IND vs AUS 3rd ODI: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે વનડે સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ રાજકોટમાં રમાશે. આ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફાર થઈ શકે છે.
IND vs AUSની છેલ્લી મેચ રાજકોટમાં રમાશે
ભારતની પ્લેઈંગ ઈલેવનમાં થઈ શકે છે મોટા ફેરફાર
ગિલ સહિત આ ખેલાડીઓ થઇ શકે છે OUT
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાવવા જઈ રહેલી વનડે સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ 27 સપ્ટેમ્બર, બુધવારે રાજકોટમાં રમાશે. ટીમ ઈન્ડિયા શરૂઆતી દિવસોમાં વનડે જીત સીરિઝ પર કબજો જમાવી ચુકી છે.
હવે ત્રીજી વનડેમાં ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ઘણા મોટા ફેરફાર જોવા મળી શકે છે. ભારતીય ઓપનર શુભમન ગિલ અને ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર ત્રીજી વનડેથી બહાર થઈ શકે છે.
ગિલ અને શાર્દુલ નહીં આવે રાજકોટ
રિપોર્ટ અનુસાર ટીમ મેનેજમેન્ટે શુભમન ગિલ અને શાર્દુલ ઠાકુરને રેસ્ટ આપવાનો વિચાર કર્યો છે. રિપોર્ટ અનુસાર ગિલ અને શાર્દુલ ત્રીજી વનડે માટે ટીમની સાથે રાજકોટ નહીં આવે. પરંતુ બન્ને ગુવાહાટીમાં ટીમને જોઈન કરશે.
વિશ્વ કપ પહેલા રમાવવા જઈ રહેલી વોર્મઅપ મેચમાં ભારત પહેલો મુકાબલો ગુવાહાટીમાં ઈંગ્લેન્ડની સામે રમશે. જોકે ટીમ વિશ્વ કપમાં પહેલી લીગ મેચ ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયાની સામે રમશે.
બીજી વનડેમાં ગિલે મારી હતી સેન્ચુરી
ભારત અને ઓસ્ટ્રેલિયાની બીજી વનડે ઈંદૌરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. જ્યાં ગિલે શાનદાર હાફ સેન્ચુરી લગાવી હતી. ગિલે 97 બોલમાં 6 સિક્સ અને 4 છગ્ગા લગાવી 104 રનોની ઈનિંગ રમી હતી. આ ગિલના વનડે કરિયરની છઠ્ઠી અને ઓસ્ટ્રેલિયાના સામે પહેલી સેન્ચુરી હતી.