બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Bijal Vyas
Last Updated: 02:02 PM, 26 May 2023
Health tips: એસિડિટીની સમસ્યા ખૂબ જ સામાન્ય છે અને અનેક કારણો છે જેના લીધે એસિડિટી થઇ શકે છે. જેમ કે ખોરાક ખાધા પછી, ખોરાકની રિએક્ટિવિટીના કારણે, અપચો, કબજિયાતઅને કેટલાક રોગોના કારણે.. આવી સ્થિતિમાં દરેક વખતે દવા લેવી શરીર માટે યોગ્ય નથી. તો આવી સ્થિતિમાં માત્ર એક કામ કરો કે તમારી જગ્યાએથી ઉઠો અને ચાલવાનું શરૂ કરો (walk in acidity). આવો જાણીએ આમ કરવા પાછળનું કારણ...
શું એસિડિટીમાં વોક કરવાથી મદદ મળે છે
વોકએ કાર્ડિયો એક્સરસાઇઝ ગણાય છે. આ કસરત તમારા હૃદયના ધબકારા વધારે છે અને તમારા પેટ અને તેના નીચેના ભાગો પર દબાણ લાવે છે. આ તમારા મેટાબોલિક રેટને વધારે છે અને તમારા આતંરડા અને પાચન પ્રક્રિયાને ઝડપી બનાવે છે. આના કારણે ખોરાક ઝડપથી પચવા લાગે છે અને એસિડ રિફ્લક્સ ઓછું થાય છે, જેના કારણે એસિડિટીની સમસ્યા થતી નથી.
એસિડિટીમાં વોક કરવાના ફાયદાઃ
1. મેટાબોલિક રેટને ઝડપી કરે છે વોક
જો તમારો ખોરાક ઝડપથી પચી રહ્યો નથી તો તમને એસિડિટી જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પરંતુ હકીકતમાં આ સ્લો મેટાબોલિઝમ છે. તો તમે મેટાબોલિક રેટ વધારીને જેમાં વોક કરવી તમરા માટે મદદગાર બની શકે છે.
2. ખાટા ઓડકારથી છુટકારો અપાવે છે
ખાટા ઓડકારથી છુટકારો મેળવવા માટે વોક કરવુ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જ્યારે તમે ચાલશો ત્યારે તમારી ફૂડ પાઈપ સુધી આવતી એસિડિટીના ખાટા ઓડકાર પેટમાં પાછા આવશે અને ત્યાં પેટની અસ્તર તેને ઘટાડવાનો પ્રયત્ન કરશે અને આ સમસ્યા ઓછી થવા લાગશે.
3. ફેટી ફૂડ્સના નુકસાનોને ઘટાડે છે
ફેટી ફૂડ્સના ઘણા નુકસાનોમાં એક છે એસિડિટી અને ખાટા ઓડકાર. તેથી, જ્યારે તમે આ ફૂડ ખાઓ, ત્યારે વોક કરો. તે ચરબીના મેટાબોલિઝ્મને ઝડપી બનાવીને આ સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદરૂપ કરશે. તેથી, વોક કરો અને એસિડિટીથી રાહત મેળવો.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ