બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / Politics / Arwind Kejriwal on his resignation from CM designation during his meeting with AAP members
Vaidehi
Last Updated: 07:18 PM, 17 November 2023
આમ આદમી પાર્ટીનાં કન્વીનર અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે પાર્ટીનાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન કેજરીવાલે કહ્યું કે આપણું સંગઠન અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીની શક્તિ છે. આ સાથે જ તેમણે PM મોદી પર પણ નિશાન સાધ્યો હતો અને સાથે જ કહ્યું હતું કે મને જેલ મોકલવાનો પ્લાન બની ગયો છે.
मैं इस्तीफ़ा जूते की नोक पर रख कर चलता हूँ,
— Shahid Ansari🐦 (@shahidansari81) November 17, 2023
मुझे मुख्यमंत्री की कुर्सी का लालच नहीं है।
- CM @ArvindKejriwal 🔥🔥🔥 pic.twitter.com/hu031KHGqQ
'મને જેલ મોકલવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે'
અરવિંદ કેજરીવાલે કાર્યકર્તાઓ સાથેની મિટીંગ દરમિયાન PM નરેન્દ્ર મોદી પર નિશાન સાધચાં કહ્યું કે,' મને જેલ મોકલવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે. અમે લોકો જેલ જવાથી નથી ડરતાં. હું એકવખત 15 દિવસ માટે જેલમાં રહીને આવ્યો છું. અંદર ઠીક-ઠાક વ્યવસ્થાઓ હોય છે તેથી જેલ જવાથી તમે પણ કોઈ ડરશો નહીં. જો ભગત સિંહ આટલા દિવસ જેલમાં રહી શકે છે. મનીષ સિસોદિયા 9 મહિના જેલમાં રહી શકે છે. સત્યેંદ્ર જૈન એકવર્ષ જેલમાં રહી શકે છે જો આપણે જેલમાં જવાથી ન ડરવું જોઈએ.'
રાજીનામું આપવા અંગે વાત કરી રહ્યો છું- અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે આગલ લખ્યું કે,' અમને સત્તાની લાલચ નથી. 49 દિવસો બાદ રાજીનામું આપ્યું હતું. કોઈ પોતાની ચોકીદારીની નોકરીથી રાજીનામું નથી આપતું. મારા ખ્યાલથી હું દુનિયાનો પહેલો એવો મુખ્યમંત્રી છું જેણે પોતાની મરજીથી 49 દિવસો બાદ રાજીનામું આપ્યું હોય. રાજીનામાને હું પોતાના જૂતા નીચે લઈને ચાલુ છું. મુખ્યમંત્રીની ખુરશીની કોઈ લાલચ નથી. મને રાજીનામું આપવું જોઈએ કે જેલથી સરકાર ચલાવવી જોઈએ - આ વિષયે હું અલગ-અલગ લોકોની સાથે ચર્ચા કરી રહ્યો છું. પોતાના તમામ ધારાસભ્યો સાથે પણ ચર્ચા કરી રહ્યો છું. આજે પોતાના કાર્યકર્તાઓ સાથે વાત કરી.'
જનતાની મરજી વિના અમે કંઈ નહીં કરીએ- કેજરીવાલ
મુખ્યમંત્રીએ AAP કાર્યકર્તાઓને કહ્યું કે, 'હવે આ તમારા લોકોની જવાબદારી છે. દિલ્હીની જનતાએ આપણને ઘણો પ્રેમ આપ્યો છે. દિલ્હીની જનતાની મરજી વિના આપણે કંઈ નહીં કરીએ. તમારે દિલ્હીમાં ઘરે-ઘરે જવાનું છે અને જનતાને પૂછવાનું છે કે શું કરવું જોઈએ. આવનારા 10-15 દિવસોમાં આપણે દિલ્હીમાં તપાસ કરવાની છે. ઘરે-ઘરે જવાનું છે અને જનતાને પૂછવાનું છે કે શું રાજીનામું આપવું જોઈએ કે જેલમાં બેસીને સરકાર ચલાવવી જોઈએ..જે જનતા કહેશે એ અમે કરશું.'
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir