બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
VTV / ayodhya ram mandir arrangements for ramlala including 6 time arti and saryu jal snan
Manisha Jogi
Last Updated: 06:10 PM, 5 September 2023
સમગ્ર દેશ માટે જાન્યુઆરી 2024 ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. આ સમયે રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામલલાની પહેલી આરતી ઉતારશે. સમગ્ર દેશ ઘરે બેઠા આ ઉત્સવ જોઈ શકશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સાધુ સંતોની સલાહ અનુસાર રામ જન્મભૂમિમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે થનાર આયોજનની યોજના બનાવી રહ્યા છે. અયોધ્યામાં સંતો મહંતોની સાથે થયેલ બેઠકમાં વૈષ્ણવ સંપ્રદાયની પરંપરા અનુસાર અલગ અલગ બાબતો સામે આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી પહેલા આરતી ઉતારશે
રામ મંદિરમાં ભગવાન રામલલાને બિરાજમાન કરવા માટે તિથિ ને મુહૂર્ત નક્કી કરવામાં આવ્યા છે. 16થી 24 જાન્યુઆરી દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા માટે અનુષ્ઠાન કરવામાં આવશે. અભિજીત મુહૂર્તમાં રામલલા મૂળ ગર્ભગૃહમાં સિંહાસન પર બિરાજમાન હશે. દક્ષિણ અને ઉત્તર ભારતના 51 વૈદિક આચાર્ય અનુષ્ઠાન કરશે. આ દરમિયાન રામલલાને ગાય અને ગજ દર્શન કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામલલા પાલકી યાત્રાથી નગર ભ્રમણ માટે નીકળશે. રામલલા બિરાજમાન થયા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી પહેલા આરતી ઉતારશે. આ દરમિયાન દેશ-વિદેશના મહેમાન અને સાધુ સંતો હાજર રહેશે. રામ મંદિરનું ઉદઘાટન કોણ કરશે, તે નક્કી કરવામાં આવ્યું નથી.
દરરોજ 6 વાર રામલલાની આરતી કરવામાં આવશે
રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે જણાવ્યું છે કે, દેશના કેટલાક ધર્માચાર્યો સાથે ચર્ચા કર્યા પછી રામલલાની નિત્ય પૂજા અર્ચનાની વ્યવસ્થા કરવામાં આવી છે. કારસેવકપુરમમાં તીર્તક્ષેત્ર ટ્ર્સ્ટની બેઠક દરમિયાન રામલલાની પૂજા અર્ચનાના ક્રમમાં કેટલાક મહત્ત્વપૂર્ણ સૂચન આપવામાં આવ્યા છે. રામલલાનો દરરોજ સરયૂ જળથી અને પંચામૃતથી અભિષેક કરવામાં આવશે. સરયૂ જળ લાવવાની વ્યવસ્થા બાબતે પણ વિચારણાં કરવામાં આવશે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પછી દરરોજ છ આરતી કરવામાં આવશે. પહેલી આરતી રામલલાને જગાડવાની સાથે, બીજી આરતી સ્નાન કર્યા પછી, ત્રીજા આરતી રાજભોગ સમયે, ચોથી આરતી બપોરે રામલલાને જગાડવાની સાથે, પાંચમી આરતી સાંજે અને છઠ્ઠી આરતી રામલલાના સૂવા સમયે કરવામાં આવશે. રામ મંદિરમાં તહેનાત થનાર પૂજારીને પણ તાલીમ આપવામાં આવશે. દરરોજ વેદ મંત્રોના ઉચ્ચારણ પછી ગજ અને ગૌદર્શન કરાવવામાં આવશે.
ડિસેમ્બરમાં અયોધ્યા રામમય બની જશે
અયોધ્યાને ડિસેમ્બરથી જ રામમય બનાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. જે માટે રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અયોધ્યામાં બેઠક કરીને સલાહ લેવામાં આવી છે. બેઠકમાં રજૂ થયેલ પ્રસ્તાવ અનુસાર પ્રાણ પ્રતિષ્ઠાના આયોજનમાં દક્ષિણ અને ઉત્તરની પરંપરાઓને પૂર્ણ કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા બાબતે દરરોજ અનુષ્ઠાન અને મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવશે. રામલલાને પંચકોસી પરિક્રમા અંતર્ગત ભ્રમણ કરાવવાનો પણ પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. ટ્રસ્ટના સભ્યો દ્વારા રામકોટની પરિક્રમાના માધ્યમથી યાત્રા કાઢવાની યોજના પર વિચારણાં કરવામાં આવી રહી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્ર્સ્ટના સભ્ય તથા નિર્મોહી અખાડાના મહંત દિનેન્દ્ર દાસે જણાવ્યું કે, પ્રાણ પ્રતિષ્ઠા માટે સંતની સલાહ લેવામાં આવી રહી છે. બે મહિના પછી ટ્રસ્ટની બેઠક પર અંતિમ મહોર લગાવવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
આયુષ્યમાન ભવ / વૈજ્ઞાનિકોની સોનેરી સલાહ: 100 વર્ષ જીવવું હોય તો દરરોજ સવારે ઉઠી કરો આ 2 કામ
Workplace Health Tips