બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
Manisha Jogi
Last Updated: 09:56 AM, 16 October 2023
જમવાની સાથે અથાણું મળી જાય તો ભોજનનો સ્વાદ વધી જાય છે. અથાણાંમાં અલગ અલગ ફળ અને શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે, કેરી, ગાજર, લીંબુ, આમળા વગેરે. અથાણાંના ખાટ્ટા સ્વાદને કારણે અથાણુ ભાવે છે, તમને જણાવી દઈએ કે, અથાણાંને કારણે આરોગ્યને નુકસાન થઈ શકે છે.
અથાણાંથી થતા નુકસાન
બ્લડપ્રેશર વધે છે
અથાણાંમાં મીઠાનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. સોડિયમની માત્રા વધી જવાને કારણે બ્લડપ્રેશરની સમસ્યા થઈ શકે છે. અથાણાંને સૂકવવા માટે અને ટેસ્ટ માટે મીઠાનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે બ્લડપ્રેશર વધી શકે છે, જેના કારણે હાર્ટની સમસ્યા થઈ શકે છે.
કોલસ્ટ્રોલ વધી શકે છે
અથાણાંમાં મીઠાની સાથે તેલનો પણ વધુ ઉપયોગ કરવામાં આવે છે. અથાણું બગડે નહીં તે માટે તેલનો વધુ ઉપયોગ કરવામાં આવે છે, જે પ્રિઝર્વેટીવ તરીકે કામ કરે છે. તેલની માત્રા વધવાને કારણે કોલસ્ટ્રોલ વધી શકે છે, જેથી ગુડ કોલસ્ટ્રોલ ઓછે થઈ જાય છે, જેના કારણે હ્રદયરોગ થઈ શકે છે અને લિવર પર અસર થાય છે.
કિડની માટે નુકસાનકારક
અથાણામાં મીઠુ વધુ હોવાને કારણે સોડિયમની માત્રા વધી જાય છે. જેના કારણે કિડનીનો વર્કલોડ વધી જાય છે. ભોજનમાં સોડિયમ વધુ હોવાને કારણે કિડની પર વધુ પ્રેશર પડે છે, જેના કારણે કિડનીની બિમારી થઈ શકે છે. વોટર રિટેંશન, બ્લોટિંગની સમસ્યા પણ થઈ શકે છે.
ગેસ્ટ્રિક કેન્સરની સમસ્યા
અથાણાંમાં સોડિયમની માત્રા વધુ હોવાને કારણે પેટનું કેન્સર થવાની સંભાવના રહે છે. જેના કારમે પેટમાં ચાંદા પડે છે, જે આગળ જતા કેન્સરનું રૂપ પણ લઈ શકે છે.
પોષકતત્ત્વોની ઓછી માત્રા
અથાણું બનાવવા માટે જે પણ ફળ અથવા શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે, તે તડકામાં સૂકવવામાં આવે છે. ફળ અથવા શાકભાજીમાં રહેલ પાણીને કારણે અથાણું ખરાબ થઈ શકે છે, આ કારણોસર તડકામાં સૂકવવામાં આવે છે. જેના કારણે ફળ અથવા શાકભાજીમાં રહેલ પોષકતત્ત્વોનો નાશ થઈ શકે છે.
મસલ ક્રેંપિંગ
અથાણાંનું વધુ સેવન કરવાને કારણે ઈલેક્ટ્રોલાઈટ્સનું સંતુલન બગડી શકે છે. અથાણાંમાં વધુ સોડિયમ હોવાને કારણે આ સમસ્યા થાય છે, જેના કારણે માંસપેશીઓમાં ક્રેંપિંગની સમસ્યા થઈ શકે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP