બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ભારત / Politics / Tamil Nadu government did not allow PM Modi road show gave 4 reasons

ઇનકાર / તમિલનાડુ સરકારે PM મોદીને રોડ શોની મંજૂરી ન આપી, આપ્યાં 4 કારણ

Ajit Jadeja

Last Updated: 05:00 PM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે કોયંમ્બતુરમાં પોલીસને અરજી કરી 18 માર્ચના પીએમ મોદીનો 3.6 કિલોમીટર લાંબો રોડ શો યોજવાની મંજુરી માંગી હતી

PM Modi Tamil Nadu Road Show : તમિલનાડુના કોયમ્બતુરમાં 18 માર્ચના યોજાનાર રોડ શો માટે પ્રશાસને મંજુરી આપી નથી. પોલીસ દ્વારા સુરક્ષા સહિતના કારણો આપીને મંજૂરી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે.તમિલનાડુના કોઁયમ્બતુરમાં તંત્ર દ્વારા બીજેપી દ્વારા યોજાનાર પીએમ નરેન્દ્ર મોદીના રોડશો માટે મંજુરી આપવાનો ઇનકાર કર્યો છે. લોકસભા ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે કોયંમ્બતુરમાં પોલીસને અરજી કરી 18 માર્ચના પીએમ મોદીનો 3.6 કિલો મીટર લાંબો રોડ શો યોજવાની મંજુરી માંગી હતી પરંતુ કોયંમ્બતુર તંત્રએ સુરક્ષાના જોખમો સહિતના વિવિધ કારણો દર્શાવીને પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે. તમિલનાડુના કોઈમ્બતુર પ્રશાસને બીજેપીને PM મોદીનો પ્રસ્તાવિત રોડ શો યોજવાની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. વાસ્તવમાં, લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે કોઈમ્બતુર શહેર પોલીસ પાસે મંજુરી માંગી હતી

જણાવ્યા ચાર કારણો

સૂત્રોના જણાવ્યા અનુસાર, પરવાનગી આપવાનો ઇનકાર કરતી વખતે, કોઈમ્બતુર પ્રશાસને તેની પાછળ ચાર મુખ્ય કારણો દર્શાવ્યા છે, જેમાં શામેલ છે. સુરક્ષા ખતરો,  કોઈમ્બતુરનો સાંપ્રદાયિક ઇતિહાસ, સામાન્ય જનતાને પડતી સમસ્યાઓ, રોડ શોના રૂટ પર આવેલી શાળાઓને કારણે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી.

રોડ શો આરએસ પુરમમાં સમાપ્ત થવાનો હતો

ભાજપનો પ્રસ્તાવિત રોડ શો આરએસ પુરમમાં સમાપ્ત થવાનો હતો. આરએસ પુરમ એ જ જગ્યા છે જ્યાં 1998માં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા. તદુપરાંત, કોયમ્બતુરની સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ પ્રકૃતિને જોતાં, કોઈપણ રાજકીય પક્ષ અથવા જૂથને રોડ શો યોજવાની મંજૂરી આપવામાં આવી નથી. આ રોડ શો લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીના દક્ષિણ ભારત પ્રવાસનો ભાગ હતો. ભાજપે આ ટેક્સટાઈલ સિટીમાં 3.6 કિમી લાંબા રોડ શો માટે પરવાનગી માંગી હતી. વહીવટી તંત્રનું કહેવું છે કે 18 અને 19 માર્ચે વિદ્યાર્થીઓની જાહેર પરીક્ષાઓ પણ લેવામાં આવશે અને જે માર્ગ પર રોડ શોનો પ્રસ્તાવ છે ત્યાં ઘણી શાળાઓ પણ આવેલી છે.

વધુ વાંચો ઃ ગુજરાતમાં આગામી 5 દિવસ પડશે કાળઝાળ ગરમી, જાણો તાપમાનનો પારો ક્યાં જઇને અટકશે

1998માં અહીં બ્લાસ્ટ થયા હતા

આરએસપુરમ એ જગ્યા છે જ્યાં 14 ફેબ્રુઆરી 1998ના રોજ બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો કાર્યક્રમ પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને ત્યાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. વિસ્ફોટોના થોડા કલાકો પહેલા અડવાણીએ તેમની મીટિંગ રદ કરી હતી. બાદમાં સભા સ્થળ પાસે વિસ્ફોટકો ભરેલી કાર મળી આવી હતી. ભાજપ રાજ્ય સરકાર પાસે બોમ્બ વિસ્ફોટોમાં જીવ ગુમાવનારા લોકો માટે તે જગ્યાએ સ્મારક બનાવવાની માંગ કરી રહી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ