બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Ajit Jadeja
Last Updated: 09:50 AM, 19 March 2024
Ketan Inamdar: સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. કેતન રાજીનામું આપ્યો હોવાનો દાવો કરી રહ્યા છે તો બીજી તરફ વિધાનસભાના સચિવે કેતન ઇનામદારનું રાજીનામું ન મળ્યુ હોવાનું જણાવી રહ્યા છે. સાવલીના બીજેપીના ધારાસભ્ય કેતન ઇનામદારે અચાનક રાજીનામું આપી દેતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે. તેઓએ ગઇકાલે રાત્રે રાજીનામું આપ્યો હોવાનો દાવો કર્યો છે. પરંતુ VTV NEWSએ રાજીનામા અંગે વિધાનસભા સચિવ સાથે ટેલિફોનિક ચર્ચા કરી ત્યારે કેતન ઈનામદારનું રાજીનામું ન મળ્યા હોવાનું વિધાનસભા સચિવે જણાવ્યું હતું. જ્યારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ નિવેદનમાં કહ્યુ હું અત્યારે થરાદના પ્રવાસે છું. મને કેતન ઈનામદારનું રાજીનામું નથી મળ્યું.
વડોદરાના સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઈનામદારે ગત રાત્રે 2:30 વાગ્યે વિધાનસભા અધ્યક્ષને ફેક્સથી રાજીનામું આપ્યું હોવાનું કહી રહ્યા છે. અચાનક તેમના રાજીનામાની જાણ સવારે કાર્યકરો તેમના સમર્થકોને થતા રાજકીય ગરમાવો પ્રસર્યો છે. કેતન ઇનામદારે રાજીનામામાં અંતરઆત્માનો અવાજ સાંભળીને રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કર્યો છે. કેતન ઇનામદાર ખેડૂતોના મુદ્દા ઉઠાવતા રહ્યા છે. સાવલી વિધાનસભા પર મજબૂત પક્કડ કેતન ઈનામદાર ધરાવે છે ત્યારે લોકસભા ચૂંટણી પહેલા તેમના રાજીનામાથી અનેક તર્કવિતર્ક સર્જાયા છે. તેઓ પક્ષની નીતિથી નારાજ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યુ છે.
આ પહેલીવાર નથી કે તેઓએ રાજીનામુ આપ્યુ હોય, 2020 માં કેતન ઇનામદાર રાજીનામું આપી ચુક્યા છે જો કે બાદમાં તેમને મનાવી લેવાયા હતા. ત્યારે ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામા બાદ સાવલી નગરપાલિકામાં અસર જોવા મળી હતી અને MGVCLએ સાવલી નગર પાલિકાનું ફરી વીજ કનેક્શન શરૂ કર્યું હતું. બીલ ન ભર્યું હોવા છતાં MGVCL દ્વારા વીજ કનેક્શન શરૂ કરવું પડ્યુ હતું. જો કે આ વખતે તેમણે રાજીનામું આપ્યુ છે ત્યારે પક્ષ દ્વારા તેમની મનાવી લેવામાં આવશે કે નહી તેના પર સૌની નજર છે.
ખેડૂતોના મુદ્દા તેઓ હંમેશા ઉઠાવતા રહ્યા છે. વડોદરાની બરોડા ડેરીમાં કથિત ભ્રષ્ટાચાર મામલે કેતન ઇનામદારે સંમેલન પણ યોજ્યુ હતું. અને બરોડા ડેરીના વહીવટદારો પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં સાવલી, ડેસર સહિત જિલ્લાના પશુપાલકોએ તેમની સાથે રહ્યા હતા. ત્યારે તેઓએ લલકાર કરતા કહ્યુ હતું કે 'કેટલાક લોકો પોતાના બાપની પેઢી હોય તેમ ડેરી ચલાવે છે, વહીવટદારોની અનધડ નીતિને કારણે ડેરીને મોટું નુકસાન થઈ રહ્યું છે. બરોડા ડેરીમાં 6થી 7 લાખ લીટર દૂધ આવે છે. 35 લાખ સભાસદોને પોષણક્ષમ ભાવ મળવો જ જોઈએ. પશુ પાલકો સાથે અન્યાય થઈ રહ્યો છે. મારા અવાજને કોઈ દબાઈ શકશે નહીં. હું મરતે દમ તક લડીશ.'
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army