બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / actor naresh babu got married fourth time without divorcing third wife rules of marriage in Hindu law

લ્યો બોલો.. / ત્રીજી પત્નીને તલાક આપ્યા વગર જ એ અભિનેતાએ કરી લીધા ચોથા લગ્ન, હિન્દુ કાયદામાં શું છે લગ્નના નિયમ

Pravin Joshi

Last Updated: 11:05 PM, 10 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નરેશ બાબુએ પોતાની ત્રીજી પત્નીને છૂટાછેડા લીધા વગર ચોથી વાર લગ્ન કરી લીધા છે. આ હિંદુ લગ્ન કાયદાની વિરુદ્ધ છે. આવી સ્થિતિમાં નરેશ બાબુ પણ મુશ્કેલીમાં ફસાઈ શકે છે.

  • મહેશ બાબુના કઝીન નરેશ બાબુએ કર્યા ચોથા લગ્ન
  • ત્રીજી પત્નીને છૂટાછેડા આપ્યા વગર કર્યા લગ્ન
  • મહેશ બાબુના આ હિંદુ લગ્ન કાયદાની વિરુદ્ધ 

સાઉથના અભિનેતા અને મહેશ બાબુના કઝીન નરેશ બાબુએ અભિનેત્રી પવિત્રા લોકેશ સાથે લગ્ન કરી લીધા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આ તેના ચોથા લગ્ન છે અને તેના કારણે તે ચર્ચામાં છે. લગ્ન દરમિયાનના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે અને ચાહકો તેમને આ ખાસ અવસર પર અભિનંદન આપી રહ્યા છે. પરંતુ નવાઈની વાત એ છે કે નરેશ બાબુએ પોતાની ત્રીજી પત્નીને છૂટાછેડા લીધા વગર ચોથી વાર લગ્ન કરી લીધા છે. આ હિંદુ લગ્ન કાયદાની વિરુદ્ધ છે. જેના પગલે નરેશ બાબુ પણ મુશ્કેલીમાં ફસાઈ શકે છે. ચાલો જાણીએ હિંદુ કાયદો શું કહે છે અને લગ્નના નિયમો શું છે...


કાયદાના નિયમો શું છે?
હિંદુ કાયદા મુજબ એવું માનવામાં આવે છે કે જે દંપતી પહેલાથી જ પરિણીત છે તેમાંથી કોઈપણ ફરીથી લગ્ન કરવા માંગે છે તો તેણે તેમના જીવનસાથીને છૂટાછેડા આપવા પડશે. હિંદુ મેરેજ એક્ટ મુજબ વ્યક્તિ કાયદેસર રીતે અલગ થયા પછી જ ફરીથી લગ્ન કરી શકે છે. જો કોઈ વ્યક્તિ તેના જીવનસાથી સાથે છૂટાછેડા લીધા વિના બીજા લગ્ન કરે છે તો તે હિન્દુ મેરેજ એક્ટ મુજબ અમાન્ય ગણવામાં આવશે. આ મુજબ કહી શકાય કે નરેશ બાબુના મામલામાં તેમની ત્રીજી પત્ની રામ્યા એકમાત્ર એવી વ્યક્તિ છે જેને નરેશ બાબુના આ લગ્ન વિરૂદ્ધ કેસ દાખલ કરવાનો અધિકાર છે. જો કે, રામ્યાના પક્ષ તરફથી હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

રામ્યાએ છૂટાછેડા લેવાની ના પાડી દીધી છે
જણાવી દઈએ કે રામ્યા પહેલા જ કહી ચૂકી છે કે તે નરેશને ડિવોર્સ નહીં આપે. નરેશ અને રામ્યા પ્રેમમાં પડ્યા અને બંનેએ લગ્ન કરી લીધા. આ લગ્નથી દંપતીને એક પુત્ર પણ છે. થોડા સમય પહેલા રામ્યાએ આ બાબતે કહ્યું હતું કે- મેં મારા પુત્ર માટે ઘણું સહન કર્યું છે. હું મારા પતિ સાથે રહીશ. ભલે ગમે તે થાય, હું તેને ક્યારેય છૂટાછેડા આપીશ નહીં.

ચોથા લગ્ન પર નરેશે શું કહ્યું?
નરેશ તેના ચોથા લગ્નને લઈને ખૂબ જ ખુશ છે. આ ખાસ પ્રસંગે ટ્વિટર પર વીડિયો શેર કરતા તેણે કહ્યું- નવી શરૂઆત, ભગવાન કરે તમારા બધાના આશીર્વાદ મળે અને હું શાંતિપૂર્ણ દાંપત્ય જીવન જીવું. એક પવિત્ર સંબંધ. બે મગજ, સાત પગલાં અને તમારા બધા પાસેથી આશીર્વાદની અપેક્ષા. તમારા પવિત્રા નરેશ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ