીને નિવેદન આપે રાહુલ ગાંધી: ઈલેક્શન કમિશને કરી ટકોર, જાણો કારણ
હવે ભાજપ અને બીજેડી વચ્ચે ગઠબંધન એવા સમયે થઈ શકે છે જ્યારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પણ નજીક છે. તાજેતરના વર્ષોમાં, બંને પક્ષો એકબીજાના વિરોધી રહ્યા છે, પરંતુ એકસાથે આવવાથી રાજ્ય તેમજ લોકસભામાં સમીકરણ મજબૂત થઈ શકે છે. ખાસ વાત એ છે કે આજે એટલે કે 7 માર્ચે પટનાયકે ભાજપ સાથે ગઠબંધન તોડ્યાને 15 વર્ષ થઈ ગયા છે. 2009ની ચૂંટણી પહેલા બંને પક્ષો અલગ થઈ ગયા હતા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Way To Videsh / કેનેડામાં નોકરી મેળવવા માટે શું શું કરવું પડશે?
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT