બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Vaidehi
Last Updated: 05:30 PM, 21 June 2023
પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રીએ હાલમાં એટલાંટિક કાઉંસિલની સાથે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે બજવા વારંવાર કહેતાં કે પાકિસ્તાની સેના હજુ ભારત સાથે યુદ્ધ લડવા તૈયાર નથી. ઈમરાન ખાને ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો કે ભારતની સાથે શાંતિનો એક રસ્તો હતો અને પાકિસ્તાનનાં પૂર્વ સેના પ્રમુખ પદ પર જ્યારે તેઓ હતાં ત્યારે તેઓ પણ આ વાતનાં સમર્થનમાં હતાં.
સેનાની સાથે પોતાના સંબંધો પર વાત કરી
રિપોર્ટ અનુસાર ઈમરાન ખાને કહ્યું કે ભારતની સાથે વ્યાપારિક સંબંધ સુધારવું એ PM મોદીની પાકિસ્તાનની સંભવિત યાત્રાથી પહેલા ઊઠાવવાનાં પગલાઓમાંનું એક હતું. જો કે 5 ઑગસ્ટ 2019માં જ્યારે ભારત સરકારે જમ્મૂ-કાશ્મીરનાં વિશેષ રાજ્યનો દરજ્જો પૂર્ણ કર્યો ત્યારે ઈમરાન ખાન સરકારે વેપારને સંપૂર્ણપણે બંધ કરી દીધો. સેનાની સાથે પોતાના સંબંધો પર વાત કરતાં તેમણે કહ્યું કે મને સેનાની સાથે મળીને કામ કરવું હતું અને શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું પણ ખરું પરંતુ મુશ્કેલીઓ ત્યારે શરૂ થઈ જ્યારે મેં બાજવાને એક્સટેન્શન આપી દીધું. તે મારાં જીવનની સૌથી મોટી ભૂલ હતી.
બાજવાને એક્સટેન્શન આપવું એ મારી ભૂલ હતી-ઈમરાન ખાન
પૂર્વ PM ઈમરાન ખાને કહ્યું કે એક્સટેન્શન આપ્યાં બાદ જનરલ બાજવા એકદમ અલગ હતાં. હું કાયદાથી શાસન ઈચ્છતો હતો અને મેં અનુભવ્યું કે જ્યારથી બાજવાનાં નિયંત્રણમાં NAB આવ્યું હતું ત્યારથી જ્યાં સુધી બાજવા ન ઈચ્છે ત્યાં સુધી કંઈ નહોતો કરી શકતો. હું પાવરફુલ લોકોને કાયદાનાં શાસન હેઠળ ન લાવી શક્યો કારણકે બાજવા પહેલાથી જ સોદાબાજી કરતાં હતાં.આ સિવાય ઈમરાન ખાને ઈન્ટરવ્યૂમાં કહ્યું કે અમે 2 વર્ષ કોરોનામાં વ્યતિત કર્યાં અને સમગ્ર દુનિયા આ સમસ્યાથી પીડાઈ રહી હતી. અમે છેલ્લાં 17 વર્ષોમાં સૌથી સારું આર્થિક પ્રદર્શન કર્યું. પરંતુ મોકો મળતાં જ જનરલ બાજવાએ પક્ષ બદલવાનો નિર્ણય લીધો. મેં તેમને છેતર્યો નથી. તેમણે જ બીજા પક્ષમાં જવાનો નિર્ણય લીધો.
ભારત સાથેનાં સંબંધો પર બોલ્યાં ઈમરાન
ભારત સાથેનાં સંબંધો પણ તેમણે કહ્યું કે'હું યુદ્ધ અને હથિયારોનાં ઉપયોગનાં વિરોધમાં છું પરંતુ 5 ઓગસ્ટ 2019માં ભારતે જમ્મૂ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો દૂર કર્યો તેવામાં તમે પાકિસ્તાન પાસે શું આશા રાખો છો? જો કે આ મુદા પહેલાં મેં સંબંધો સુધારવાનાં પ્રયાસ કર્યાં હતાં. મારું પહેલું નિવેદન જ એ હતું કે તમે અમારી તરફ એક પગલું ભરશો અને અમે તમારી તરફ 2 પગલાં ભરશું.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army