બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ધર્મ / Why Garuda Purana should be heard after the death of a family member, know about the things related to it
Megha
Last Updated: 05:13 PM, 19 November 2022
ગરુડ પુરાણ આપણા હિંદુ ધર્મનો એક એવો ગ્રંથ છે જેમાં જન્મ-મરણથી લઈને સ્વર્ગ-નર્ક અને બીજી ઘણી બધી બાબતોનું વર્ણન જોવા મળે છે. ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ પછી શું થાય છે જે વ્યક્તિને મોક્ષ કે દુઃખ તરફ લઈ જાય છે. જણાવી દઈએ કે ગરુડ પુરાણમાં કુલ ઓગણીસ હજાર શ્લોક છે જેમાં એવા સાત હજાર શ્લોક છે જે વ્યક્તિ માટે જ્ઞાન, ધર્મ, નીતિ, જીવન, આદર, સદાચાર, ત્યાગ અને તપનું મહત્વ દર્શાવે છે.
આ સાથે જ ગરુડ પુરાણનું જ્ઞાન વ્યક્તિને સાચા માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. જ્યારે પણ ઘરમાં કોઈ પરિવારના સભ્યનું મૃત્યુ થાય છે એ સમયે ગરુડ પુરાણનો પાઠ 13 દિવસ સુધી કરવામાં આવે છે. સાથે જ પરિવારના બધા સભ્યો સાથે બેસીને પાઠ સાંભળે છે. જણાવી દઈએ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગરુડ પુરાણનો પાઠ કરવાથી મૃતકની આત્મા આસક્તિમાંથી મુક્તિ મેળવીને મોક્ષ પ્રાપ્ત કરે છે.
પરિવારના કોઈ સભ્યના મૃત્યુ પછી ગરુડ પુરાણ સાંભળવાનું મહત્વ
એવું માનવામાં આવે છે કે મૃતકની આત્મા 13 દિવસ સુધી ઘરમાં જ રહે છે અને એટલા માટે ગરુડ પુરાણનો પાઠ કરવામાં આવે છે. સાથે મૃતકો પણ આ પાઠ સાંભળે છે અને તેનાથી તે સ્વર્ગ, નરક, ગતિ, મોક્ષ, દુઃખ અને તમામ પ્રકારની ગતિઓ વિશે જાણે છે.
જણાવી દઈએ કે ગરુડ પુરાણનો પાઠ સાંભળવાથી તેઓને ખબર પડે છે કે મૃત્યુ પછીની યાત્રામાં તેમને કઇ વસ્તુઓનો સામનો કરવો પડશે અને તેઓ કઈ દુનિયામાં જશે.
જ્યારે પરિવારના કોઈ સભ્યના મૃત્યુ પછી ઘરમાં ગરુડ પુરાણનો પાઠ કરવામાં આવે એ સમયે મૃતકની સાથે પરિવારના સભ્યોને પણ ખબર પડે છે કે મોક્ષ શું છે અને મૃત્યુ પછી કયા પ્રકારનાં કાર્યો કરવાથી મોક્ષ મળી શકે છે
ગરુડ પુરાણમાં સ્વર્ગ-નર્ક વિશે કહેવામાં આવ્યું છે ઉપરાંત મૃત્યુ પછી કર્મોના આધારે જ સજા આપવામાં આવે છે એમ પણ કહેવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કઈ કઈ વસ્તુઓ વ્યક્તિને મોક્ષ તરફ લઈ જાય છે.
માન્યતા અનુસાર મૃત્યુ પછી ગરુડ પુરાણનો પાઠ સાંભળવાથી મૃતકની આત્માને શાંતિ મળે છે અને તે પરિવાર પ્રત્યેનો લગાવ અને દુનિયાના તમામ દુ:ખ છોડીને ભગવાનના માર્ગે ચાલે છે.
જો કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક લોકોની આત્મા મૃત્યુ પછી તરત જ બીજો જન્મ લે છે તો કેટલાકને 3 દિવસ, કેટલાકને 10-13 દિવસ અને કેટલાકને 1.25 મહિના લાગે છે. આ સાથે જ જો કોઈ વ્યક્તિ અકાળે મૃત્યુ પામે છે, તો તેને બીજો જન્મ લેવા માટે એક વર્ષ લાગે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army