બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / High Cour Tamil Nadu government allowing PM Modi road show

આદેશ / હાઈકોર્ટે તમિલનાડુ સરકારને આપ્યો ઝટકો, PM મોદીના રોડ શોને આપી મંજૂરી

Ajit Jadeja

Last Updated: 06:13 PM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોયમ્બતુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને હાઈકોર્ટે મંજૂરી આપી દીધી છે. અગાઉ તમિલનાડુ સરકારે રોડ શો માટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો.

PM Modi Tamil Nadu Road Show : તમિલનાડુમાં સ્ટાલિન સરકારને મદ્રાસ હાઈકોર્ટએ ફટકાર લગાવી છે. કોયમ્બતુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને હાઈકોર્ટે મંજૂરી આપી દીધી છે. અગાઉ તમિલનાડુ સરકારે રોડ શો માટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. આ પછી ભાજપે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.

બીજેપી દ્વારા મંજુરી માંગવામાં આવી હતી

તમિલનાડુના કોયમ્બતુરમાં 18 માર્ચના પીએમ નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાવાનો છે અને આ રોડ શોને લઇને બીજેપી દ્વારા મંજુરી માંગવામાં આવી હતી પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા સુરક્ષાના કારણો આપીને મંજુરી આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો.  કોઁયમ્બતુરમાં તંત્ર દ્વારા બીજેપી દ્વારા યોજાનાર પીએમ નરેન્દ્ર મોદીના રોડશો માટે મંજુરી આપવાનો ઇનકાર કર્યો હતો. લોકસભા ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે કોયંમ્બતુરમાં પોલીસને અરજી કરી 18 માર્ચના પીએમ મોદીનો 3.6 કિલો મીટર લાંબો રોડ શો યોજવાની મંજુરી માંગી હતી.

હાઇકોર્ટે સ્ટાલિન સરકારને આપ્યો ફટકો

પરંતુ કોયંમ્બતુર તંત્રએ સુરક્ષાના જોખમો સહિતના વિવિધ કારણો દર્શાવીને બીજેપીને PM મોદીનો પ્રસ્તાવિત રોડ શો યોજવાની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. ત્યાર બાદ ભાજપે હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા જ્યાથી રોડ શો માટે મંજુરી મળી ગઇ છે. તમિલનાડુમાં સ્ટાલિન સરકારને મદ્રાસ હાઈકોર્ટથી મોટો ફટકો પડ્યો છે. કોયંમ્બતુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને હાઈકોર્ટે મંજૂરી આપી દીધી છે. 

આ પણ વાંચોઃ  તમિલનાડુ સરકારે PM મોદીને રોડ શોની મંજૂરી ન આપી, આપ્યાં 4 કારણ

આ ચાર કારણો જણાવી કર્યો હતો ઇનકાર

સ્ટાલિન સરકાર અગાઉ પીએમ મોદી પર નિશાન સાધી ચુક્યા છે ત્યારે લોકસભા ચુંટણીને લઇને રાજકિય ગરમાવો પણ વધ્યો છે. તમિલનાડુમાં પરવાનગી આપવાનો ઇનકાર કરતી વખતે કોઈમ્બતુર પ્રશાસને તેની પાછળ ચાર મુખ્ય કારણો દર્શાવ્યા હતા, જેમાં સુરક્ષા ખતરો,  કોઈમ્બતુરનો સાંપ્રદાયિક ઇતિહાસ, સામાન્ય જનતાને પડતી સમસ્યાઓ, રોડ શોના રૂટ પર આવેલી શાળાઓને કારણે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી કારણો દર્શાવ્યા હતા.

1998માં અહીં બ્લાસ્ટ થયા હતા

આરએસપુરમ એ જગ્યા છે જ્યાં 14 ફેબ્રુઆરી 1998ના રોજ બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો કાર્યક્રમ પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને ત્યાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. વિસ્ફોટોના થોડા કલાકો પહેલા અડવાણીએ તેમની મીટિંગ રદ કરી હતી. બાદમાં સભા સ્થળ પાસે વિસ્ફોટકો ભરેલી કાર મળી આવી હતી. ભાજપ રાજ્ય સરકાર પાસે બોમ્બ વિસ્ફોટોમાં જીવ ગુમાવનારા લોકો માટે તે જગ્યાએ સ્મારક બનાવવાની માંગ કરી રહી છે.


VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ