બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Politics / Akhilesh Yadav has announced to give free electricity

વાયદો / UP માં અખિલેશની મોટી જાહેરાત, ચૂંટણી જીત્યા બાદ ખેડૂતો સહિત તમામને મળશે આ ફાયદો, આ તો ગુજરાતમાં પણ થવું જોઈએ

Khyati

Last Updated: 06:00 PM, 1 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સત્તામાં આવવા સમાજવાદી પાર્ટીની મોટી જાહેરાત, ઘરેલુ વપરાશકર્તાઓને 300 યુનિટ સુધી તથા ખેડૂતોને સિંચાઇ માટે વીજળી મળશે ફ્રી

  • ચૂંટણીને લઇને અખિલેશ યાદવની જાહેરાત
  • સપાની સરકાર આવે તો ફ્રી વીજળીનો કર્યો વાયદો
  • ઘરેલુ વપરાશકર્તાઓને 300 યુનિટ વીજળી ફ્રી
  • ખેડૂતોને સિંચાઇ માટે મળશે ફ્રીમાં વીજળી 

ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય ગતિવિધી તેજ બની છે ત્યારે અખિલેશ સરકારે સત્તામાં આવવા માટે ફ્રીમાં વીજળી આપવાની જાહેરાત કરી છે.. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે નવા વર્ષે સપા કાર્યકર્તાઓને સંબોધન કરતા જાહેરાત કરી કે જો સપાની સરકાર બનશે તો ઘરેલુ વપરાશકર્તાઓને 300 યુનિટ વીજળી ફ્રીમાં આપવામાં આવશે.સાથે જ ખેડૂતોને સિંચાઇ માટે પણ વીજળી ફ્રીમાં આપવામાં આવશે.

સપાએ AAPના ચૂંટણી વચનને અપનાવ્યું

સપાની આ મહત્વપૂર્ણ જાહેરાત એટલા માટે ખાસ છે કારણ કે આમઆદમી પાર્ટીએ પણ ઉત્તરપ્રદેશમાં સરકાર બનવા પર 300 યુનિટ વીજળી ફ્રી આપવાનું વચન આપ્યુ હતું.  અખિલેશ યાદવે એલાન કર્યુ કે નવા  વર્ષે દરેક લોકો કોઇ સંકલ્પ લે છે.  ત્યારે અમારો સંકલ્પ એ છે કે જો સપાની સરકાર બનશે તો ઘરેલું વપરાશકર્તાઓને 300 યુનિટ ફ્રીમાં વીજળી આપીશું. તેમણે વધુમાં એમ પણ જણાવ્યુ કે સપાના કહેવામાં અને કાર્ય કરવામાં કોઇ ફરક નથી હોતો. ભાજપ સૌથી વધુ જુઠ્ઠી પાર્ટી છે.

ભાજપ પર સાધ્યુ નિશાન

સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધતા ભાજપ પર નિશાન તાક્યુ હતું. તેઓએ જણાવ્યુ કે તેઓએ સપાના કારોબારી પર રેડ પાડવાની હતી પરંતુ પોતાનો ઉદ્યોગપતિ માર્યો ગયો. આ ડિઝિટલ ઇન્ડિયાની સૌથી મોટી ભૂલ છે.

ચૂંટણીની તૈયારી કરવા આહ્વાન

અખિલેશ યાદવે કાર્યકર્તાઓને ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત થવા માટે આહવાન કર્યુ છે.  તેમણે જણાવ્યુ કે જનતાનું જે પ્રમાણે સપાને સમર્થન મળી રહ્યુ છે તે જોતા ઉત્તર પ્રદેશમાં સપાની સરકાર બનશે તે નક્કી છે.  તેમજ જે કાર્યકર્તાઓએ પુષ્પગુચ્છ  લઇને આવ્યા હતા  તેઓ પાર્ટીને પોતાના બૂથ પર જીતાડવાની જવાબદારી લે તેમ પણ જણાવ્યુ. સાથે જ 2022 ઉત્તર પ્રદેશ માટે પરિવર્તનનું વર્ષ સાબિત થશે તેમ વાત કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ