બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / Adding to Ashish Mishra's woes, the High Court refused to hand over the land
ParthB
Last Updated: 04:36 PM, 26 July 2022
હાઈકોર્ટની લખનૌ બેંચે લખીમપુર ખેરીના તિકોનિયા હિંસા કેસમાં આશિષ મિશ્રાની જામીન અરજી ફગાવી દીધી છે. એટલે કે આશિષ મિશ્રાને અત્યારે જેલમાં જ રહેવું પડશે. એવું માનવામાં આવતું હતું કે તેને કેટલીક શરતો સાથે જામીન આપવામાં આવી શકે છે, પરંતુ તેમ થયું નહીં.
Lakhimpur violence case | Lucknow bench of Allahabad High Court rejects bail petition of main accused Ashish Mishra
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 26, 2022
Court refuses to grant him bail.
હાઈકોર્ટે આશિષ મિશ્રા જામીન અરજી ફગાવી
કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાની જામીન અરજી ફગાવી દેતા હાઈકોર્ટે આકરી ટીપ્પણી કરી હતી કે લખીમપુર કેસમાં 4 ખેડૂતોના મોત થયા હતા. આરોપીની કાર ત્યાં હાજર હતી, આ સૌથી મોટી હકીકત છે. આ કેસ જઘન્ય અપરાધની શ્રેણીમાં આવે છે. આશિષ મિશ્રા વતી વરિષ્ઠ વકીલ ગોપાલ ચતુર્વેદી, પીડિતો વતી કમલજીત રાઠડા, રાજ્ય સરકાર વતી એએજી વિનોદ શાહી હાજર રહ્યા હતા.
અગાઉ આ મામલાની સુનાવણી 15 જુલાઈએ થઈ હતી
તે વખતે કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. પરંતુ મંગળવારે હાઈકોર્ટે આશિષ મિશ્રાની જામીન અરજી રદ્દ કરી તેને ફરીથી જેલમાં મોકલી દીધો હતો. આશિષ મિશ્રાને હાલ જેલમાં જ રહેવું પડશે. આશિષ મિશ્રાના વકીલોએ તેમને જામીન અપાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો પરંતુ કોર્ટ તેમની દલીલોને સફળ બનાવી શકી નહોતી. પહેલા એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે તેમને કેટલીક શરતો સાથે જામીન આપવામાં આવી શકે છે, આવી સ્થિતિમાં કોર્ટનો આ નિર્ણય તેમના માટે મોટા આંચકા સમાન છે.
આ બાબતે આશિષ મિશ્રાના વકીલો તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી
જો કે હજુ સુધી આ બાબતે આશિષ મિશ્રાના વકીલો તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે વકીલો ફરી એકવાર કોર્ટમાં રિવ્યુ અરજી મૂકી શકે છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 3 ઓક્ટોબરના રોજ લખીમપુર ખીરીના તિકોનિયામાં થયેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત થયા હતા. આ કેસમાં આશિષ મુખ્ય આરોપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ