બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Vaidehi
Last Updated: 09:40 AM, 19 November 2023
ભારત vs ઑસ્ટ્રેલિયાની ટીમો આજે બ્લૉકબસ્ટર વર્લ્ડકપ 2023 ફાઈનલ મેચ રમવા માટે તૈયાર છે. સ્ટેડિયમમાં બોલિવૂડ સ્ટાર્સથી લઈને અનેક મોટા દિગ્ગજો મેચ જોવા માટે આવવાનાં છે. આ સાથે જ 1.30 લાખ દર્શકો સ્ટેડિયમમાં હાજર રહેશે. આ ધમાકેદાર ઐતિહાસિક મેચને જીતવાનું પ્રેશર ટીમ ઈન્ડિયા પર છે. તેવામાં કેપ્ટન રોહિત શર્મા પ્લેઈંગ-11માં ફેરફાર કરીને પોતાની નવી રણનીતિ અપનાવી શકે છે.
હાર્દિક-શાર્દૂલની જગ્યાએ સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ શમી
ભારતીય ટીમ બેટિંગ અને બોલિંગ બંનેમાં ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. હાર્દિકનાં ઘાયલ થયા બાદ શાર્દૂલનું પણ પત્તું આ ટૂર્નામેંટમાંથી કપાઈ ગયું. જો કે રિપ્લેસમેંટમાં આવેલા ખેલાડીઓએ કેપ્ટનનાં નિર્ણયને સાચો સાબિત કરી દેખાડ્યો છે. હાર્દિક-શાર્દૂલની જગ્યાએ સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ શમીએ જગ્યા બનાવી. શમીએ આવતાંની સાથે જ પોતાનો કમાલ મેદાનમાં દેખાડી દીધો.
સૂર્યકુમાર પર બધાની નજર
સૂર્યકુમારે ઈંગ્લેંડની સામે લખનઉમાં થયેલ મેચમાં 49 રનની ઈનિંગ રમી હતી. જે બાદ તેમને ઘણાં ઓછા મોકા મળ્યાં અને તે પોતાને સાબિત ન કરી શક્યાં. જો કે તેઓ ફાઈનલમાં તો રમવાનાં જ છે. જો તેમને મોકો મળે છે તો તેઓ આ મેચમાં પોતાનું બેસ્ટ આપીને છવાઈ જવાનો પ્રયાસ કરવા ઈચ્છે. જો કે રોહિત શર્મા પ્લેઈંગ-11માં ફેરફાર કરે તેના ચાન્સ પણ થોડાઘણાં છે.
શું અશ્વિનની થશે વાપસી?
સોશિયલ મીડિયા પર ક્રિકેટ એક્સપર્ટ્સે ટીમ ઈન્ડિયાને ઑસ્ટ્રેલિયા સામે જીતવા માટે રવિચંદ્રન અશ્વિનને મોકો આપવાની વાત કરી છે. અશ્વિન આ વિશ્વકપમાં એક જ મેચ રમ્યાં છે. તેમને ચેન્નઈમાં ઑસ્ટ્રેલિયાની સામે ભારતની પહેલી મેચ રમવાનો મોકો મળ્યો હતો. તેમણે 34 રન આપીને એક વિકેટ લીધી હતી. ઑસ્ટ્રેલિયન ટીમનાં 2 ઓપનર ડેવિડ વૉર્નર અને ટ્રેવિસ હેડ ડાબા હાથનાં બેટર છે. તેમની સામે અશ્વિન પ્રભાવી સાબિત થઈ શકે છે. સ્ટીવ સ્મિથની સામે પણ તેમનો રેકોર્ડ શાનદાર છે. કહેવામાં આવી રહ્યું છે કે રોહિત શર્મા સિરાજની જહ્યાએ અશ્વિનને પ્લેઈંગ-11માં મોકો આપી શકે છે. જો કે રોહિત શર્મા પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કરવાનાં મૂડમાં નથી લાગતાં.
લાબુશેન રમશે કે માર્કસ સ્ટોઈનિસ
ઑસ્ટ્રેલિયાની ટીમની વાત કરીએ તો તેમની ચિંતા માર્નશ લાબુશેન અને માર્કસ સ્ટોઈનિસમાંથી કોઈ એકને સિલેક્ટ કરવાની હોઈ શકે છે. લાબુશેને આ વિશ્વકપમાં અત્યારસુધી 10 મેચોમાં 304 રન બનાવ્યાં છે. જ્યારે સ્ટોઈનિસે 6 મેચોની 5 ઈનિંગમાં 87 રન બનાવ્યાં છે. આ આંકડાઓ તેમના જેવા ખેલાડીઓ માટે ઘણાં ખરાબ છે. બોલરમાં પણ સ્ટોઈનિસ 4 જ વિકેટ લઈ શક્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ