બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Vishal Khamar
Last Updated: 05:49 PM, 30 October 2023
રાધનપુર પંથકનાં ખેડૂતો દ્વારા બજારમાંથી મોંઘા બિયારણ લાવી ખેતરમાં શિયાળુ પાકનું વાવેતર કર્યું છે. પાકને સમયસર પાણી મળી રહે તે માટે અનેકવાર કેનાલમાં પાણી છોડવાની રજૂઆત કરી હતી. જે બાદ પણ કેનાલમાં પાણી ન છોડવામાં આવતા આજે ભીલોટ, નાયતવાડા, કલ્યાણપુરા તેમજ મોટીપીંપળી ગામનાં ખેડૂતોએ નર્મદા વિભાગની ઓફીસે જઈ અર્ધનગ્રન થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતો દ્વારા અનેકવાર નર્મદાની મોટીપીંપળી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પાણી છોડવા માંગ કરી હોવા છતા પાણી ન છોડાતા આજે ખેડૂતો દ્વારા ઉગ્ર દેખાવ કરી નર્મદા વિભાગની ઓફીસે લેખિતમાં રજૂઆત કરી હતી. ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવતા 4 દિવસમાં કેનાલમાં પાણી છોડવાની હૈયાધારણા આપી હતી.
ક્યાં ક્યાં પાકો સૂકાઈ રહ્યા છે
રાધનપુર પંથકમાં ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. ખેતરમાં વાવેતર કરેલ પાકને સમયસર પાણી ન મળતા પાણી વગર ખેડૂતોનાં એરંડા, રાયડાનો પાક સૂકાતો હોવાથી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. તેમજ ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારી હતી કે, આગામી સમયમાં કેનાલમાં પાણી છોડવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
એરંડા, રાયડો સહિતનાં પાકો સુકાઈ રહ્યા છેઃ ખેડૂત
આ બાબતે ખેડૂત દ્વારા જણાવ્યું હતું કે, ભીલોટ, નાયતવાડા, કલ્યાણપુરાનાં ખેડૂતો પાણી છોડાવવા માટે નર્મદા ઓફીસે રજૂઆત કરી હતી. ત્યારે નર્મદા ઓફીસના અધિકારીએ ચાર દિવસમાં પાણી ચાલુ કરી દેવાનું કીધું છે. પાણી ન મળવાનાં કારણે ખેતરમાં વાવેતર કરેલ એરંડા, રાયડો તેમજ રજકાનું વાવેતર કરવાનો સમય પણ થઈ ગયો છે. પાકને સમયસર પાણી મળી રહે તે માટે ખેડૂતો રજૂઆત કરવા માટે આવ્યા છે. જો ચાર દિવસમાં કેનાલમાં પાણી શરૂ નહી થાય તો છઠ્ઠા દિવસે અમે બીજા અન્ય ગામનાં ખેડૂતો સાથે લાવીને ઉગ્ર આંદોલન કરશું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir