બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Manisha Jogi
Last Updated: 01:51 PM, 7 August 2023
હાલના સમયમાં બદલાતી લાઈફસ્ટાઈલ અને અયોગ્ય ખાનપાનને કારણે ડાયાબિટીસની સમસ્યા એક સામાન્ય બાબત બની ગઈ છે. આ બિમારીને સાઈલેંટ કિલર તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્લડ શુગર વધવાને કારણે શરીરના અન્ય અંગો પર પણ અસર થાય છે. ખાનપાન અને જીવનશૈલીમાં ફેરફાર કરીને બ્લડ શુગર કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓએ શુગરયુક્ત પીણા, કોફી, સોડા ના પીવા જોઈએ. અહીંયા અમે તમને કેટલીક એવી ડ્રિંક્સ વિશે જાણકારી આપી રહ્યા છીએ, જે ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ ઈલાજ છે.
કારેલાનું જ્યૂસ
ડાયાબિટીસના દર્દીઓ માટે કારેલાનું જ્યૂસ વરદાન સમાન છે. કારેલામાં રહેલ યૌગિકના કારણે બ્લડ શુગર પ્રાકૃતિક રીતે કંટ્રોલમાં રહે છે. કારેલા કડવા હોય છે, પરંતુ તેમાં ભરપૂર માત્રામાં પોષકતત્ત્વો અને એન્ટી ઓક્સિડેન્ટ્સ રહેલા છે. કારેલામાં કાર્બ્સ, ચરબી અને કેલરીની માત્રા ખૂબ જ ઓછી હોય છે, જેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ગુણકારી છે. ડાયાબિટીસના દર્દીઓએ સવારે ભૂખ્યા પેટે કારેલાનું જ્યૂસ પીવું જોઈએ.
મેથીનું પાણી
ડાયાબિટીસના દર્દીઓ માટે મેથીનું પાણી હેલ્ધી ડ્રિંક છે, જેની મદદથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે મેથીના બીજ અને પાન ફાયદાકારક છે. મેથીની ડ્રિંક બનાવવા માટે મેથીના બીજનો ઉપયોગ કરવામાં આવે છે. રાત્રે એક ગ્લાસ પાણીમાં મેથી પલાળી દો અને બીજા દિવસે સવારે તે ડ્રિંકનું સેવન કરો.
ગ્રીન ટી
ડાયાબિટીસના દર્દીઓ માટે ગ્રીન ટી ફાયદાકારક માનવામાં આવે છે. તમે તેમાં તજ મિશ્ર કરી શકો છો. ગ્રીન ટી સ્વાદ અને આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી છે. રિસર્ચ અનુસાર ગ્રીન ટીનું સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.
લીંબુ પાણી
લીંબુ પાણી આરોગ્ય માટે ખૂબ જ લાભકારી છે. ગ્રીન ટીમાં ભરપૂર માત્રામાં પોષકતત્ત્વો રહેલા છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારી છે, ઉપરાંત વજન પણ ઓછું થઈ શકે છે. લીંબુ પાણીનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આરોગ્ય નિષ્ણાંતો અનુસાર ડાયાબિટીસના દર્દીઓએ સવારે સૌથી પહેલા લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ