બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / Do this before offering water to God Sun on Makar Sankranti

ધર્મ / જીવનના દરેક ક્ષેત્રે સફળતા મેળવવી છે? તો મકરસંક્રાતિએ સૂર્યદેવને જળ અર્પણ કરતા પહેલા કરો આટલું કામ, પછી જુઓ

Pooja Khunti

Last Updated: 09:16 AM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Makar Sankranti 2024: તમે સૂર્યદેવની કૃપા મેળવવા માંગતા હોય તો મકરસંક્રાતિનાં દિવસે સૂર્યદેવને જળ અર્પણ કરતાં પહેલા આ બાબતનું ખાસ ધ્યાન રાખો. આ દિવસે અન્ય ઉપાય પણ કરી શકો.

  • ઘઉં અને ગોળ બાંધી જરૂરિયાતમંદને દાન કરો
  • તાંબાનો સિક્કો પાણીમાં વહેતો મૂકો
  • 108 સૂર્ય મંત્રનો જાપ કરો

શાસ્ત્રો પ્રમાણે જ્યારે સૂર્ય એક રાશિથી નીકળીને અન્ય રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. આ વર્ષે સૂર્ય મકર રાશિમાં રાત્રે 2: 43 વાગ્યે પ્રવેશ કરશે. એટલા માટે આ વર્ષે મકરસંક્રાતિનું પર્વ 14 ની જગ્યાએ 15 જાન્યુઆરીનાં દિવસે ઉજવવામાં આવશે. મકરસંક્રાતિનાં દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા બાદ દાનનું ખુબજ મહત્વ છે. આ દિવસે દાન કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. મકરસંક્રાતિનાં દિવસે સૂર્યદેવની પૂજા-અર્ચનાનું મહત્વ છે. જાણો આ દિવસે ક્યા વિશેષ ઉપાય કરવા જોઈએ. 

જળ અર્પણ 
મકરસંક્રાતિનાં દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરી, તાંબાનાં લોટામાં કુમકુમ અને લાલ ફૂલ નાખી સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ એક આસન પર બેસી ગાયત્રી મંત્ર અથવા સૂર્યમંત્રનો જાપ કરવો જોઈએ. 

દાન
તમારા સુખ અને સૌભાગ્યને વધારવા માટે મકરસંક્રાંતિના દિવસે પરિણીત મહિલાઓને ચૌદ વસ્તુઓનું દાન કરવું જોઈએ.

ચોખા અને ગોળ 
વિશેષ ફળ પ્રાપ્ત કરવા માટે ચોખા અને ગોળને પાણીમાં વહેતા મૂકો. 

ઘઉં અને ગોળ 
મકરસંક્રાતિનાં દિવસે તાંબાનો સિક્કો પાણીમાં વહેતો મૂકો. લાલ કપડાંની અંદર ઘઉં અને ગોળ બાંધી જરૂરિયાતમંદને દાન કરો. 

પૂર્વ દિશા 
મકરસંક્રાતિનાં દિવસે પૂર્વ દિશામાં એક સફેદ કપડું પાથરી, તેના પર સૂર્યદેવની મૂર્તિ અથવા ફોટો રાખો. તેની સામે બેસી સૂર્યદેવની પૂજા કરો. સૂર્યદેવને ગોળનો ભોગ લગાવો. આ સાથે 108 સૂર્ય મંત્રનો જાપ કરો. 

વાંચવા જેવું: તમારા જીવનમાં આ 5 ઘટના બની હોય તો માની લેજો કે સૂર્ય થઈ ગયો છે કમજોર, ઉત્તરાયણે કરી લેજો આસાન ઉપાય

વૈનાયકી શ્રી ગણેશ ચતુર્થી
તમારા પરિવારને ક્યારેય કોઈ નુકસાન ન પહોંચાડે તેની ખાતરી કરવા માટે, મકરસંક્રાંતિ વૈનાયકી શ્રી ગણેશ ચતુર્થીના દિવસે, પાંચ કોડીઓ લઈને ઘરના મુખ્ય સદસ્યનાં માથા પર સાત વાર ફેરવો. તેમને ભગવાન ગણેશના ચરણ સ્પર્શ કરાવો. આ પછી આ કોડીઓને પાણીમાં વહેતી મુકો.

ગોમતી ચક્ર 
જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા હોય તો મકરસંક્રાંતિના દિવસે ગોમતી ચક્ર લઈને સાંજે ક્યાંક નિર્જન જગ્યાએ જઈને એક નાનો ખાડો ખોદી તેમાં ‘ઓમ ગં ગણપતયે નમઃ’ મંત્રનો જાપ કરી ગોમતી ચક્રને દબાવી દો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ