બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Bijal Vyas
Last Updated: 11:31 AM, 26 May 2023
આજના સમયમાં ડાયાબિટીસની સમસ્યા ખૂબ જ વધી રહી છે. ભારતમાં પણ ડાયાબિટીસના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. ડાયાબિટીસમાં લાઇફસ્ટાઇલ અને ખાનપાનનું ધ્યાન રાખીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આવો લોકોની કેટલીક એવી ભૂલો વિશે જાણીએ, જેના કારણે ડાયાબિટીસ થવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. જ્યારે સ્વાદુપિંડ ઇન્સ્યુલિન બનાવવા સક્ષમ નથી અથવા શરીર ઇન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી ત્યારે ડાયાબિટીસની સમસ્યાનો સામનો કરવો પડે છે. આયુર્વેદમાં આવી જ કેટલીક ભૂલો આવી છે, જેના કારણે ડાયાબિટીસનું જોખમ ખૂબ વધી જાય છે. આવો જાણીએ તેમના વિશે-
રોજ દહીં ખાવુંઃ દહીંને પ્રોબાયોટિક ફૂડ માનવામાં આવે છે. દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદ અનુસાર, તમારે દરરોજ દહીંનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તે વધુ પડતું ખાવાથી વજન વધી શકે છે, મેટાબોલિઝમ ખરાબ થઈ શકે છે અને બળતરા થઈ શકે છે.
હેવી ડિનરઃ ઘણા લોકો એવા હોય છે જેઓ તેમનું ડિનર ખૂબ મોડું કરે છે. આ તમારી પાચન તંત્ર પર ખૂબ જ ખરાબ અસર કરે છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, રાત્રિભોજન અને ઊંઘ વચ્ચે ઓછામાં ઓછું 2 થી 3 કલાકનું અંતર હોવું જોઈએ. રાત્રે હેવી ડિનર લેવાથી લીવર પર ભાર વધે છે અને મેટાબોલિઝમ પણ ખૂબ જ ધીમી ગતિએ કામ કરે છે. જેના કારણે તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
જરૂર કરતા વધારે ખાવુંઃ ઘણા લોકો એવા હોય છે જે પોતાની થાળીમાં વધારે પડતો ખોરાક રાખે છે, જેના પછી તેમને તે ખોરાક પૂરો કરવા માટે વધુ પડતું ખાવું પડે છે. જણાવી દઇએ કે, જ્યારે તમે ભૂખ કરતાં વધુ ખાઓ છો, તો તમારે સ્થૂળતા, કોલેસ્ટ્રોલ અને પાચન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ભૂખ ન હોય ત્યારે પણ ખાવુંઃ જો તમે તમારા શરીરના સંકેતો પર ધ્યાન આપ્યા વિના ખાઓ છો, તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઘણી વખત લોકો તણાવમાં હોય ત્યારે ભૂખ ન લાગવા છતાં ઘણું બધું ખાવાનું શરૂ કરી દે છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવુ છે કે, જ્યારે તમને ભૂખ ન લાગે ત્યારે બળપૂર્વક ખાવાનો પ્રયાસ ન કરો.
જો તમે પણ પ્રી-ડાયાબિટીસ અથવા ડાયાબિટીસની સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો આ આદતોમાં સુધારો કરવો જરૂરી છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, આ આદતોને કારણે તમારે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી, મેટાબોલિઝમ અને ન્યુટ્રિશનને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ