બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
VTV / ભારત / Uttarkashi 41 laborers trapped in Uttarkashi tunnel will come out soon worked on a war footing to get these workers out.
Pravin Joshi
Last Updated: 09:03 AM, 29 November 2023
ઉત્તરકાશી ટનલ દુર્ઘટનામાં 17માં દિવસે મોટી સફળતા મળી છે. ટનલની અંદર ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. મજૂરોના સંબંધીઓ, પરિવારના સભ્યો સુરંગની બહાર તેમના બહાર આવવાની રાહ જોઈ રહ્યા હતા તો સાથે સાથે આખો દેશ તેમની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યો હતો. એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ કામદારોને બહાર કાઢ્યા પછી તેમની પ્રારંભિક તબીબી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ માટે તબીબો અને નિષ્ણાતોની ટીમ ત્યાં તૈનાત પણ તૈનાત હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યા હતા. તેઓ ઉત્તરાખંડના મુખ્યમંત્રીના ફોન પર પળે પળની અપડેટ્સ લઈ રહ્યા હતા. પીએમઓના ઘણા અધિકારીઓ પણ ટનલની બહાર હાજર હતા.
તમને જણાવી દઈએ કે NDRF, SDRF, ભારતીય સેના અને અન્ય રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓને સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી. જેમાંથી ઘણા લોકોએ અને અધિકારીઓએ 41 ફસાયેલા મજૂરોના બચાવ કાર્યમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જો કે, અમે એવા મહત્વના નામો વિશે જણાવી રહ્યા છીએ જેમણે આ સફળ બચાવ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આવો તેમના વિશે જાણીએ..
IAS અધિકારી નીરજ ખૈરવાલ
IAS અધિકારી નીરજ ખૈરવાલને સિલ્ક્યારા ટનલ તુટી જવાની ઘટના માટે નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેઓ છેલ્લા 10 દિવસથી બચાવ કામગીરીની દેખરેખ અને કમાન્ડિંગ કરી રહ્યા હતા. ખૈરવાલ બચાવ સ્થળ પરથી સીએમઓ અને પીએમઓને કલાકદીઠ અપડેટ આપી રહ્યા હતા. તેઓ ઉત્તરાખંડ સરકારમાં સચિવ પણ છે.
માઇક્રો-ટનલિંગ નિષ્ણાત ક્રિસ કૂપર
ક્રિસ કૂપર દાયકાઓથી માઇક્રો-ટનલિંગ નિષ્ણાત તરીકે કામ કરી રહ્યા છે. આ બચાવ કામગીરી માટે તેમને ખાસ બોલાવવામાં આવ્યા હતા. તેઓ 18 નવેમ્બરે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આવી સ્થિતિમાં તેમનો અનુભવ ઘણો અસરકારક સાબિત થયો છે. કૂપરે પોતે કામ ઝડપથી પૂર્ણ કરવા માટે આગ્રહ કર્યો હતો. તેઓ ઋષિકેશ કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટ માટે આંતરરાષ્ટ્રીય સલાહકાર પણ છે.
લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈન (નિવૃત્ત), સભ્ય, NDRF
સૈયદ અતા હસનૈન, ભારતીય સેનાના નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ અને NDRF ટીમના સભ્ય છે. તેઓ ઉત્તરાખંડ ટનલ દુર્ઘટનામાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની ભૂમિકાની દેખરેખ કરી રહ્યા હતા. લેફ્ટનન્ટ જનરલ હસનૈન અગાઉ શ્રીનગરમાં તૈનાત ભારતીય સેનાના GOC 15 કોર્પ્સના સભ્ય હતા. આ રેસ્ક્યુ ઓપરેશનમાં તેમની ભૂમિકા પણ ઘણી મહત્વની રહી હતી.
ટનલિંગ નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સ
વૈજ્ઞાનિક સંશોધક અને અંડરગ્રાઉન્ડ ટનલ એક્સપર્ટ આર્નોલ્ડ ડિક્સ પણ ઉત્તરકાશી ટનલ દુર્ઘટનામાં ફસાયેલા કામદારોને બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હતા. ડિક્સ 20 નવેમ્બરે ટનલ સાઇટ પર પહોંચ્યા હતા. તેમણે છેલ્લા 7 દિવસમાં દરેકને સકારાત્મક રહેવાની સલાહ આપી. ડિક્સ ભૂગર્ભ બાંધકામ સાથે સંકળાયેલા જોખમો અંગે સલાહ આપે છે. ઉપરાંત તેઓ આ ટનલ બનાવવામાં વિશ્વના અગ્રણી નિષ્ણાતોમાંના એક છે.
રેટ હોલ માઇનિંગ નિષ્ણાતોની ટીમ
માઈક્રો-ટનલિંગ, મેન્યુઅલ ડ્રિલિંગ અને ફસાયેલા કામદારોને બચાવવા માટે મધ્યપ્રદેશથી છ રેટ હોલ માઈનિંગ નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા છે. આ લોકોએ કામદારોને બહાર કાઢવા માટે નાખવામાં આવેલી સાંકડી 800 એમએમ પાઇપ પર નજર રાખી છે. રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ સાથે સ્થાનિક ડ્રિલિંગ નિષ્ણાતો, પર્યાવરણ નિષ્ણાતો, NDRF અને SDRFના સભ્યો તેમજ ભારતીય સેનાને પણ અહીં તૈનાત કરવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP