બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Vaidehi
Last Updated: 06:12 PM, 4 December 2023
ભારતને હાલ કોરોનાથી કોઈ મોટો ખતરો નથી. છેલ્લાં 1.5 વર્ષથી વાયરસનાં કેસ વધઘટ થયાં છે પણ સ્થિતિ કાબૂમાં રહી છે. પણ આ વચ્ચે હવે અચાનક દેશમાં કોવિડ-19નાં એક્ટિવ કેસોની સંખ્યા વધતી નોંધાઈ છે. છેલ્લાં 24 કલાકમાં એક્ટિવ મામલાઓની સંખ્યા વધીને 479 થઈ ગઈ છે. છેલ્લાં એક દિવસમાં 37 સક્રિય દર્દીઓ વધ્યાં છે જો કે આંકડો હજુ ઓછો છે. પણ સક્રિય દર્દીઓની સંખ્યામાં થતો આ વધારો ચિંતાનો વિષય તો છે જ કારણકે ચીનમાં પણ શ્વાસની બીમારીઓ વધી રહી છે. તેવામાં ભારતમાં કોવિડનો ગ્રાફ ઊંચે જઈ રહ્યો છે.
કોરોનાનાં કેસ વધવાનું કારણ શું?
મેડિસિન ડિપાર્ટમેંટનાં એક્સપર્ટ અનુસાર હાલમાં વાતાવરણમાં સતત ફેરફાર થઈ રહ્યાં છે. શિયાળો આવી ગયો છે. તેવામાં સીઝનમાં થતી બીમારીઓ વધુ થાય છે. ફ્લૂ અને સીઝનલ તાવનાં કેસ વધી જાય છે. આ બીમારીઓનાં લક્ષણોમાં શરદી, ઊધરસ અને તાવ સમાવિષ્ટ છે. કેટલાક કેસોમાં શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. તેવા દર્દીઓ જ્યારે હોસ્પિટલ આવે છે ત્યારે તેમનું કોવિડ ટેસ્ટ પણ કરવામાં આવે છે. જેમાં કેટલાક લોકો પોઝિટિવ મળી આવે છે.
પેનિક થવાની વાત નથી...
એક્સપર્ટે કહ્યું કે શ્વાસની બીમારીઓનાં વધુ દર્દીઓ આવે છે જેથી ટેસ્ટની સંખ્યા પણ વધી ગઈ છે. પરિણામે કોવિડનાં આંકડાઓ પણ વધ્યાં છે. જો કે કેસ એટલા વધ્યાં નથી. જ્યારે પણ ટેસ્ટ થાય છે ત્યારે આટલા કેસ આવે જ છે. વાયરસ ક્યારે નાશ પામતો નથી. ટેસ્ટ થશે અને કેટલાક લોકો પોઝિટિવ આવશે પણ તેમાં પેનિક થવાની કોઈ વાત નથી.
ચીનની અસર ભારત પર?
ડોક્ટર્સ કહે છે કે ચીનમાં વધી રહેલા કેસનું કારણ ઈન્ફ્લૂએંઝા વાયરસ હોઈ શકે છે. પણ ચીનનાં કારણે ભારતમાં કેસ વધી રહ્યાં છે એવું કહેવું યોગ્ય નથી. કેસ વધવાનું કારણ લોકોમાં વધી રહેલા ફ્લૂનાં લક્ષણો છે અને ટેસ્ટની સંખ્યામાં થતો વધારો છે. તેવામાં એવું ન વિચારવું જોઈએ કે કેસ વધવા પાછળનું કારણ ચીન છે. જો કે ચીનમાં નિમોનિયા અને ઈન્ફ્લૂએંઝાનાં જે કેસ વધી રહ્યાં છે તેનાથી આપણને સાવધાન રહેવાની જરૂર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army