બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / અમદાવાદ / Union Home Minister Amit Shah will visit Gujarat on 24th, know what is the program
Vishal Khamar
Last Updated: 06:46 PM, 21 October 2023
કેન્દ્રીય ગૃહમંત્રી ફરી એક વખત ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. તા. 24 ઓક્ટોબરે અમિત શાહ ઈફ્કો દ્વારા ગુજરાતમાં તૈયાર કરવામાં આવેલ નેનો ડેપ લિક્વિડ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ત્યારે આ લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહેવાનું જાણવા મળી રહ્યું છે.
ગાંધીનગર ખાતે ટોચનાં નેતાઓની બેઠક મળી હતી
તા. 26 નાં રોજ કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત મુલાકાતે હતા. તે દરમ્યાન અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મંત્રી નિવાસમાં ભાજપનાં ટોચનાં નેતાઓની બેઠક મળી હતી. ગત રોજ સોમવારે મોડી રાત્રે મળેલી આ બેઠક 5 કલાકથી વધુ સમય ચાલી હતી. આ બેઠકમાં અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
મોડી રાત સુધી ચાલેલી બેઠક બાદ મોટા પાયે ફેરફારની શક્યતાઓ
તા. 26 ને સોમવારે મોડી રાત્રે યોજાયેલ બેઠક બાદ હવે આગામી સમયમાં સંગઠનમાં મોટા પાયે ફેરફાર થવાની શક્યતાઓ છે. ત્યારે તા. 13 ઓક્ટોમ્બરે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ બંને દિલ્હી ગયા હતા. ત્યાં મોવડી મંડળ સાથે બેઠક યોજી હતી. બેઠક યોજાયાનાં 48 કલાક બાદ પણ ગુજરાતમાં વધુ એક બેઠક યોજાતા લોકમુખે એવું સાંભળવા મળ્યું હતું કે આગામી સમયમાં મોટા પાયે ભાજપમાં ફેરફારની શક્યતાઓ છે.
પૂર્વ મંત્રીઓને ફરી તક મળશે કે નવા ચહેરાઓને તક મળશે
સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળી રહ્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠક બાદ જો મંત્રી મંડળમાં ફેરફાર કરવામાં આવે તો પૂર્વ મંત્રી તેમજ યુવા ચહેરાઓને તક મળી શકે છે. જેને લઈ પૂર્વ મંત્રીઓ દ્વારા પોતાનાં માટે અને પોતાને સ્થાન ન મળે તો પોતાનાં ખાસ માણસોને તક મળે તે માટેનાં પ્રયત્નો પણ શરૂ કરી દેવામાં આવ્યા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. હવે એ જોવાનું રહ્યું કે, ભાજપનું મોવડી મંડળ પૂર્વ મંત્રીઓને ફરી હોદ્દાઓ પર બિરાજમાન કરશે કે નવા ચહેરાઓને તક મળશે તે આગામી ટૂંક સમયમાં ખબર પડશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir