બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / Amit Shah introduces 3 new Bills in Parliament: said punishment for marrying under identity, people like Dawood will be punished
Megha
Last Updated: 10:15 AM, 12 August 2023
Amit Shah introduces 3 new Bills in Parliament: નરેન્દ્ર મોદી સરકારે લોકસભામાં આવા ત્રણ બિલ રજૂ કર્યા છે, જે ઘણા કાયદાઓની નવી વ્યાખ્યા નક્કી કરી શકે છે. ગૃહમંત્રી અમિત શાહે આ બિલો રજૂ કરતી વખતે તેમણે કહ્યું કે આગામી સમયમાં જ્યારે આ બિલ કાયદો બનશે ત્યારે ભારતીય ન્યાયિક સંહિતામાં મોટો ફેરફાર થશે. તેણે મોબ લિંચિંગથી માંડીને ભાગેડુ ગુનેગારો સુધીના કાયદામાં ઘણા ફેરફારોનો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે, આ બિલને સિલેક્ટ કમિટીને મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારનો ઉદ્દેશ્ય ન્યાય સુનિશ્ચિત કરવાનો છે સજા આપવાનો નથી
કેન્દ્ર સરકારે ભારતીય દંડ સંહિતા, ફોજદારી પ્રક્રિયા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમમાં સુધારા માટે શુક્રવારે લોકસભામાં ત્રણ બિલ રજૂ કર્યા છે. આ ત્રણ કાયદા દેશમાં અંગ્રેજોના સમયથી અમલમાં છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, સરકારનો ઉદ્દેશ્ય ન્યાય સુનિશ્ચિત કરવાનો છે સજા આપવાનો નથી. તેમણે કહ્યું કે, જે કાયદાઓ રદ કરવામાં આવશે તેનું ધ્યાન બ્રિટિશ વહીવટીતંત્રને સુરક્ષિત અને મજબૂત બનાવવા પર હતું. એ કાયદાઓનો વિચાર ન્યાય આપવાનો નહીં સજા કરવાનો હતો. હવે ત્રણેય નવા કાયદા ભારતીય નાગરિકોના અધિકારોનું રક્ષણ કરશે.
અમિત શાહે રજૂ કર્યા 3 બિલ
ભારતીય ન્યાય સંહિતા, 2023, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા, 2023 અને ભારતીય પુરાવા બિલ, 2023ને વધુ તપાસ માટે સંસદીય પેનલને મોકલવામાં આવશે. અમિત શાહે કહ્યું કે, નવા કાયદામાં અમારું લક્ષ્ય સજા આપવાનું નથી, પરંતુ ન્યાય આપવાનું છે. શાહે કહ્યું કે, 15 ઓગસ્ટના રોજ વડાપ્રધાને લાલ કિલ્લાની કિલ્લા પરથી દેશની સામે 5 શપથ લીધા હતા. તેમાંથી એક પ્રતિજ્ઞા હતી કે, અમે ગુલામીના તમામ ચિહ્નોને સમાપ્ત કરીશું. આજે હું જે ત્રણ બિલ લાવ્યો છું, તે ત્રણેય બિલ મોદીજીએ લીધેલા શપથમાંથી એકને પૂર્ણ કરી રહ્યા છે.
રાજદ્રોહનો કાયદો સમાપ્ત થશે
રાજદ્રોહની સજામાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા બિલમાં રાજદ્રોહનું નામ હટાવી દેવામાં આવ્યું છે. અમિત શાહે કહ્યું કે આ કાયદો બ્રિટિશ શાસનથી રાજદ્રોહના કાયદાને બચાવવા માટે બનાવવામાં આવ્યો હતો. હવે તેના પર હું કહેવા માંગુ છું કે આ સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે અને રાજદ્રોહને સંપૂર્ણ રીતે ખતમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ લોકતંત્ર છે અને અંહિયા બધાને બોલવાનો અધિકાર છે. આ કાયદામાં તેની સાથે સાથે અલગતાવાદ, સશસ્ત્ર વિદ્રોહ, વિધ્વંસક પ્રવૃતિઓ, ભાગલાવાદ આ બધાનું હવે પહેલીવખત કાયદાની અંદર અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. તપાસ કરનાર પોલીસ અધિકારીના સંજ્ઞાન પર કોર્ટ આદેશ કરશે, હવે પોલીસ અધિકારી આદેશ આપી શકશે નહીં. જે કોર્ટમાં સુનાવણી બાદ થશે.
ખોટી ઓળખ બતાવીને લગ્ન કરનાર માટે સજાની જોગવાઈ
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ' મહિલાઓ વિરુદ્ધના અપરાધો અને સામાજિક સમસ્યાઓનો સામનો કરવા માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે. લગ્ન, નોકરી અને પદના ખોટા વાયદા આપી અને ખોટી ઓળખ બતાવીને જે લોકો શારીરિક સંબંધ બાંધતા હતા મોદી સરકારે પહેલીવાર એવા લોકોને અપરાધની શ્રેણીમાં લાવી રહી છે. ગેંગરેપના તમામ કેસમાં 20 વર્ષની સજા અથવા આજીવન કેદની જોગવાઈ કરવામાં આવી રહી છે જે હાલ નથી અને એ સાથે જ 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓના કેસમાં મૃત્યુદંડની જોગવાઈ પણ છે.
ભાગેડુઓને હવે સજા થશે
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, 'ટ્રાયલ સમયે ગાયબ રહેનારા ગુનેગારો માટે પણ સજાની જોગવાઈ કરવામાં આવી છે. બધા જાણીએ જ છીએ કે દાઉદ ઘણા કેસમાં વોન્ટેડ છે અને એ ભાગી ગયો છે સાથે જ તેની ટ્રાયલ થતી નથી. એટલા માંટએ અમે નક્કી કર્યું છે કે સેશન્સ કોર્ટના જજ સમગ્ર પ્રક્રિયા બાદ જેને ભાગેડુ જાહેર કરશે તેની ગેરહાજરીમાં પણ કેસ ચલાવવામાં આવશે અને તેમને સજા ફટકારવામાં પણ આવશે. દુનિયામાં જ્યાં પણ છુપાઈને બેસી જાય પણ તેને સજા થશે. જો તે સજાથી બચવા માંગતો હોય તો તેને ન્યાયનિ શરણમાં આવવું પડશે અને આ કાયદાથી આનાથી ઘણો ફરક પડશે.
ગૃહમંત્રી શાહે કહ્યું- દાઉદ ઈબ્રાહીમ દેશ છોડીને ભાગી ગયો, તેના પર ટ્રાયલ નથી ચાલી શકતો. આજે અમે નક્કી કર્યું છે કે જેને ભાગેડુ જાહેર કરવામાં આવશે તેની ગેરહાજરીમાં પણ ટ્રાયલ ચાલશે અને તેને સજા થઈ શકશે#AmitShah #LokSabha #vtvgujarati #VTVCard pic.twitter.com/7UeXCs6c8O
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 11, 2023
મોબ લિંચિંગ પર પણ સજાનો કાયદો
અમિત શાહે કહ્યું કે મોબ લિંચિંગને લઈને લોકો ઘણી ચર્ચા કરી રહ્યા છે અને અમે તેને ખૂબ કાળજીપૂર્વક જોયું અને નકીજિ કર્યું કે મોબ લિંચિંગ માટે પણ 7 વર્ષની કેદ અથવા આજીવન કેદ અને મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવી છે.
સ્નેચરો પર ચાલશે કાનૂનનો દંડો
અમિત શાહે કહ્યું કે સ્નેચિંગ માંટએ કોઈ જોગવાઈ નથી કે તે મહિલાઓની ચેઈન હોય કે અન્ય કંઈપણ. ઘણા લોકો છુપાઈ ગયા કારણ કે તે ચોરી ન હતી અને સ્નેચિંગ માટે કોઈ જોગવાઈ ન હતી. હવે સ્નેચિંગ માટે પણ જોગવાઈ લાવવામાં આવી છે. 324 માં જો ગંભીર ઇજાને કારણે નિષ્ક્રિયતાની સ્થિતિ થાય છે તો સજા ફક્ત 7 વર્ષની હતી. કોઈને થોડું લાગી જાય અને અઠવાડિયામાં હોસ્પિટલમાંથી બહાર આવે, તો તેની સજા થોડી અલગ છે. જો કાયમી અપંગતા આવે તો તેની સજા 10 વર્ષ અથવા આજીવન કેદની છે.
હવે એસપી કોર્ટને બધુ જણાવશે
શાહે કહ્યું કે ડીજીપી પાસે કદાચ સમય નથી અથવા તો કેટલાક ડીજીપી નિવૃત્ત થઈ ગયા છે. તેથી હવે તેને બોલાવવાની જરૂર નથી. હવે નવા કાયદા હેઠળ જે તે સમયના એસપી ફાઇલ જોયા બાદ કોર્ટને એ વિશે દરેક માહિતી જણાવશે.
હવે સજાની માફી પર પણ શરતો છે
અમિત શાહે કહ્યું કે જે ગુનેગારો દેશમાંથી ભાગી જતા હતા તેમની સામે 10 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે. સજા માફીના રાજનીતિને વાપરવાવાળ ઘણા કિસ્સા સામે આવતા હતા પણ હવે જો કોઈને સજા માફ કરવી હોય તો મૃત્યુદંડની સજા આજીવન કેદમાં માફ કરી શકાય છે અને આજીવન કેદની સજા 7 વર્ષની જ માફ કરી શકાય છે. 7 વર્ષની જેલની સજા 3 વર્ષ સુધી જ માફ કરી શકાય છે.
બિલમાં નવું શું છે ?
પ્રસ્તાવિત નવા IPC વિભાગો
હવે IPC નહીં, ભારતીય ન્યાય સંહિતા#IPC #AmitShah #BharatiyaNyayaSanhitaBill #VTVGujarati #VTVCard pic.twitter.com/Tk3p8KSG85
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 11, 2023
કલમ 150 શું કહે છે ?
જે કોઈ પણ બોલેલા અથવા લખેલા શબ્દો દ્વારા અથવા ચિહ્નો દ્વારા અથવા દૃશ્યમાન પ્રતિનિધિત્વ દ્વારા અથવા ઇલેક્ટ્રોનિક સંદેશાવ્યવહાર દ્વારા અથવા નાણાકીય માધ્યમોનો ઉપયોગ કરીને અથવા અન્યથા, અલગતા અથવા સશસ્ત્ર બળવો અથવા વિધ્વંસક પ્રવૃત્તિઓને ઉશ્કેરે છે અથવા પ્રયાસ કરે છે અથવા અલગતાવાદી પ્રવૃત્તિઓની લાગણીઓને પ્રોત્સાહન આપે છે અથવા સાર્વભૌમત્વને જોખમમાં મૂકે છે. અથવા ભારતની એકતા અને અખંડિતતા અથવા આવા કોઈ કૃત્યમાં સામેલ હોય અથવા કરે તો તેને આજીવન કેદ અથવા સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે અને દંડ પણ થઈ શકે છે.
કલમ 150ની જોગવાઈઓમાં મુખ્ય ફેરફારો શું છે?
બળાત્કાર પીડિતાની ઓળખ છતી કરવા બદલ સજા
આ સાથે નવા કાયદામાં રેપ પીડિતાની ઓળખ છતી કરવા માટે સજાની જોગવાઈ છે. કલમ 72. (1) જે કોઈ નામ છાપે છે અથવા પ્રકાશિત કરે છે અથવા કોઈપણ બાબત કે જેના દ્વારા કોઈપણ વ્યક્તિની ઓળખ થઈ શકે છે જેની સામે કલમ 63 અથવા કલમ 64 અથવા કલમ 65 અથવા કલમ 66 અથવા કલમ 67 અથવા કલમ 68 હેઠળ કાર્યવાહીનો આરોપ મૂકવામાં આવ્યો છે હેઠળ ગુનો કર્યો છે- જે ગુનો આચરવામાં આવ્યો છે (ત્યારબાદ આ વિભાગમાં પીડિત તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે) તેને બે વર્ષ સુધી લંબાવી શકે તેવી મુદત માટે કોઈપણ વર્ણનની કેદની સજા કરવામાં આવશે અને દંડ પણ લાદવામાં આવી શકે છે.
આજીવન કેદ વ્યાખ્યાયિત
આજીવન કેદને કુદરતી જીવન માટે કેદ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તે મુદત માટે સખત કેદની સજા કરવામાં આવશે જે દસ વર્ષથી ઓછી ન હોય પરંતુ જે આજીવન કારાવાસ સુધી વિસ્તરી શકે છે જેનો અર્થ તે વ્યક્તિના કુદરતી જીવનની બાકીની જેલની સજા થશે અને તે દંડને પણ જવાબદાર રહેશે.
મહિલાઓની ખાનગી તસવીરો વાયરલ કરવા બદલ સજા
નવા કાયદામાં મહિલાનો ખાનગી વીડિયો/ફોટો વાયરલ કરવા પર સજાની જોગવાઈ છે. કલમ 76માં જે કોઈ સ્ત્રીને કોઈ ખાનગી કૃત્ય કરતી હોય તેવા સંજોગોમાં અવલોકન કરે છે અથવા ફોટોગ્રાફ કરે છે જ્યાં તે સામાન્ય રીતે ગુનેગાર અથવા અન્ય કોઈ વ્યક્તિ દ્વારા ગુનેગારના આદેશ પર જોવાની અપેક્ષા ન હોય અથવા આવા ફોટોગ્રાફને વાયરલ થવાનું કારણ બને તો - પ્રથમ દોષિત ઠરે, એવી મુદત માટે કેદની સજા થઈ શકે જે એક વર્ષથી ઓછી ન હોય પરંતુ જે ત્રણ વર્ષ સુધી લંબાવી શકે અને દંડને પણ પાત્ર હશે. બીજા કે પછીના દોષી સાબિત થવા માટે કેદની સજા થશે. કોઈપણ મુદત માટે કે જે ત્રણ વર્ષથી ઓછી ન હોય પરંતુ જે સાત વર્ષ સુધી લંબાવી શકે અને દંડને પાત્ર પણ રહેશે.
FIR થી ચુકાદા સુધી... બધી પ્રક્રિયા ઓનલાઈન હશે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir