બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / donot do these five things by mistake in ganesh puja vidhi ganesh chaturthi puja

Ganesh Chaturthi 2022 / ગણેશ ચતુર્થી પર ક્યારેય ન કરવી જોઈએ આ પાંચ ભૂલો, નહીંતર નહીં મળે પૂજાનું શુભ ફળ

Arohi

Last Updated: 04:40 PM, 27 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગણેશ ચતુર્થી પર ઘરમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. પરંતુ આ સમય દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ગણેશ પૂજામાં કરવામાં આવેલી આ પાંચ ભૂલો તમને પૂજાનું શુભ ફળ નહીં મળવા દે.

  • 31 ઓગસ્ટે છે ગણેશ ચતુર્થી 
  • ગણેશજીની પૂજામાં ભૂલથી પણ ન કરો આ કામ
  • નહીં તો નહીં મળે પૂજાનું ફળ 

ગણેશ ચતુર્થીનો તહેવાર આ વર્ષે 31 ઓગસ્ટે ઉજવવામાં આવશે. આગામી 10 દિવસ સુધી ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન લોકો પોતાના ઘરે ગણપતિજીની સ્થાપના કરે છે. આ દરમિયાન ભગવાન ગણેશની પૂજા કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. હિન્દુ ધર્મમાં કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે. 

આમ કરવાથી વ્યક્તિનું કાર્ય સફળ થાય છે. જો તમે પણ આ ગણેશ ચતુર્થીએ તમારા ઘરમાં ગણેશની સ્થાપના કરવાના છો. તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આવો જાણીએ ગણેશ ચતુર્થીના દિવસે કયા પાંચ કાર્યોને ભૂલથી પણ ન કરવા જોઈએ. 

લસણ-ડુંગળીનો ન કરે ઉપયોગ 
લસણ અને ડુંગળી બંને એવી વસ્તુઓ છે જેનો ઉપયોગ લગભગ દરેક ઘરના રસોડામાં થાય છે. જો તમારા ઘરમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હોય તો તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ગણેશજીનો ભોગ બનાવતી વખતે તમારે લસણ અને ડુંગળીનો ઉપયોગ ટાળવો જોઈએ.

ગણેશજીને અર્પણ ન કરો તુલસી 
ભગવાન ગણેશની પૂજામાં તુલસીનો ઉપયોગ કરવાની મનાઈ છે. ગણેશ પૂજામાં તુલસીનો ઉપયોગ કરવાથી શુભ ફળ મળતું નથી. વાસ્તવમાં તુલસીએ ભગવાન ગણેશને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેનો ગણેશજીએ સ્વીકાર કર્યો નહીં અને તુલસીએ તેમને શ્રાપ આપ્યો હતો. તેનાથી ક્રોધિત થઈને ભગવાન ગણેશે પણ તેમને રાક્ષસ સાથે લગ્ન કરવાનો શ્રાપ આપ્યો હતો.

ભગવાન ગણેશની નવી મૂર્તિની કરો સ્થાપના 
જો તમે આ વર્ષે તમારા ઘરમાં ગણેશજીની સ્થાપના કરવા માંગો છો તો નવી મૂર્તિ જરૂરથી ખરીદવી જોઈએ. જો તમારી પાસે જૂની મૂર્તિ હોય તો તેનું વિસર્જન કરો. આ વાતનું પણ ધ્યાન રાખો કે ઘરમાં ગણેશજીની બે મૂર્તિઓ ન રાખવી જોઈએ.

અંધારામાં ન કરો મુર્તિના દર્શન
જો ભગવાન ગણેશની મૂર્તિની પાસે અંધારું હોય તો તેમના દર્શન ન કરવા. દર્શન કરતા પહેલા ખાતરી કરો કે ત્યાં લાઇટિંગની સારી વ્યવસ્થા છે. ભગવાનની મૂર્તિને અંધારામાં જોવી એ શુભ માનવામાં આવતું નથી.

પૂજામાં ન પહેરો કાળા અને બ્લૂ રંગના વસ્ત્રો 
માન્યતા અનુસાર કોઈપણ દેવી-દેવતાની પૂજામાં કાળા અને વાદળી રંગના કપડાં ન પહેરવા જોઈએ. શનિદેવની પૂજામાં તમે કાળા રંગના કપડાંનો ઉપયોગ કરી શકો છો. તેથી ધ્યાનમાં રાખો કે ગણેશજીની પૂજામાં પણ તમારે કાળા અને વાદળી વસ્ત્રો ન પહેરવા જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ