બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Ajit Jadeja
Last Updated: 06:13 PM, 15 March 2024
PM Modi Tamil Nadu Road Show : તમિલનાડુમાં સ્ટાલિન સરકારને મદ્રાસ હાઈકોર્ટએ ફટકાર લગાવી છે. કોયમ્બતુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને હાઈકોર્ટે મંજૂરી આપી દીધી છે. અગાઉ તમિલનાડુ સરકારે રોડ શો માટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. આ પછી ભાજપે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.
તમિલનાડુના કોયમ્બતુરમાં 18 માર્ચના પીએમ નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાવાનો છે અને આ રોડ શોને લઇને બીજેપી દ્વારા મંજુરી માંગવામાં આવી હતી પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા સુરક્ષાના કારણો આપીને મંજુરી આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. કોઁયમ્બતુરમાં તંત્ર દ્વારા બીજેપી દ્વારા યોજાનાર પીએમ નરેન્દ્ર મોદીના રોડશો માટે મંજુરી આપવાનો ઇનકાર કર્યો હતો. લોકસભા ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે કોયંમ્બતુરમાં પોલીસને અરજી કરી 18 માર્ચના પીએમ મોદીનો 3.6 કિલો મીટર લાંબો રોડ શો યોજવાની મંજુરી માંગી હતી.
પરંતુ કોયંમ્બતુર તંત્રએ સુરક્ષાના જોખમો સહિતના વિવિધ કારણો દર્શાવીને બીજેપીને PM મોદીનો પ્રસ્તાવિત રોડ શો યોજવાની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. ત્યાર બાદ ભાજપે હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા જ્યાથી રોડ શો માટે મંજુરી મળી ગઇ છે. તમિલનાડુમાં સ્ટાલિન સરકારને મદ્રાસ હાઈકોર્ટથી મોટો ફટકો પડ્યો છે. કોયંમ્બતુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને હાઈકોર્ટે મંજૂરી આપી દીધી છે.
આ પણ વાંચોઃ તમિલનાડુ સરકારે PM મોદીને રોડ શોની મંજૂરી ન આપી, આપ્યાં 4 કારણ
સ્ટાલિન સરકાર અગાઉ પીએમ મોદી પર નિશાન સાધી ચુક્યા છે ત્યારે લોકસભા ચુંટણીને લઇને રાજકિય ગરમાવો પણ વધ્યો છે. તમિલનાડુમાં પરવાનગી આપવાનો ઇનકાર કરતી વખતે કોઈમ્બતુર પ્રશાસને તેની પાછળ ચાર મુખ્ય કારણો દર્શાવ્યા હતા, જેમાં સુરક્ષા ખતરો, કોઈમ્બતુરનો સાંપ્રદાયિક ઇતિહાસ, સામાન્ય જનતાને પડતી સમસ્યાઓ, રોડ શોના રૂટ પર આવેલી શાળાઓને કારણે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી કારણો દર્શાવ્યા હતા.
આરએસપુરમ એ જગ્યા છે જ્યાં 14 ફેબ્રુઆરી 1998ના રોજ બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો કાર્યક્રમ પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને ત્યાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. વિસ્ફોટોના થોડા કલાકો પહેલા અડવાણીએ તેમની મીટિંગ રદ કરી હતી. બાદમાં સભા સ્થળ પાસે વિસ્ફોટકો ભરેલી કાર મળી આવી હતી. ભાજપ રાજ્ય સરકાર પાસે બોમ્બ વિસ્ફોટોમાં જીવ ગુમાવનારા લોકો માટે તે જગ્યાએ સ્મારક બનાવવાની માંગ કરી રહી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army