બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / andhra pradesh road accident darsi prakasam district seven people died
Malay
Last Updated: 10:24 AM, 11 July 2023
આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાં મંગળવારે ભયાનક અકસ્માત સર્જાયો છે. અહીં લગ્ન પ્રસંગમાં જઈ રહેલી એક બસ વહેલી સવારે કેનાલમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 7 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 35 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના પર આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું છે.પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.
#WATCH | Andhra Pradesh: Seven dead, several injured after a bus plunged into Sagar canal in Prakasam district. Rescue operation underway. pic.twitter.com/64Ptd1aomc
— ANI (@ANI) July 11, 2023
પોડિલીથી કાકીનાડા જઈ રહી હતી બસ
મળતી માહિતી અનુસાર, સોમવાર-મંગળવારની મધ્ય રાત્રીએ દર્શી નજીક જાનૈયાઓથી ભરેલી એક બસ સાગર કેનાલમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા છે. જ્યારે 35 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. જાનૈયાઓથી ભરેલી બસ પોડિલીથી કાકીનાડા જઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત સમયે બસમાં 40થી 45 લોકો સવાર હતા. અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
મૃતકોમાં એક બાળક પણ સામેલ
આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ડ્રાઈવરને ઝોકું આવી જતાં આ અકસ્માત સર્જાયો છે. મૃતકોમાં એક બાળક પણ સામેલ છે. આ ઉપરાંત દુર્ઘટનામાં 35 જેટલા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. મૃતકોની ઓળખ અબ્દુલ અઝીઝ (65), અબ્દુલ હાની (60), શેખ રમીઝ (48), મુલ્લા નૂરજહાં (58), મુલ્લા જાની બેગમ (65), શેખ શબીના (35) અને શેખ હિના (6) તરીકે થઈ છે.
મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો
આ માર્ગ અકસ્માત પર રાજ્યના મુખ્યમંત્રીએ પીડિતોના પરિવારના સભ્યો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીના કાર્યાલય તરફથી એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રીએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army