બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
પૌરાણિક માન્યતાઓ અનુસાર રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી થઈ છે. ભગવાન શિવને પ્રિય રૂદ્રાક્ષના અનેક ફાયદા છે. બહુ ઓછા લોકો આ વાત જાણતા હશે. શિવપુરાણમાં 16 પ્રકારના રુદ્રાક્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તે બધાનું પોતાનું મહત્વ છે. દરેક વ્યક્તિ કોઈપણ રુદ્રાક્ષ ધારણ કરી શકતી નથી. જ્યોતિષની સલાહ લઈને જ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. આજે આપણે એક મુખી રુદ્રાક્ષ વિશે જાણીશું.

ADVERTISEMENT
ધન મેળવવા માટે પણ પહેરી શકો છો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રુદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોને નિયંત્રિત કરી શકે છે. એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષ ધન પ્રાપ્તિ માટે પણ ધારણ કરી શકાય છે. રૂદ્રાક્ષ વિદ્યાર્થીઓ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. કારકિર્દીમાં સફળતા મેળવવા માટે એક મુખી રુદ્રાક્ષ પણ ધારણ કરી શકાય છે.
રોગોથી મેળવો છુટકારો
એવું માનવામાં આવે છે કે રૂદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે. બીજી તરફ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય નબળો હોય તો તેને એક મુખી રુદ્રાક્ષ ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. તે બ્લડ પ્રેશર અને હૃદય સંબંધિત રોગો સામે પણ રક્ષણ આપે છે.
ADVERTISEMENT

આ લોકો કરી શકે છે ધારણ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એક મુખી રુદ્રાક્ષ કોઈપણ વ્યક્તિ પહેરી શકે છે. પરંતુ તે સૂર્ય ગ્રહ સાથે સંબંધિત છે. તેથી સિંહ રાશિના લોકો માટે તે વિશેષ ફળદાયી સાબિત થાય છે. જ્યોતિષની સલાહ લઈને અન્ય લોકો પણ તેને પહેરી શકે છે.
ADVERTISEMENT
અસલી રુદ્રાક્ષ કેવી રીતે ઓળખવો
અસલી અને નકલી રુદ્રાક્ષને ઓળખવા માટે સરસવના તેલમાં એક મુખી રુદ્રાક્ષ મુકો. જો તે પહેલા રંગ કરતાં ઘાટો દેખાય છે તો તેનો અર્થ એ છે કે રુદ્રાક્ષ અસલી છે. આ સાથે એક મુખી રુદ્રાક્ષની માત્ર એક જ ધારી હોય છે. જો તેને ગરમ પાણીમાં ઉકાળ્યા પછી તેનો રંગ નીકળી જાય તો તે અસલી નથી.

ADVERTISEMENT
એક મુખી રુદ્રાક્ષના ફાયદા
શિવપુરાણ અનુસાર એક મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ભગવાન સાથે જોડાયેલા રહેવાનો અનુભવ થાય છે. કહેવાય છે કે તેને ધારણ કરવાથી વ્યક્તિ જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. તેને મોક્ષ મેળવવાનો સૌથી સરળ માર્ગ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેને ધારણ કરવાથી ધાર્મિક કાર્યોમાં વ્યક્તિની રૂચી વધે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.