બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / If you also have such a habits be careful it will have a bad effect on mental health
Vishal Dave
Last Updated: 05:14 PM, 29 March 2024
સ્વસ્થ શરીર માટે શારીરિક સ્વાસ્થ્ય જેટલું મહત્વનું છે માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ મહત્વનું છે. માનસિક સ્વાસ્થ્ય ફક્ત મૂડ સાથે સંકળાયેલું નથી પરંતુ તે આખા શરીર સાથે જોડાયેલું છે. શું તમે જાણો છો કે આજકાલ લોકો ખરાબ માનસિક સ્વાસ્થ્યના કારણે ડિપ્રેશનનો શિકાર બને છે. આ જાણીને નવાઈ લાગશે પરંતુ માનસિક સંતુલન બગડવા માટે આપણે પોતે જ જવાબદાર છીએ. આપણી કેટલીક આદતો આપણા માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે. જેનું પરિણામ શરીરને ભોગવવું પડે છે. ચાલો જાણીએ એવી કઈ આદતો છે જે ધીમે ધીમે માનસિક સ્વાસ્થ્યને નકારાત્મક અસર કરે છે.
વધારે પડતું સ્ટ્રેસ લેવું
આજકાલની ભાગદોડવાળી જીંદગીમાં વર્ક લાઈફ અને પર્સનલ લાઈફ વચ્ચે બેલેન્સ કરવાનાં ચક્કરમાં લોકો નાની-નાની વાતોમાં સ્ટ્રેસ લે છે. આ કારણે જ લોકો ડિપ્રેશનમાં જાય છે જે માનસિક સ્વાસ્થ્યને ખુબ જ નુકશાન કરે છે.
પોતાના માટે સમય ન કાઢવો
આ વાંચીને નવાઈ લાગશે પણ પોતની જાતને સમય આપવો જરૂરી છે. આજના સમયમાં લોકો પોતાને સમય આપતા જ નથી. કામમાંથી થોડો સમય કાઢીને આરામ કરવો જોઈએ. નવી સારી આદતો પનાવવી, બગીચામાં ચાલવું અને મેડિટેશન કરવું વગેરે. આમ કરવાથી મન શાંત રહેશે અને સારું પણ લાગશે.
હેલ્ધી ડાયટ ન લેવું
આપણે જે પણ ખોરાક લઈએ છીએ તેની અસર શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યને થાય છે. આજકાલ લોકો બહારનું ખાવાનું અને જંક ફૂડનું વધુ સેવન કરે છે. જેનાથી વજન તો વધે જ છે સાથે માનસિક સ્વાસ્થ્યને પણ ખરાબ અસર કરે છે. તેથી આપણે આહારમાં એવી વસ્તુઓ સામેલ કરવી જોઈએ જે માનસિક સ્વાસ્થ્ય માટે સારી હોય. જેમાં લીલા શાકભાજી, ઓમેગા 3 ફેટી એસિડ્સ, ફળો વગેરે.
અપૂરતી ઊંઘ
અધૂરી ઊંઘનાં કારણે માનસિક શાંતિ બગડે છે. આજકાલ લોકો મોડી રાત સુધી મોબાઈલ પર સ્ક્રોલ કરતા રહે છે, જેના કારણે લોકોને માથાનો દુખાવો થવાની સમસ્યા થાય છે. આવું કરવાથી માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે, તેથી હંમેશા સંપૂર્ણ ઊંઘ લેવી.
કસરત ન કરવી
વ્યાયામ ન કરવાથી માનસિક સ્વાસ્થ્યને ખરાબ અસર કરે છે. જ્યારે કસરત કરીએ ત્યારે શરીર આપણા મૂડને સારૂ રાખે છે અને માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તેથી, દિનચર્યામાં કસરતનો સમાવેશ કરવો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army