બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Arohi
Last Updated: 03:04 PM, 29 March 2024
હિંદૂ કેલેન્ડર અનુસાર ફાગણ મહિનો વર્ષનો છેલ્લો મહિનો હોય છે અને તેના બાદ ચૈત્ર મહિનાની શરૂઆત થાય છે. ચૈત્ર મહિનો 27 માર્ચથી શરૂ થઈ ચુક્યો છે જે 23 એપ્રિલે સમાપ્ત થશે. શાસ્ત્રો અનુસાર આ મહિનામાં બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરવાની શરૂઆત કરી હતી. હિંદૂ ધર્મમાં ચૈત્ર મહિનાને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. કારણ કે આ મહિનામાં નવરાત્રિ, રામનવમી, પાપમોચિની એકાદશી, હનુમાન જયંતી જેવા ઘણા મોટા તહેવાર આવે છે.
ધાર્મિક શાસ્ત્રો અનુસાર ચૈત્ર મહિનામાં અમુક કામો કરવામાં નથી આવતા. એવી માન્યતા છે કે આ મહિનામાં અમુક કાર્યો કરવાથી વ્યક્તિઓને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ ચૈત્ર મહિનામાં કયા કાર્યો કરવાથી બચવું જોઈએ.
ચૈત્ર મહિનામાં માતા લક્ષ્મી અને દેવી દુર્ગાની કૃપા મેળવવા માટે અમુક ખાસ ઉપાય પણ અપનાવવામાં આવે છે જેના કારણે ઘરમાં સમૃદ્ધિ બની રહે છે અને સુખ શાંતિ આવે છે. આ આખા મહિનાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. કારણ કે આ મહિનો માતા દુર્ગાને સમર્પિત હોય છે અને આ મહિનામાં ચૈત્ર નવરાત્રિ પણ આવે છે. નવરાત્રિના કારણે આ આખા ચૈત્ર મહિનામાં ભગવતીની આરાધના કરવી મુખ્ય રીતે લાભકારી હોય છે.
ચૈત્ર મહિનામાં ન કરો આ કામ
તામસિક ભોજન અને માંસાહાર
ચૈત્ર મહિનામાં ભૂલથી પણ તામસિક કે માંસાહાર ભોજનનું સેવન ન કરવું જોઈએ. એવું કહેવાય છે કે ચૈત્ર મહિનામાં આ ભોજન કરવાથી ધનની દેવી માતા લક્ષ્મી નારાજ થઈ જાય ચે. જેનાથી વ્યક્તિને જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ન કરો ગોળનું સેવન
તેના ઉપરાંત આ મહિનામાં ગોળનું સેવન ન કરવું જોઈએ. ગોળની તાસીર ગરમ હોય છે અને ઉનાળા વખતે ગોળનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે.
વાળ અને નખ ન કાપો
ચૈત્ર મહિનામાં વાળ ન કાપવા જોઈએ. એવી માન્યતા છે કે આ મહિનામાં વાળ કાપવાથી ઘરની આર્થિક સ્થિતિ બગડી શકે છે અને ગૃહ ક્લેશ થઈ શકે છે. તેના ઉપરાંત પ્રયત્ન કરો કે આ મહિનામાં નખ ન કાપો. જો નખ કાપવા માંગો તો પણ ગુરૂવારે અને રાત્રીના સમયે નખ ન કાપો.
લડાઈ ઝગડા ન કરો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચૈત્ર મહિનામાં ઘરમાં લડાઈ-ઝગડા ન કરવા જોઈએ. પતિ અને પત્ની કોઈ પણ વિવાદથી બચો. એવી માન્યતા છે કે ઘરની સ્ત્રી માતા લક્ષ્મીનું રૂપ હોય છે. માટે આ મહિનામાં ભૂલથી પણ લડાઈ ન કરવી જોઈએ. આમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે.
કરી શકો છો નવા કાર્ય
વેદ-પુરાણો અનુસાર ચૈત્ર મહિનાનો પહેલો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. માટે આ દિવસે કોઈ પણ નવા કાર્ય કરી શકાય છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir